ગ્રીન ટી પીવાથી કાયમ માટે દૂર થઈ જાય છે આ રોગો, જિંદગીમાં ક્યારેય નહીં બની શકો રોગોનો શિકાર..

 મિત્રો આજે આ લેખમાં અમે તમને ગ્રીન ટી ત્વચા માટે કેટલી ફાયદાકારક છે તેના વિશે આજે ચર્ચા કરીશું. મિત્રો હાલના સમયમાં ચહેરાને સુંદર રાખવા માટે આપણે કોસ્મેટિક ક્રીમો અને અનેક દેશી ઉપચારો આપણે કરતા રહીએ છીએ. મિત્રો બદલાતા વાતાવરણમાં ચહેરો સુકાઈ ગયેલો અને નિસ્તેજ બની જાય છે. 

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

કેટલીક મહિલાઓ ની ચહેરાની સ્કીન  ઓયલી હોય છે. તો કેટલીક મહિલાઓના ચહેરા ની સ્કીમ સુકાઈ ગયેલી, એટલે કે ડ્રાય હોય છે. ડ્રાય સ્કિનને ઘણી મહિલાઓ તેને મોઈશ્ચરાઈઝર કરવા છતાં પરિણામ સારું મળતું નથી. મિત્રો આવી સમસ્યામાં ગ્રીન ટીનો ઉપયોગ કરવાથી ઘણી રાહત મળી શકે છે. 

ગ્રીન ટીનો ઉપયોગ ફેસપેક તરીકે પણ કરી શકાય છે. મિત્રો આજે આ લેખમાં અમે તમને ગ્રીન ટીનો ઉપયોગ ચહેરા પર કેવી રીતે કરવો તેના વિશે જણાવીશું. તેના માટે જોઈએ છે એક ચમચી ગ્રીન ટી નો પાવડર કે પછી ગ્રીન ટીનું બેગ, અને આ પાઉડરમાં બે ચમચી મધ ઉમેરવાનું છે. આ બંને વસ્તુને બરાબર મિક્સ કરીને એક પેસ્ટ તૈયાર કરી લો. અને,

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આ પેસ્ટને ચહેરા પર લગાવવી, એક વાતનું ધ્યાન રાખવું કે આ પેસ્ટ આંખ અથવા હોઠ પણ ન લાગે તેનું ધ્યાન રાખવું.મિત્રો આ પેસ્ટને ચહેરા પર પંદરથી વીસ મિનિટ સુધી રહેવા દો. પછી તે સુકાઈ જાય એટલે ચોખ્ખા પાણીથી તેણે સાફ કરી લેવું. અને ચહેરાને સુતરાઉ કાપડથી લૂછી લો. 

ત્યાર પછી તમારી દરરોજ વપરાતી ક્રીમને ચહેરા પર લગાવો. તૈયાર કરેલી પેસ્ટ ને અઠવાડિયામાં એક વખત તેનો ઉપયોગ કરી શકો છો. તેમાં રહેલું મધ બ્લીચ નું કામ કરે છે. ગ્રીન ટી ત્વચામાં એન્ટિઓક્સિડન્ટ ને વધારવાનું કાર્ય કરે છે. જેનાથી તમારી સુકાઈ ગયેલી ત્વચા એકદમ સોફ્ટ થઈ જાય છે. મિત્રો ખીલની સમસ્યા ખૂબ જ કઠિન હોય છે. 

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

તેમાં ઘણા બધા ઉપચારો કરવા છતાં પણ ખીલની સમસ્યા દૂર થતી નથી. આવી સમસ્યામાં ગ્રીન ટીનો ઉપયોગ કરવામાં આવે તો ઘણી રાહત મળે છે. મિત્રો ચહેરા પરના ખીલ ને દૂર કરવા માટે આપણે એક પેસ્ટ બનાવીશું . તેના માટે આપણે સામગ્રી જોઈશે. ફેશિયલ ક્લિંજર, મોઈશ્ચરાઈઝર, સ્પ્રે બોટલ, ટુવાલ અને ગ્રીન ટી.

મિત્રો સૌથી પહેલાં તમારે ગ્રીન ટી બનાવવાની છે. ત્યારબાદ ગ્રીન ટી એકદમ ઠંડી થઈ જાય એટલે સ્પ્રે બોટલમાં ભરી દો. ત્યારબાદ તમારા ચહેરા ઉપર ફેશિયલ ક્લીનરને લગાવીને ચહેરાને સાફ કરી લો. હવે તમારા ચહેરા ઉપર બોટલમાં ભરેલી ગ્રીન ટીને ચહેરા પર લગાવીને સૂકાવા દો. પછી તેને ચોખ્ખા પાણીથી સાફ કરીને સુતરાઉ રૂમાલથી ચહેરાને લૂછી લો. 

ત્યારબાદ મોઈશ્ચરાઈઝર ચહેરા ઉપર લગાવી દો. આ સ્પ્રે દિવસમાં બે વાર લગાવી શકો છો. મિત્રો ગ્રીન ટી ની અંદર કેટેકીન હોય છે. તે માયકોબિયલ ગુણ ધરાવે છે. આથી ગ્રીન ટી પીવાથી ખીલના બનતા હોર્મોન્સ પણ સુધરે છે. આજકાલ વપરાતા વધારે પ્રમાણમાં મેકઅપ અને કોસ્મેટિક ક્રીમો ના કારણે ચહેરા પર કરચલીઓ જોવા મળે છે. 

આવી સમસ્યામાં ચહેરા પરની કરચલીઓ ઓછી કરવા માટે ગ્રીન ટીનું સેવન કરી શકો છો. ગ્રીન ટીનું સેવન ન થઈ શકે તો લેખમાં જણાવેલા આ પેસ્ટનો ઉપયોગ કરી શકો છો. આ પેસ્ટ બનાવવા માટે જોઈશે ગ્રીન ટી ની બેગ અથવા તો ગ્રીન ટી ના પત્તા અને મધ. ગ્રીન ટીની બેગ ને અથવા તો પત્તાને પાણીમાં પલાળો પછી તેને મધમાં મિક્સ કરીને એક પેક તૈયાર કરો. 

હવે આ ફેસપેકને ચહેરા પર લગાવી દો. આ પેક અઠવાડિયામાં એકવાર તમે ઉપયોગ કરી શકો છો. આ ઉપાય કરવાથી ચહેરાની સુંદરતામાં વધારો થાય છે.

Leave a Comment