આયુર્વેદ દુનિયા

આંખના નંબર ઉતારવાનો આ છે બેસ્ટ ઉપાય, ઓપરેશન કરાવવાની નહીં પડે જરૂર અને ચશ્મા થઈ જશે દુર.

મિત્રો આંખ આપણા શરીરનું મહત્વનું અંગ છે. આંખ ન હોય તો દુનિયા અંધકારમય થઈ જાય છે. દુનિયામાં જીવન શક્ય અને સરળ બને છે કારણ કે આપણે બધું જ આંખ વડે જોઈ શકીએ છીએ. જો આંખ ન હોય તો જીવન કપરું થઈ જાય છે.

આંખ ન હોય તેવી સ્થિતિની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. આંખનું મહત્વ કેટલું છે તે વાતનો અંદાજ તમને એ વાત પરથી સરળતાથી આવી શકે છે કે જ્યારે પણ આંખમાં કોઈ સમસ્યા થાય છે ત્યારે ખૂબ જ તકલીફ થાય છે. આંખમાં બળતરા પણ થતી હોય તો સહન થતું નથી.

આંખે દેખાવાનું ઓછું થાય તો પણ નંબર કઢાવી ચશ્મા પહેરવાનું શરુ કરી દેવામાં આવે છે કારણ કે ધુંધળુ દેખાતું હોય તો પણ ચાલતું નથી. જો કે આંખમાં નંબર આવે અને ચશ્મા પહેરવા પડે તે કોઈને ગમતું નથી.

તેથી આંખના નંબર ઉતારવા માટે લોકો ઓપરેશન પણ વધારે પ્રમાણમાં કરાવવા લાગ્યા છે. કારણ કે આજના સમયમાં તો નાની ઉંમરમાં લોકોને આંખમાં નંબર આવી જાય છે. તેવામાં નંબર ઉતારવાનો એક માત્ર ઈલાજ ઓપરેશન લાગે છે

પરંતુ આવું જરા પણ નથી. આંખના નંબર ઉતારવા માટે એક દેશી ઈલાજ કરી શકાય છે. ચાલો આજે તમને તે જણાવીએ. આ ઈલાજ કરવાથી આંખના નંબર ઓપરેશન વિના દુર થાય છે અને આંખની દ્રષ્ટિ સુધરે છે.

આંખના નંબરની સમસ્યા દુર કરવી હોય તો તેના માટે વરીયાળી, બદામ અને સાકરની જરૂર પડશે. આ ત્રણેય વસ્તુ ઠંડક આપે છે અને તે આંખ માટે લાભકારી છે.

આ ત્રણેય વસ્તુને સમાન માત્રામાં લઈ અને વાટી લેવી. આ મિશ્રણની એક ચમચી એક ગ્લાસ દૂધમાં ઉમેરી તેનું સેવન કરવાથી આંખનું રક્ષણ થાય છે અને નંબર પણ ઓછા થાય છે.

આમળા પણ આંખ માટે લાભકારી છે. તેના માટે આમળાનું સેવન કરવું જોઈએ. આમળાનું સેવન કરવાથી પણ આંખની તંદુરસ્તી વધે છે. તે સ્વાદમાં ખાટા વિટામીન સીથી ભરપુર હોય છે. તેનું સેવન કરવાથી આંખની સમસ્યા દુર થાય છે.

આંખના નંબર ઉતારવા માટે તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવું પણ લાભકારી છે. તેના માટે તાંબાના વાસણમાં પાણી ભરી અને સવારે જાગીને સૌથી પહેલા આ પાણી પીવું જોઈએ. તેનાથી આંખને લાભ થાય છે.

ત્રિફળા પણ આંખ માટે લાભકારી છે. તેના માટે ત્રિફળા અને સાકરને સમાન માત્રામાં લઈ તેનું સેવન દૂધ અથવા મધ સાથે કરવું. તેનાથી આંખના નંબર ઉતરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *