આયુર્વેદ દુનિયા

શરીરની નબળાઈ, થાક અને રક્તની ઉણપ કાયમ માટે થઈ જશે દુર, રોજ ચાવીને સવારે ખાઈ લેવી આ વસ્તુ.

આજના સમયમાં સ્ત્રીઓ ઘરની સાથે બહારનું કામ કરતી થઈ છે. આ દોડધામ ના કારણે મહિલાઓને પોતાનું ધ્યાન રાખવાનો સમય મળતો નથી. જેના કારણે તેમને જરૂરી પોષક તત્વો પણ મળતા નથી અને પરિણામે તેમને શરીરમાં સમસ્યાનો સામનો કરવો પડે છે.

મહિલાઓને સૌથી વધુ સ્વાસ્થ્ય સમસ્યામાં લોહીની ઉણપ અને શરીરમાં નબળાઈ નડતી હોય છે. મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય પર પૂરતું ધ્યાન આપી શકતી નથી તેના કારણે સતત નબળાઈ લાગ્યા રાખે છે.

મહિલાઓ થાકી જાય છે અને શરીરમાં ઉર્જા નો અભાવ અનુભવે છે. મહિલાઓને શરીરમાં જે નબળાઈ અનુભવાય છે અને રક્તની ઉણપ સર્જાય છે તેના માટે અંજીર અને કિસમિસ રામબાણ ઈલાજ છે.

અંજીર અને કિસમિસ નું સેવન કરવાથી મહિલાઓને થતી સમસ્યાઓ દૂર થાય છે અને આખો દિવસ શરીર એનર્જીથી ભરપૂર રહે છે. તેનું સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે.

અંજીર અનેક પોષક તત્વોથી ભરપૂર હોય છે. મહિલાઓએ રાત્રે અંજીરને પાણીમાં અથવા દૂધમાં પલાળી દેવું અને સવારે તેને બરાબર રીતે ચાવીને ખાઈ જવું જોઈએ.

અંજીરમાં ફાઇબરનું પ્રમાણ સારું એવું હોય છે તેનું સેવન સવારે કરવાથી શરીરને આખો દિવસ માટેની ઉર્જા મળે છે. અંજીરનું સેવન બરાબર ચાવીને કરવાથી હાડકા મજબૂત થાય છે અને રોગ સામે લડવાની ક્ષમતા પણ વધે છે.

પલાળેલું અંજીર ખાવાથી યૌન શક્તિ પણ વધે છે. સાથે જ મહિલાઓને માસિક સમયે થતી સમસ્યાથી પણ રાહત મળે છે.

કિસમિસ પણ આયર્નથી ભરપૂર હોય છે અને તે લોહીનું પ્રમાણ વધારે છે. મહિલાઓ નિયમિત રીતે 10 પલાળેલી કિસમિસ સવારે ચાવીને ખાઈ લે તો શરીરને એનર્જી અને શક્તિ મળે છે.

પલાળેલી કિસમિસ ખાવાથી શરીરમાં રક્તની ઉણપ દૂર થાય છે અને સાથે જ માસિક સમયે થતી સમસ્યાઓ પણ મટે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *