મિત્રો શરીરને વાયરલ રોગોથી બચાવવું હોય તો જરૂરી છે કે તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય. જો રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય છે તો શરીર બેક્ટેરિયા સામે લડી શકે છે અને વાયરલ રોગોથી બચી શકાય છે.
જો તમારી કારક શક્તિ નબળી હોય તો તમે સરળતાથી કોઈપણ રોગની પકડમાં આવી શકો છો. શરીર નિરોગી રહે તે માટે જરૂરી છે કે તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય. અને રોગપ્રતિકારક શક્તિ ક્યારે મજબૂત રહે છે જ્યારે શરીરમાં વિટામીન અને મિનરલ્સ પૂરતા પ્રમાણમાં હોય.
આપણા શરીરને જરૂરી વિટામિન અને મિનરલ્સ શાકભાજી થી મળે છે. કેટલાક પ્રકારના શાકભાજી એવા છે જેનું દૈનિક આહારમાં સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ કુદરતી રીતે વધે છે. આજે તમને જણાવીએ એવા છ શાક વિશે જેનો ઉપયોગ કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે.
બ્રોકલી – બ્રોકલી નું સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને શરીરના રોગ પણ દૂર થાય છે કારણ કે તે પોષક તત્વોથી ભરપૂર હોય છે.
ટામેટા – ટામેટાનું સેવન કરવાથી પણ રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે કારણ કે તેમાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય છે અને તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે.
પાલક – પાલકનું સેવન કરવાથી પણ લાભ થાય છે તેનાથી પણ વિટામીન સી વિટામિન એ જેવા પોષક તત્વો શરીરને મળે છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે.
લસણ – શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવી હોય તો લસણનું સેવન શરૂ કરવું લસણ એન્ટિઓક્સિડન્ટ ગુણથી ભરપૂર હોય છે અને તે રોગપ્રતિકારક શક્તિને નબળી પડતી અટકાવે છે સાથે જ વાયરલ રોગોથી પણ રક્ષણ કરે છે.
કેપ્સીકમ – કેપ્સીકમ પણ વિટામિન સી અને એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર હોય છે તેનું સેવન કરવાથી વાયરલ રોગ અને ઇન્ફેક્શનથી બચી શકાય છે.
આદુ – આદુનું સેવન કરવાથી પણ વાયરલ રોગથી રક્ષણ થાય છે કારણ કે આદુ એન્ટિઓક્સિડન્ટ તત્વોથી ભરપૂર હોય છે અને તેનું સેવન કરવાથી નબળી પડેલી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થાય છે.