આયુર્વેદ

શરીરના દુખાવા સો ટકા થઈ જશે દૂર, ખાલી કરવું પડશે આ ચૂર્ણનું સેવન, ક્યારેય નહીં ખાવી પડે પેઇન કિલરની દવા.

દોસ્તો રોજિંદા જીવનમાં મોટાભાગના લોકોને શરીરમાં નાના મોટા દુખાવા રહેતા હોય છે. કોઈકવાર તકલીફ એટલી બધી જાય કે દવા લેવી પડે છે. જ્યારે મોટાભાગના દુખાવાને આપણે અવગણીએ છીએ.

પરંતુ દુખાવો ઓછો હોય કે વધુ તેની અવગણના યોગ્ય નથી. ઘણી વખત આ પ્રકારની અવગણના ગંભીર બીમારી નું સ્વરૂપ ધારણ કરી લે છે. તેથી જરૂરી છે કે તમે તેની તુરંત સારવાર કરો. આ સારવાર દવા લઈને કરવાની નથી.

દોસ્તો આજે તમને રસોડામાંથી જ મળી જતી કેટલીક વસ્તુઓ વિશે જણાવીએ જે શરીરના દુખાવા ને ચપટી વગાડતા દુર કરી શકે છે.

રસોડામાં મળતી આ વસ્તુઓ ને એકત્ર કરીને એક ચૂર્ણ બનાવી લેવાનું છે. આ ચૂર્ણને તમે મહિનાઓ સુધી સાચવીને રાખી શકો છો. જ્યારે જરૂર જણાય ત્યારે દવાને બદલે આ ચૂર્ણ લઇ શકાય છે.

દુખાવો દૂર કરતું ચૂર્ણ બનાવવાની રીત :-

મેથીના દાણા, સૂંઠ, હળદર, અશ્વગંધા આ બધુ જ 100-100 ગ્રામ લેવુ અને અજમો તેમજ જીરુ 5 ગ્રામ લેવું. આ બધી જ વસ્તુઓને પીસીને પાવડર બનાવી લો.

દોસ્તો આ પાવડરને એરટાઇટ બરણીમાં ભરી રાખો. જેથી હવા અંદર જાય નહીં અને આ પાઉડર બગડે નહીં.

1. જો તમને સાંધામાં દુખાવો હોય અને દાદરા ચડવા માં તેમજ નીચે બેસવામાં તકલીફ થતી હોય તો આ ચૂર્ણ સવારે નાસ્તો કર્યા પહેલા અને જમતા પહેલાં લેવું.

2. હાથ કે પગની આંગળીઓ વળી જતી હોય અને ચાલવામાં પણ તકલીફ રહેતી હોય તો આ ચૂર્ણને મધ સાથે ઉમેરીને ચાટી જવું. જો ડાયાબિટીસ ના દર્દી હોય તો આ ચૂર્ણ નવશેકા પાણી સાથે પીવું.

3. દાંત કે પેઢામાં દુખાવો હોય ક્યારે પણ આ ચૂર્ણનો ઉપયોગ કરી શકાય છે.આ સાથે જ દાંત નો દુખાવો હોય તો લવિંગનો પાઉડર બનાવીને દુખતા પર રાખવો.

4. પેટમાં દુખાવો રહેતો હોય અથવા તો પેટ ફૂલી જતું હોય તો એનો ઉપયોગ કરી શકાય છે. જ્યારે પેટ ચઢી જાય ત્યારે કિંગ થોડું પાણી ઉમેરીને તે પાણીથી પેટ ઉપર માલિશ કરવી.

5. આ ચૂર્ણનો ઉપયોગ કરતી વ્યક્તિએ એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કે જ્યારે તમે આ ચૂર્ણ નો ઉપયોગ કરો ત્યારે તમારે કોઈ ખાટી વસ્તુ કે આથાવાળી વસ્તુ ખાવી નહીં. તેનાથી દુઃખાવો ઝડપથી મટશે અને દવા ઝડપથી અસર કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *