કમર અને સાંધાના દુખાવાની સમસ્યા ખૂબ જ સામાન્ય બની ચૂકી છે. આ સમસ્યાથી મોટાભાગના લોકો પીડિત હોય છે. તેના માટે પેન કિલર લેવા સિવાય કોઈ ઉપાય જણાતો નથી. પરંતુ લાંબા સમય સુધી આ પ્રકારની દવા ખાવાથી શરીરના અન્ય અંગોને નુકસાન થાય છે.
ક્યારે આજે તમને શરીરના સાંધા અને કમરના દુખાવાની તકલીફને પાંચ મિનિટમાં જ દૂર કરવાનો અકસીર ઈલાજ જણાવીએ. શરીરના આ દુખાવાનું કારણ નસોમાં થયેલો અવરોધ હોય છે.
જ્યારે કોઈપણ કારણોસર નશોમાં અવરોધ કે સોજો આવે છે તો શરીરમાં દુખાવો થવા લાગે છે. જ્યારે પણ તમને આ પ્રકારનો દુખાવો થાય તો હવે પછી આ ઉપાય કરવાનું શરૂ કરજો.
આજે છે તમને આયુર્વેદિક અક્સિર ઈલાજ જણાવીએ તે કરવાથી પાંચ મિનિટમાં જ તમને ગમે તેવા દુખાવાથી રાહત મળી જશે. કોઈપણ અંગમાં દુખાવો થવાનું કારણ હોય છે કે તે અંગની નસોમાં રક્ત પરિભ્રમણ થતું ન હોય.
ત્યારે આજે જે તમને તેલ વિશે જણાવીએ તેના વડે શરીરમાં માલિશ કરવાથી પાંચ મિનિટની અંદર જ રક્ત પરિભ્રમણ સુધરે છે અને દુખાવો મટી જાય છે.
જો તમને કાયમી સ્નાયુઓમાં અને કમરમાં દુખાવો રહેતો હોય તો નિયમિત રીતે કેટલાક યોગા અભ્યાસ કરવા.
શરીરની પીડા દૂર કરવા માટે તમે ભુજંગાસન, અપનાસન, અધોમુખાસન, સહિતના આસન કરી શકો છો. આ સિવાય નિયમિત રીતે હળવી કસરત પણ રોજ 30 મિનિટ કરવી જેનાથી શરીરમાં રક્ત પરિભ્રમણ બરાબર રીતે થતું રહે.
શરીરની પીડાદાયક સ્થિતિમાંથી મુક્તિ મેળવવા માટે માલિશ પણ સૌથી અકસીર છે. કોઈપણ પ્રકારનો દુખાવો હોય તેનાથી માત્ર પાંચ મિનિટમાં છુટકારો શક્ય છે. તેના માટે સરસવના તેલને ગરમ કરી તેમાં થોડી હળદર અને લસણ ઉમેરવું.
લસણ બરાબર શેકાઈ જાય પછી ગેસને બંધ કરો અને આ તેલ હુંફાળું હોય ત્યારે તેનાથી દુખાવો પર માલીશ કરવી. આ રીતે માલિશ કરવાથી દુખાવો પાંચ જ મિનિટમાં દૂર થઈ જશે.
જો દુખાવો પીઠમાં વધારે રહેતો હોય તો માલિશ કર્યા પછી ગરમ પાણીથી શેક પણ કરવો.