આયુર્વેદ

દરરોજ સૂકા નારિયળના બે ટુકડા ખાઈ લો, માથાની ચોટીથી લઈને પગની એડી સુધી નહીં રહે કોઈ બીમારી.

સૂકું નારિયળ જેને આપણે કોપરું કહીએ છે તેનો ઉપયોગ આપણે ઘણી વાનગીઓમાં કરતાં હોઈએ છે તે ખાવાને કહું ટેસ્ટી બનાવે છે. પણ તમને જણાવી દઈએ કે સૂકા નારિયળનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે પણ ઘણો ફાયદાકારક છે. સૂકા નારિયળનું સેવન કરવાથી ઇમ્યુન સિસ્ટમ મજબૂત થાય છે. સાથે ઘણી બીમારીઓ દૂર રહે છે.

કારણ કે સૂકા નારિયેળમાં પ્રોટીન, વિટામીન, આયર્ન, કેલ્શિયમ, મેંગેનીઝ, સેલેનિયમ, કોપર, ફોસ્ફરસ, પોટેશિયમ, મેગ્નેશિયમ જેવા તત્વો મળી આવે છે.

આ સાથે સૂકા નારિયેળમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ પણ હોય છે. પરંતુ સૂકું નાળિયેર ખાવાના ઘણા ફાયદા છે, જાણો શુષ્ક નારિયેળ ખાવાના ફાયદા શું છે.

આયરનની કમી દૂર કરે છે : સૂકા નારિયળના સેવનથી એનીમિયાની ફરિયાદ દૂર થાય છે તેમાં આયરનનું પ્રમાણ સારું હોય છે એટલે જો તમે નારિયળનું સેવન કરો છો તો તેનાથી શરીરમાં હિમો ગ્લોબિનની કમી દૂર થાય છે.

રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરે : સૂકા નારિયળનું સેવન કરવાથી રોગ પ્રતિકારક શક્તિની ક્ષમતા વઢે છે કેમ કે નારિયળમાં એંટીઓક્સિડેન્ટ ગુણ હોય છે. એટલે જો તમે સૂકા નારિયળનું સેવન કરો છો તો તેનાથી રોગ પ્રતિકારક ક્ષમતા મજબૂત થાય છે. તેનાથી તમે ઘણા વાઇરલ ઇન્ફેકશનથી દૂર રહી શકો છો.

કેન્સરનું જોખમ ઓછું થાય છે : સૂકા નારિયળનું સેવન કરવાથી કેન્સર જેવી ઘાતક બીમારીના જોખમને ઓછું કરી શકાય છે. કેમ કે નારિયળમાં ઘણા પોષકતત્વો હોય છે. એટલે જો તમે તેનું સેવન કરો છો તો તેનાથી બ્રેસ્ટ કેન્સર અને પ્રોસ્ટેટ કેન્સરના સેલ્સને વઢતા રોકી શકાય છે.

પાચનતંત્ર થાય છે મજબૂત : સૂકા નારિયેળનું સેવન પેટ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે સૂકા નારિયેળમાં સારા પ્રમાણમાં ફાઈબર મળી આવે છે. તેથી, જો તમે સૂકા નારિયેળનું સેવન કરો છો, તો તે પાચનતંત્રને મજબૂત બનાવે છે. આ સાથે કબજિયાતની મુશ્કેલી પણ દૂર થાય છે.

કોલેસ્ટ્રોલ રહે છે કંટ્રોલમાં : સૂકા નારિયળના સેવનથી હાર્ટની ઘણી સમસ્યા દૂર થઈ શકે છે. જો તમે દરરોજ સૂકા નારિયળનું સેવન કરો છો તો તેનાથી હાર્ટ હેલ્થી રહે છે. સાથે સૂકા નારિયળથી કોલેસ્ટ્રોલ લેવલ વધુ સારું બને છે. કેમ કે તેમાં હેલ્થી ફેટ્સ હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *