આયુર્વેદ દુનિયા

રાત્રે સુતા પહેલા આ પાણી પીવાનું રાખશો તો ઘસઘસાટ આવશે ઊંઘ.

મિત્રો અનિયમિત જીવનશૈલી અને અસંતુલિત આહારના કારણે લોકોને અપૂરતી ઊંઘ ની સમસ્યા થઈ ગઈ છે. કેટલાક લોકોની ફરિયાદ એવી હોય છે કે તેમને મોડી રાત સુધી ઊંઘ આવતી જ નથી.

શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ઊંઘ ન કરવાથી ખૂબ જ અસર થાય છે. આવી સ્થિતિમાં અનિંદ્રા ની સમસ્યા પણ વધી શકે છે. જો તમને નિયમિત રીતે બરાબર ઊંઘ આવતી ન હોય તો તેનો ઉપાય કરવો જરૂરી છે.

સૌથી પહેલા તો દિનચર્યામાં થોડા ફેરફાર કરો. રાત્રે સૂતી વખતે હાથમાં મોબાઈલ રાખવાનું ટાળો કારણકે તેનાથી ઊંઘમાં ખલેલ પડે છે. શરીરને સ્વસ્થ અને નીરોગી રાખવું હોય તો જરૂરી છે કે તમે આઠ કલાક ઊંઘ કરો.

જે લોકોને અનિદ્રાની સમસ્યા હોય તેમણે રોજ રાત્રે સૂતા પહેલાં નાળિયેરનું પાણી પીવું જોઈએ. નાળિયેરનું પાણી પીવાથી અનિદ્રની તકલીફ દૂર થાય છે અને સારી ઊંઘ આવે છે.

નાળિયેરનું પાણી પીવાથી વધતા વજનને પણ કંટ્રોલમાં રાખી શકાય છે. રાત્રે નાળિયેર પાણી પીવાથી શરીરમાં ચરબી જામતી અટકે છે અને મેટાબોલિઝમ રેટ પણ વધે છે જેના કારણે સ્થૂળતાની તકલીફ દૂર થાય છે.

નાળિયેરના પાણીમાં પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે જે ત્વચા માટે ફાયદાકારક છે. તેનાથી ત્વચાનું સંક્રમણ અટકે છે.

નાળિયેર પાણીમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે તેનાથી સ્ટ્રેસથી પણ રાહત મળે છે અને ગાઢ ઊંઘ આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *