આયુર્વેદ

શરીરને લોખંડ જેવું મજબૂત કરવું હોય તો રોટલીનો લોટ દળાવવો ત્યારે મિક્સ કરી દેવી આ વસ્તુ.

આજના સમયમાં દરેક નું જીવન દોડધામ ભરેલું અને સ્ટ્રેસથી ભરપૂર છે. આ સ્ટ્રેસ અને દોડધામના કારણે લોકો પોતાના આહાર ઉપર ધ્યાન આપી શકતા નથી. એટલા જ માટે નાની ઉંમરમાં લોકોને શારીરિક નબળાઈ નો સામનો કરવો પડે છે.

લોકો પૈસા કમાવા પાછળ આંધળી દોટ મૂકે છે પરંતુ સાથે પોતાના સ્વાસ્થ્યને લઈને બેદરકાર પણ થઈ જાય છે. જેના કારણે ઘણી સમસ્યાઓ થાય છે.

જે લોકોને કામના કારણે આખો દિવસ બહાર રહેવાનું થાય છે તેમને મોટાભાગે બહારનો આહાર લેવાની ફરજ પડે છે. નિયમિત રીતે આ પ્રકારનો ખોરાક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

ધીરે ધીરે આ બેદરકારીના કારણે શરીર નબળું અને પાતળું થઈ જાય છે. તેવામાં શરીરને શક્તિ મળે તેવા અનેક ઉપાયો કરવા છતાં પણ ફાયદો થતો નથી.

જેમ શરીરની સ્થૂળતા સમસ્યા છે તેમ શરીર પાતળું હોવું તે પણ પરેશાનીનું કારણ બની શકે છે. શરીર જાડુ ન હોવું જોઇએ તેમ અતિશય નબળું પણ ન હોવું જોઈએ.

જો તમે દુબળા હોય તો પણ શરીર લોખંડ જેવું મજબૂત હોય તે જરુરી છે. શરીરની રોગ પ્રતિકારક સારી હોય તો શરીર બીમાર પડતું નથી. જેના પરિણામે શરીર મજબૂત રહે છે.

જો તમે પણ વધારે પડતા ઓછા વજન અને નબળાઈ થી પરેશાન હોય તો આ ઉપાય કરીને તમે આ બંને સમસ્યાથી મુક્તિ મેળવી શકો છો. આ ઉપાય કરીને તમે શરીરને મજબૂત બનાવી શકો છો. આ ઉપાય કરવા માટે તમારે કોઇ પણ પ્રકારનો ખર્ચ કરવાનો નથી અને સાથે જ તેની તમને આડઅસર પણ નહીં થાય.

ઘણી વખત લોકો વજન વધારવા અને શરીરની નબળાઈ દૂર કરવા બજારમાં મળતી દવાઓ અને વિવિધ પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. પરંતુ આ પ્રકારના પ્રોડક્ટમાં કેમિકલ હોય છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

તેવામાં જેમ ઉપાય તમને જણાવવા જઇ રહ્યા છીએ તેને કરી લેશો તો તમારે કોઈપણ પ્રકારની દવા લેવી નહીં પડે અને તમારું શરીર લોખંડ જેવું મજબૂત થઈ જશે.

આ ઉપાય કરવા માટે તમારે એક કિલો ઘઉંનો લોટ, 1 કિલો ચણાનો લોટ અને એક કિલો મગની દાળના લોટની જરૂર પડશે.

આ ત્રણેય લોટને બરાબર રીતે એક રસ કરી લેવા. જ્યારે તમે સવારે અને સાંજે રોટલી બનાવો ત્યારે આ લોટમાંથી બનેલી રોટલી નો ઉપયોગ કરવો. આ ત્રણે લોટના મિશ્રણથી બનેલી રોટલી ખાવાથી શરીરનું વજન ઝડપથી વધે છે અને નબળાઈ પણ દૂર થાય છે.

ઘઉં, ચણા અને મગના પોષક તત્વો આ રોટલીમાં પડી જશે જે શરીરને પણ પોષણ આપશે. આ ત્રણે વસ્તુ માં પ્રોટીનનું પ્રમાણ ઘણું સારું હોય છે અને પોષક તત્વો પણ ભરપૂર હોય છે.

જે શરીરની નબળાઈને દૂર કરે છે. જે લોકોને થાક અને નબળાઈ રહેતા હોય તેવો દસ દિવસ સુધી આ લોટની રોટલી ખાશે તો શરીરમાંથી નબળાઈની તકલીફ કાયમ માટે દૂર થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *