આયુર્વેદ

ગ્રીન ટીમાં આ વસ્તુની એક ચપટી ભરીને મિક્સ કરીને પી લ્યો, પેટની ચરબી તો ઓછી થાય જ છે સાથે ફાંદ પણ અંદર થઈ જાય છે.

દોસ્તો આપણા ભારતીય રસોડામાં એવી ઘણી વસ્તુઓ મળી આવે છે, જેનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવા માટે કરવામાં આવતો હોય છે. આવો જ એક મસાલો કાળા મરી છે.

તમે ધ્યાન આપ્યું હોય તો કાળા મળી નો ઉપયોગ ફક્ત ભોજનમાં એક મસાલા તરીકે કરવામાં આવે છે પરંતુ શું તમે ક્યારે કાળા મરીના ફાયદાઓ વિશે વિચાર કર્યો છે?

હકીકતમાં કાળા મરી ઉષ્ણ કટિબંધીય વિસ્તારમાં જોવા મળે છે અને તે પોષક તત્વોથી સમૃદ્ધ હોય છે. જેનો ઉપયોગ કરીને તમે વિવિધ પ્રકારના રોગોથી રાહત મેળવી શકો છો. આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને કાળા મરીનું સેવન કરવાથી થતા ફાયદાઓ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ.

હકીકતમાં કાળા મરીમાં એન્ટિઓક્સિડન્ટ અને એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મ મળી આવે છે જે શરદી અને ઉધરસની સમસ્યાને દૂર કરવાનું કામ કરે છે. જો તમે કાળા મરીનો પાવડર બનાવી લો છો અને તેને મધમા ઉમેરીને પીવો છો તો છાતીનો દુખાવો આરામથી દૂર થઈ શકે છે.

કાળા મરીમાં પાઇપરિન નામનું એક ઉત્સેચક મળી આવે છે જે પેટના કામને સરળ બનાવે છે. તેથી જો તમે ભોજનમાં કાળા મરીને સામેલ કરો છો તો તમારી પાચન ક્રિયા એકદમ તંદુરસ્ત બની જાય છે અને તમે આસાનીથી ભોજનને પચાવી શકો છો.

કાળા મરીમાં રહેલા પોષક તત્વો કેન્સરથી પણ બચાવવાનું કામ કરે છે. હકીકતમાં તેને હળદરમાં ઉમેરીને ખાવામાં આવે તો તમને ઘણા બધા લાભ થઈ શકે છે. તેમાં વિટામીન સી, વિટામિન એ, ફ્લેમેનોઈડ્સ, કેરોટીન નામના પોષક તત્વો આવેલા હોય છે. જે આપણા શરીરમાંથી હાનિકારક મુક્ત રેડિકલ્સને દૂર કરે છે અને શરીરને કેન્સરથી બચાવે છે.

તમે કાળા મરીનો ઉપયોગ કરીને વજનને પણ ઓછું કરી શકો છો. હકીકતમાં તેમાં એવા ઘણા બધા પોષક તત્વો આવેલા હોય છે જે ચરબીના કોષોને તોડી નાખે છે અને આપણી ચપચપાય ને પ્રોત્સાહન આપે છે. જેના લીધે તમે ચરબીને ઓછી કરી શકો છો.

આ માટે તમારે એક ચપટી કાળા મરીનો પાવડર લઈ ગ્રીન ટી માં ઉમેરી દેવો જોઈએ અને દિવસમાં બેથી ત્રણ વખત પીવો જોઈએ. આ ઉપાય કરવાથી આપણા શરીરનું ફેટ એકદમ ઓછું થઈ જાય છે અને મેટાબોલિઝમ લેવલમાં સુધારો થાય છે. જે વજન ઓછું કરવામાં મદદ કરે છે.

કાળા મરીમાં રહેલા પોષક તત્વો ડિપ્રેશનને પણ નિયંત્રિત કરી શકે છે અને મગજને ઉત્તેજિત કરે છે જેના લીધે તમે ખરાબ વિચારોથી દૂર રહી શકો છો. કાળા મરી તમારી ચામડીની થતી તકલીફોને પણ રોકવાનું કામ કરે છે અને ચહેરાને કુદરતી રીતે સુંદર બનાવે છે.

જે લોકોને ખીલ, ડાઘ કરચલીઓ વગેરેનો સામનો કરવો પડતો હોય તો તેવા લોકોએ તો અવશ્ય કાળા મરીનું સેવન કરવું જોઈએ. જેનાથી ચામડીની સમસ્યા કાયમી ધોરણે દૂર થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *