મિત્રો આજના આ લેખમાં આપણે જાણીશું કે સવારે વાસી મોઢે પાણી પીવાથી આપણા શરીરમાં શું પરિવર્તન આવે છે તેના વિશે આપણે આજે જાણીશુ. મિત્રો ઔષધીય શાસ્ત્રોમાં આપણા શરીર માટે પાણીનું ખૂબ જ મહત્વ જણાવવામાં આવ્યું છે મિત્રો શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર દિવસ દરમિયાન ખૂબ જ વધારે માત્રામાં પાણી પીવામાં આવે તો તે આપણા શરીર માટે ખૂબ જ લાભકારી અને ગુણકારી માનવામાં આવે છે.
પરંતુ મિત્રો પાણી સવારે વાસી મોઢે પીવાના ફાયદાઓ પણ ખૂબ જ હોય છે. મિત્રો જ્યારે આપણે સવારે વહેલા ઉઠી એ છીએ ત્યારે આપણા પેટમાં અને આપણી હોજરીમાં ખૂબ જ માત્રામાં એસિડ એકઠું થયેલું હોય છે મિત્રો આખી રાત્રી નું એસિડ આપણા પેટમાં જમા થયેલું હોય છે. મિત્રો આપણા મોઢાની અંદર જે લાળ ગ્રંથી હોય છે અને આ લાલ ગ્રંથિ ની અંદર જે લાળ રસ હોય છે,
આ રસમાં કેટલાય પ્રકારના આલ્ક્લાઇન તત્વો રહેલા હોય છે. એટલા માટે જો સવારે વાસી મોઢે પાણી પીવામાં આવે તો આપણા શરીરમાં રહેલા એસિડ અને આ તત્વો તેની અસર ને નાબૂદ કરી દે છે. એટલા માટે મિત્રો વહેલી સવારમાં આપણા મોઢાની અંદર જે લાળ હોય છે તેને આપણે જરા પણ વેસ્ટ કરવાની નથી,
અને આ લાળ નો આપણે ઉપયોગ કરવાનો છે પેટમાં જમા થયેલ એસિડ ને નાબૂદ કરવા માટે. મિત્રો વાસી મોઢે એટલે સવારે ઉઠીને તરત જ કંઈપણ ખાધા વગર સીધું પાણી પીવાનું અને જો આ પાણી થોડું હૂંફાળું હોય તો તે સોનામાં સુગંધ ભળે છે.
મિત્રો સૌથી પહેલાં એક વાતનું ધ્યાન રાખવાનું છે કે આ પાણીને તમારી ઉભા ઉભા નથી પીવાનું . મિત્રો આ પાણી ને પીવા માટે સૌથી સચોટ મુદ્રા છે ઘૂંટણ ઉપર બેઠા બેઠા પાણીને મોઢામાં ફેળવીને પીવાનુ છે. એટલે કે તેનાથી મોઢા માં રહેલ લાળ રસ પાણી સાથે ભળી જાય તેવી રીતે પાણી ધીરે-ધીરે પીવાનું છે.
મિત્રો આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણે સૌચ ક્રિયા માટે બેસીએ છીએ તે પોઝિશનમાં બેસીને સવારે વાસી મોઢે પાણી પીવામાં આવે તો તેના અનેક ઘણા ફાયદા આપણા શરીરને મળે છે. અને તેનાથી આપણને ઘુંટણ ને લગતી કોઈપણ સમસ્યા નહીં થાય. ખાસ મિત્રો એ વાતનું ધ્યાન રાખો કે આ પાણી ને આપણે ઘુંટડે ઘુંટડે પીવાનું છે. તેનાથી આપણા સ્વાસ્થ્યને લગતા અનેક ફાયદા થશે.
મિત્રો જે લોકોને એસીડીટીની સમસ્યા હોય તેવા લોકોએ પાણીમાં લીંબુ નાખીને ન પીવું જોઈએ જો આમ કરવાથી એસીડીટી માં વધારો થાય છે. આ સિવાય વાસી મોઢે પાણી પીવાના અનેક ફાયદાઓ છે જેમ કે આંખોની રોશની વધી જશે, જે લોકોને વાળ ખરવાની સમસ્યા રહેતી હોય તેવા,
લોકોએ વાસી મોઢે પાણી પીવાથી આ સમસ્યામાંથી છુટકારો મળે છે. મિત્રો જે લોકોને લોહીની કમી હોય આંખો ની ફરતે કાળા કુંડાળા થઈ ગયા હોય. જે લોકોના ચહેરા ઉપર ખીલના ડાઘ ધબ્બા હોય. આવા લોકોને વાસી મોઢે પાણી પીવાથી આ બધી સમસ્યાઓ માં તરત જ રાહત મળે છે.
મિત્રો જે લોકો દિવસ દરમિયાન વ્યસ્ત કાર્યક્રમના લીધી વધુ પડતું પાણી ન પી શકતા હોય તેવા લોકોએ સવારે વહેલા ઊઠીને ત્રણથી ચાર ગ્લાસ જેટલું પાણી પીવું જોઈએ. મિત્રો આ ઉપાય કરવાથી તેમના શરીરમાં ડીહાઈડ્રેશન નો પ્રોબ્લેમ દૂર થશે અને શરીરમાં અનેક ઘણા ફાયદાઓ થશે.
જો તમે આવી જ અવનવી આયુર્વેદિક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર નથી કરી તો હમણાં જ શેર કરી દો.