આયુર્વેદ

સાત જ દિવસમાં દાંત અને પેઢાના દુખાવા કાયમ માટે થઈ જશે દૂર, આ વસ્તુ છે દાંત માટે અક્સીર.

દાંત અને પેઢા મજબૂત રહે તે માટે જરૂરી છે કે તેની સ્વચ્છતા નું ખાસ ધ્યાન રાખવામાં આવે. જો દાંત અને પેઢાની કાળજી બરાબર લેવામાં ન આવે તો મોઢામાં બેક્ટેરિયા થઈ જાય છે અને પરિણામે ગંભીર રોગ પણ થઈ શકે છે.

તેથી જ દાંતના ડોક્ટરો દિવસમાં બે વખત બ્રશ કરવાનું અને યોગ્ય રીતે મોડું સાફ કરવાનો આગ્રહ રાખતા હોય છે. પરંતુ મોટાભાગના લોકો દાંત અને પેઢાની સ્વચ્છતાને લઈને બેદરકાર જોવા મળે છે. પરિણામે નાની ઉંમરમાં જ દાંત અને પેઢાના રોગ થઈ જાય છે.

દાંતના રોગોમાં દાંતમાં સડો, પાયોરીયા કે વીટી પેઢામાં દુખાવો દાંત પીળા પડી જવા જેવી ફરિયાદો સામાન્ય હોય છે. જ્યારે દાંતની સ્વચ્છતા અને તેના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવામાં ન આવે તો દાંતમાં ઇન્ફેક્શન પણ થઈ જાય છે.

આ સ્થિતિમાં ખાવા પીવાથી લઈને અનેક તકલીફો થાય છે. આજે તમને દાંત અને પેઢાને સ્વસ્થ રાખવાનો એક અક્સિર ઈલાજ જણાવીએ.

જો તમને દાંતની કે પેઢાની કોઈ સમસ્યા છે તો આ ઉપાય સાત દિવસ સુધી કરવાથી દવા વિના સમસ્યા દૂર થઈ જશે. આ વાતોનું ધ્યાન રાખવાથી તમારા દાંત કાયમ માટે મજબૂત બની જશે

દાંત ને સ્વસ્થ રાખવા માટે લીમડા અને બાવળના દાંતણથી દાંત સાફ કરવાનું રાખો. તેનાથી દાંતને સારી કસરત પણ થશે અને દાંતની પીળાશ તેમજ બેકટેરિયા દૂર થાય છે. તેનાથી પેઢા પણ મજબૂત બને છે.

જાતે મજબૂત કરવા માટે અઠવાડિયામાં બે વખત ચણા નું સેવન કરવું જોઈએ. ચણાને બરાબર રીતે ચાવીને ખાવાથી દાંતની કસરત થાય છે અને દાંત મજબૂત બને છે.

દાંતના નિષ્ણાતો જણાવે છે કે દાંતને લાંબા સમય સુધી નિરોગી અને સ્વસ્થ રાખવા હોય તો કોલ્ડ્રીંક તેમજ ગરમ વસ્તુઓ એટલે કે ચા અને કોફી બંનેનું સેવન પણ ટાળવું જોઈએ. આ પ્રકારના પીના દાંતમાં સમસ્યા સર્જે છે

દાંતને મજબૂત રાખવા માટે આહારમાં કેલ્શિયમ યુક્ત વસ્તુઓનો સમાવેશ કરો. કેલ્શિયમ વાળી વસ્તુઓ અને અનાજનો ભોજનમાં સમાવેશ કરવાથી દાંતની કેલ્શિયમની જરૂરિયાત પૂર્ણ થાય છે અને દાંત મજબૂત રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *