આયુર્વેદ દુનિયા

બે જ મિનિટમાં ગેસ અને એસિડિટી મટી જશે, એવો જોરદાર છે આ દેશી ઈલાજ.

મિત્રો ગેસ અને એસીડીટી ની સમસ્યા એવી છે જે વારંવાર થઈ જતી હોય છે. ખાવા પીવામાં ફેરફાર થવાથી આ સમસ્યા થાય છે.

આ સમસ્યાથી તુરંત રાહત મેળવવી હોય તો શું કરવું તેનો આજે તમને દેશી ઈલાજ જણાવીએ. આ દેશી ઈલાજ કરવાથી કોઈ પણ પ્રકારની આડઅસર થશે નહીં અને તમને તમારી સમસ્યાથી તુરંત જ મુક્તિ મળી જશે.

જ્યારે પણ ગેસ કે એસિડિટી ની તકલીફ થાય ત્યારે જો તમારે દવા કરતા પણ ઝડપી રાહત મેળવવી હોય તો આ વસ્તુના પાંદડાનો રસ કરીને પી જવાનું રાખો. આ રસ પીવાની સાથે જ ગેસ અને એસિડિટી મટી જાય છે. આ પાંદડા કયા કયા છે તે પણ જાણી લો.

ફુદીનો – ગેસ અને એસીડીટી નો સૌથી મોટો દુશ્મન ફૂદીનો છે. જ્યારે પણ ગેસ કે એસીડીટી ની તકલીફ થાય ત્યારે ફુદીનાના પાનને લઈને તેનો રસ કાઢી લેવો અને તેનું સેવન કરવું. સવારે વહેલા ઊઠીને તમે ફુદીનાના પાન ચાવીને ખાય પણ શકો છો.

જાંબુ – ગેસના કારણે પેટ ફૂલી ગયું હોય અને એસીડીટી થઈ ગઈ હોય તો જાંબુના પાનનો રસ કાઢીને તેમાં ખાંડ ઉમેરીને તેનું સેવન કરવું.

મીઠો લીમડો – મીઠા લીમડાના પાન નો રસ પીવાથી પણ પેટના રોગ મટે છે. આ સિવાય તમે મીઠા લીમડાના પાનને ચાવીને ખાશો તો તમારું મેટાબોલિઝમ સુધરશે.

અજમો – અજમાના પાનને પણ સવારે ખાલી પેટ ચાવીને તેનો રસ પેટમાં ઉતારવાથી એસિડિટી અને ગેસની સમસ્યા કાયમ માટે દૂર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *