આયુર્વેદ

વર્ષો જૂની ધાધર અને ખંજવાળની સમસ્યા બે જ દિવસમાં મટી જશે, તેના પર લગાવી દો આ વસ્તુ.

ત્વચાની ગંભીર સમસ્યાઓમાંથી એક છે ધાધર અને ખંજવાળ. ધાધર ખંજવાળ જેવી સમસ્યા થાય તો વ્યક્તિને ક્યાંય ચેન પડતું નથી. આ તકલીફ મોટાભાગના લોકોને સહન કરવી પડે છે.

ધાધર, ખંજવાળ, ખરજવું જેવી ત્વચાની સમસ્યા ખૂબ જ પીડાદાયક બની જાય છે. આ સમસ્યામાં ત્વચા ઉપર નાના-નાના દાણા બની જાય છે.

જેમાં સતત ખંજવાળ આવે છે અને પછી બળતરા થાય છે. જો તેને ખંજવાળવા માં આવે તો આ જગ્યાએ નિશાન પડી જાય છે અને ઘા પણ થઈ શકે છે.

જો ત્વચાની આ સમસ્યાને સમયસર દૂર કરવામાં ન આવે તો તે ગંભીર સ્વરૂપ પણ ધારણ કરી શકે છે. ખરજવું એક ખાસ પ્રકારના ફફંદાના કારણે થાય છે.. તમે કદાચ જાણતા નહી હોય પરંતુ તે માથાની ત્વચા પર પણ થાય છે પરંતુ વાળ તૂટે છે તેની સાથે તૂટીને નીકળી જાય છે.

ખરજવુ ત્વચા પર લાલ રંગના નિશાન કરે છે અને તે ખૂબ જ ઝડપથી ફેલાઈ જાય છે. તે બે સાથળની વચ્ચે, આંગળીઓની વચ્ચે અને કેટલીક વાર આખા શરીરમાં ફેલાઇ જાય છે.

ખરજવું થાય ત્યારે મીઠી ખંજવાળ આવે છે પરંતુ ધીરેધીરે ખંજવાળ તકલીફ આપે છે. ખરજવું દૂર કરવાના કેટલાક ઘરગથ્થુ ઉપચાર પણ છે જેને કરીને તમે આ સમસ્યાથી મુક્તિ મેળવી શકો છો.

ખરજવુ દૂર કરવાના અત્યાર સુધી ઘરગથ્થુ ઉપચાર પણ કદાચ તમે કરી લીધા હોય અને તેનાથી તમને ફાયદો ન થયો હોય તો ચોક્કસથી આ ઉપાય એક વાર કરી લેવો. આ ઉપાય કરવા માટે તમને ઘરમાં ઉપલબ્ધ બે વસ્તુની જરૂર પડશે અને જેની મદદથી સરળતાથી ખરજવું મટી જશે.

આ ઉપાય કરવા માટે નાળિયેરનું તેલ અને કપૂર ની જરૂર પડશે. નાળિયેરના તેલ અને કપૂરથી બે દિવસમાં ભયંકર ખરજવું પણ મટી જશે.

તેના માટે 2 ચમચી નાળિયેરના તેલમાં કપૂરની બે ગોટી ક્રશ કરીને ઉમેરી દો. આ બંને વસ્તુને સારી રીતે હલાવો જેથી તે એક રસ થઇ જાય. ત્યાર પછી આ તેમને લીંબુના ટુકડા ની મદદથી ખંજવાળ આવતી હોય તે જગ્યાએ લગાવો.

લીંબુનો ઉપયોગ કરવાથી તેનાથી ઇન્ફેક્શન વધતું અટકે છે. પરંતુ લીંબુ લગાડવાથી જો વધારે બળતરા થાય તો તમે હાથ સાફ કરીને તેનાથી પણ આ દવા લગાડી શકો છો. આ ઉપાય નિયમિત બે દિવસ કરવાથી ખરજવું મટી જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *