આયુર્વેદ

ઘટેલા પૌરુષત્વને વધારવાથી લઈને પથરી મટાડવામાં ઉપયોગી છે આ ઔષધીના પાન, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ.

મિત્રો છેલ્લા કેટલાક સમયથી લોકો આયુર્વેદિક ઔષધીઓના ઉપયોગ પ્રત્યે જાગૃત થયા છે. નાની મોટી સમસ્યાઓને દૂર કરવા માટે લોકો દવા લેવાને બદલે ઔષધીઓનું સેવન કરવાનું પસંદ કરે છે કારણ કે તેનાથી શરીરને આડ અસર થતી નથી અને બીમારી પણ જળમૂળથી દૂર થાય છે.

કુદરતી આપણને અનેક પ્રકારની ચમત્કારિક જડીબુટ્ટીઓનું વરદાન આપ્યું છે. તેમાંથી કેટલીક જડીબુટ્ટી આપણી આસપાસ જ હોય છે. બસ આપણે તેના ઉપયોગ કરવાથી અજાણ હોય છે.

આજે તમને આવી જ એક જડીબુટ્ટી વિશે જણાવીએ. આ વસ્તુ દરેકના ઘરમાં ઉપલબ્ધ હોય છે. તેના ઉપયોગથી શરીરની 50થી વધારે બીમારીઓ દૂર કરી શકાય છે.

જે ઔષધિની વાત અહીં થઈ રહી છે તે અન્ય કોઈ નહીં પણ તુલસી છે. તુલસીનો ઉપયોગ કરવાથી શરીરના અનેક રોગથી મુક્તિ મેળવી શકાય છે. તુલસીમાં પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે જે રોગને દૂર કરવા માટે રામબાણ સાબિત થાય છે.

તુલસીનો ઉપયોગ કોઈપણ બીમારીમાં કરવો હોય તો તમે તેના પાંચ પાનને પાણીમાં ઉકાળીને અથવા તો બરાબર રીતે ચાવીને ખાઈ શકો છો. તેના માટે તમારે કોઈ વધારે મહેનત પણ કરવી પડશે નહીં કારણ કે તુલસીનો છોડ દરેક ઘરમાં હોય જ છે.

તુલસી થી થતા લાભ ની વાત કરીએ તો જો તમારું ચહેરો નિસ્તેજ થઈ ગયો હોય તો તુલસીના પાનની પેસ્ટ ચહેરા પર લગાડો. તેનાથી ત્વચા ચમકી જશે અને ડાઘ પણ દૂર થશે. તુલસીના પાનમાં મધ મિક્સ કરીને લગાડવાથી ખીલ પણ મટે છે.

જે લોકોને કિડનીમાં પથરીની તકલીફ હોય અને દવા કર્યા છતાં પણ તેમાં રાહત થતી ન હોય તો તુલસીનો ઉપાય કરવો.

તેના માટે તુલસીના પાનનો રસ કાઢી તેમાં સમાન માત્રામાં પાણી લઈને દિવસમાં રોજ સવારે પી જવું. આમ કરવાથી પથરી તૂટીને પેશાબ માટે બહાર નીકળી જશે.

જો પુરુષત્વ શક્તિ ઘટી ગઈ હોય અને ખૂબ જ ઝડપથી થાકી જતા હોય તો તુલસીની મદદથી તમે પુરુષત્વ વધારી શકો છો. તુલસીના રસને માખણમાં ઉમેરીને ખાવાથી તમારી ક્ષમતા વધી જશે અને થાક પણ લાગશે નહીં.

જો શરીરમાં કોલેસ્ટ્રોલ વધી રહ્યું છે અને હૃદય રોગનું જોખમ છે તો રોજ સવારે ઊઠીને ભૂખ્યા પેટ પાંચ તુલસીના પાન ખાઈ લેવા.. શરદી ઉધરસ જેવી સમસ્યાને દૂર કરવા માટે રોજ સવારે તુલસીના પાનને પાણીમાં ઉકાળીને પી જવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *