મિત્રો વાતાવરણમાં ફેરફાર અને આહારની અનિયમિતતાના કારણે ત્વચાને સૌથી પહેલા અસર થાય છે. ત્વચા ઉપર ખંજવાળ ખરજવું ધાધર જેવા રોગ ઝડપથી વધી રહ્યા છે. અનેક લોકો એવા હોય છે જે આ રોગનો શિકાર થાય છે.
સ્વાસ્થ્ય નિષ્ણાતો જણાવે છે કે ચામડીના રોગ થતા હોય તેમણે એવા કપડાં પહેરવા જોઈએ જે એકદમ ટાઈટ ન હોય આ ઉપરાંત તેમના ઉપયોગની વસ્તુઓ જેમકે ટુવાલ નેપકીન કાંસકો અન્ય લોકોએ ઉપયોગમાં લેવી જોઈએ નહીં.
જ્યારે ચામડીના આ રોગ થાય છે તો ખૂબ જ મીઠી ખંજવાળ આવે છે જ્યારે ખંજવાળ કરવામાં આવે તો ત્વચા ઉપર ફોડલીઓ વધી જાય છે અને ચેપ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાય છે.
ચામડીનો રોગ જો વધી જાય તો તેને મટાડવા પાછળ ખૂબ જ ખર્ચ કરવો પડે છે. કારણ કે તેની દવા ખૂબ જ મોંઘી પડે છે. વળી દવા બંધ થતા ફરીથી ખરજવું થઈ શકે છે. ત્યારે આજે તમને આ સમસ્યાથી કાયમી મુક્તિ અપાવે એવો ઉપાય જણાવીએ.
આ ઉપાય કરવા માટે તમારે ગૌમૂત્ર ની જરૂર પડશે. અનેક રિસર્ચમાં એ વાત સાબિત થઈ ગઈ છે કે ગૌ મૂત્રમાં એવા તત્વો છે જે શરીરના ગંભીર રોગને પણ જળ મૂળથી દૂર કરી શકે છે. આવી જ રીતે ચામડીના રોગને મટાડવા માટે પણ ગૌમૂત્ર બેસ્ટ છે.
તેના માટે ગૌમૂત્રમાં રૂ બોડી અને જે જગ્યાએ સમસ્યા થઈ હોય ત્યાં દિવસમાં બે વખત લગાડો. ગૌ મુત્રની જગ્યાએ તમે તમારા જ મૂત્રનો ઉપયોગ પણ કરી શકો છો.
સવારે દિવસનું પહેલું સ્વમૂત્ર પણ ઔષધી સમાન ગણાય છે. તેને બોટલમાં ભરીને તમે ત્વચા પર લગાડવામાં ઉપયોગમાં લઈ શકો છો.
આ ઉપાય શરૂ કર્યા ના બે થી ત્રણ દિવસમાં જ તમને ખંજવાળ બંધ થઈ જશે અને ધીરે ધીરે ધાધર ખરજવું જેવી તકલીફ મટવા લાગશે.
જે વ્યક્તિને આ પ્રકારની સમસ્યા હોય તેમણે ખંજવાળવાનું ટાળવું જોઈએ કારણકે વધારે ખંજવાળ કરવાથી આ રોગ બીજી જગ્યાએ પણ ફેલાય છે.