આયુર્વેદ

મુખવાસ તરીકે ખાવામાં આવતી વરિયાળીથી પણ થઈ શકે છે ભલભલા રોગોનો ઈલાજ, ખાઈ લેવાથી નથી ચઢવા પડતા દવાખાનાના પગથિયાં.

દોસ્તો વરિયાળીનાનો ઉપયોગ મસાલા તરીકે થાય છે. જે ભોજનમાં સ્વાદ વધારવાનું કામ કરે છે પરંતુ શું તમે જાણો છો કે વરિયાળી ખાવામાં માત્ર સ્વાદ જ વધારતી નથી પંરતુ સેવન સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આયુર્વેદમાં વરિયાળીનો ઉપયોગ ઔષધી તરીકે થાય છે. તેથી તેનું સેવન કરવાથી ઘણી બીમારીઓ દૂર થાય છે.

વરિયાળીમાં કેલ્શિયમ, સોડિયમ, આયર્ન, ફાઈબર અને પોટેશિયમ જેવા તત્વો મળી આવે છે. જે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે પરંતુ વરિયાળીનું વધુ પ્રમાણમાં સેવન ન કરવું જોઈએ.

કારણ કે તે તમારા સ્વાસ્થ્યને ફાયદાને બદલે નુકસાન પહોંચાડી શકે છે. તો ચાલો આપણે જાણીએ કે વરિયાળીના ફાયદા કયા કયા છે. તમે વરિયાળીનો ઉપયોગ કરીને ચા બનાવી શકો છો.

વરિયાળીની ચા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેના સેવનથી ઘણી બીમારીઓ દૂર થાય છે. વરિયાળીનો ઉપયોગ મોટાભાગના લોકો માઉથ ફ્રેશનર તરીકે કરે છે. જેના કારણે મોઢાની દુર્ગંધ ખતમ થઈ જાય છે.

વરિયાળીનો ઉપયોગ મસાલા તરીકે પણ થાય છે. શાકમાં ઉમેરવાથી શાક સ્વાદિષ્ટ બને છે. વરિયાળીના બીજનો ઉપયોગ અથાણાં બનાવવા માટે પણ થાય છે.

વરિયાળીમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે, તેથી તેના સેવનથી હાડકાં મજબૂત બને છે. તેથી જે લોકોના હાડકાં નબળાં હોય તેમણે રોજ વરિયાળીનું સેવન કરવું જોઈએ.

પાચન સંબંધી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે વરિયાળીનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ ખોરાક ખાધા પછી વરિયાળીનું સેવન કરે છે, તો ખોરાકનું પાચન યોગ્ય રીતે થાય છે, જે પાચનતંત્રને મજબૂત બનાવે છે. આ સાથે કબજિયાત અને એસિડિટીની ફરિયાદ દૂર થાય છે.

વરિયાળીનું સેવન આંખો માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. વરિયાળીનું સેવન કરવાથી આંખોની સમસ્યા દૂર થાય છે. કારણ કે વરિયાળીમાં વિટામિન-એ અને વિટામિન-સી હોય છે, જે આંખોની રોશની ઝડપી બનાવે છે.

વરિયાળીનું સેવન કરવાથી વજન નિયંત્રિત કરી શકાય છે. કારણ કે વરિયાળીમાં સારી માત્રામાં ફાઈબર જોવા મળે છે, તેથી તેનું સેવન કરવાથી વજન ઘટે છે.

વરિયાળીનું સેવન કોલેસ્ટ્રોલ લેવલને નિયંત્રિત કરવામાં ખૂબ જ મદદગાર સાબિત થાય છે. કારણ કે વરિયાળીમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. તેથી, જે લોકોનું કોલેસ્ટ્રોલનું સ્તર વધી ગયું છે, તેઓએ દરરોજ વરિયાળીનું સેવન કરવું જોઈએ.

બ્લડપ્રેશરના દર્દીઓ માટે વરિયાળીનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે વરિયાળીમાં પોટેશિયમ સારી માત્રામાં જોવા મળે છે. તેથી તેનું સેવન કરવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે.

વરિયાળીનું સેવન કરવાથી અનિદ્રાની ફરિયાદ દૂર થાય છે. કારણ કે વરિયાળીમાં મેગ્નેશિયમ હોય છે, જે અનિદ્રાની સમસ્યાને દૂર કરે છે. જે મહિલાઓ પીરિયડ્સમાં અસહ્ય દુખાવાની ફરિયાદ કરે છે.

તેઓએ વરિયાળીનું સેવન કરવું જોઈએ. કારણ કે પીરિયડ્સની સમસ્યાથી છુટકારો મેળવવામાં વરિયાળી અમુક હદ સુધી ફાયદાકારક સાબિત થાય છે.

વરિયાળીનું સેવન ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે વરિયાળીમાં બળતરા વિરોધી, એન્ટિમાઇક્રોબાયલ અને એન્ટિએલર્જિક ગુણ હોય છે, જે ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓ દૂર કરે છે.

જોકે યાદ રાખો કે વરિયાળીના વધુ પડતા સેવનથી પેટમાં દુખાવાની ફરિયાદ થઈ શકે છે. આ સાથે ઘણા લોકો વરિયાળીથી એલર્જીની ફરિયાદ કરે છે.

આવી સ્થિતિમાં જો વરિયાળીનું સેવન કર્યા પછી કોઈપણ પ્રકારની એલર્જી હોય તો તેનું સેવન ન કરવું જોઈએ. આ સાથે સ્તનપાન કરાવતી મહિલાઓએ મોટી માત્રામાં વરિયાળીનું સેવન ન કરવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *