આયુર્વેદ

તમને કોઈપણ બીમારી જલ્દી આવી જાય છે તો જરૂર થી લો આ ખોરાક ને વધારો તમારી ઇમ્યુનિટી.

મિત્રો અત્યારના સમયમાં બીમારી તથા કોરોના કાળમાં તમે ડોક્ટર કે વૈધો પાસે સાંભળ્યું જ હશે કે તમારી ઇમ્યુનિટી વધારો, ઇમ્યુનિટી એટલે કે રોગપ્રતિકારક શક્તિ એટલે કે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારો દરેક ડોક્ટર અને વૈધો ખાસ બીમારીમાં વચન આપતા હોય છે.

અમે તમને આ લેખ મા ઈમ્યુનિટી વધારવા કયો ખોરાક લેવો જોઈએ તેના વિશે જણાવીશું. પરંતુ તમને એક વાત નવાઈ લાગશે કે ઇમ્યુનિટી અને રોગો એટલે કે બીમારી વચ્ચે શુ સંબંધ છે તો એ પણ જાણવું જરૂરી છે જાણીએ કે તમારી ઇમ્યુનિટી બીમારીઓ સામે રક્ષણ આપે છે.

આ ઇમ્યુનિટી વધારવા માટે કયા કયા ખોરાક આપણે લેવા જોઈએ તેના વિશે આપણે આ લેખમાં સરળતાથી જોશું મિત્રો રોજ આઠ થી દસ પલારેલી બદામ ખાવી જોઈએ એટલે કે પલારેલી બદામ ખાવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે અને સાથે સાથે મગજ ને પણ સ્ટ્રેસ સામે રક્ષણ આપે છે.

મિત્રો આપણે બીજા ફૂડ ની વાત કરીએ તો લસણ એટલે કે લસણ ખાવાના અનેક ફાયદા મળતા હોય છે લસણ આપણ ને ઇમ્યુનિટી એટલે કે ઇમ્યુન સિસ્ટમને બીમારી સામે લડવાની શક્તિ આપે છે તેમાં રહેલું એલિસિન નામનું તત્વ ઇન્ફેક્શન અને બેક્ટેરિયા સામે લડવાની શક્તિ પૂરી પાડે છે.

મિત્રો લીંબુનું સેવન એટલે કે વિટામિન સી નો સારામાં સારો સ્ત્રોત છે એટલે કે લીંબુ નું વધારે પડતું સેવન કરવાથી શરીરમાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં મળે છે જે શરીરની અંદર વાયરસ ને પ્રવેશવા દેતું નથી.

કેપ્સિકમ ખાવાથી પણ આપણી ઇમ્યુન સિસ્ટમ મા વધારો થાય છે કેપ્સિકમ મા વિટામિન સી વધારે માત્રામાં રહેલું છે જે રોગપ્રતિકારક શક્તિ મા વધારો કરે છે અને બીમારીઓને શરીર મા આવતી અટકાવે છે.

હળદર અને સિંધવ મીઠું આ બંને ના કોગળા કરવાથી ગળામાં ઇન્ફેક્શન થયું હોય તો તેમાં ખુબ જ રાહત મળે છે અને હળદર નું સેવન કરવાથી ગળા મા રહેલો કફ પણ દૂર થાય છે અને શરીરમાં રોગો સામે લડવાની શક્તિ આપવા છે.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *