આયુર્વેદ

આ વસ્તુ છે લોહી બનાવતું મશીન, રોજ એક ગ્લાસ પી લેશો તો જીવશો ત્યાં સુધી શરીરમાં નહીં રહે લોહીની ઊણપ.

મિત્રો આપણું શરીર સતત કામ કરતું રહે તે માટે જરૂરી છે કે શરીરમાં રક્ત પરિભ્રમણ બરાબર થાય અને દરેક અંગને લોહી સતત મળતું રહે.

પરંતુ જ્યારે શરીરમાં લોહીની ખામી સર્જાય છે ત્યારે શરીરમાં એક પછી એક સમસ્યા થતી રહે છે અને રોગ થાય છે.

લોહીની ઊણપના કારણે એનિમિયા થાય છે. જ્યારે શરીરમાં લોહીની ઊણપ હોય ત્યારે થાક લાગે છે, અશક્તિ અનુભવાય છે. શરીરમાં લાલ રક્તકણો અને આયરનની ખામીના કારણે શરીરમાં લોહીની ઊણપ થાય છે.

આ સમસ્યાને એનિમિયા કહેવાય છે. આ સમસ્યા મહિલાઓને વધારે થાય છે. જ્યારે શરીરમાં લોહીની ઊણપ સર્જાય છે ત્યારે ત્વચા નિસ્તેજ થઈ જાય છે.

આજે તમને લોહી બનાવવાનું કહેવાતી આયુર્વેદિક ઔષધિ વિશે જણાવીએ. તેનો ઉપયોગ કરવાની શરુઆત કરવાની સાથે જ રક્ત શુદ્ધ થાય છે અને રક્ત વધારે બને છે.

આ ખાસ વસ્તુ બનાવવા માટે એક ચમચી જીરું, એપલ સીડર વિનેગર, એક ચમચી મધ અને બે ગ્લાસ પાણી લેવાનું છે.

જીરુંનો ઉપયોગનો કરવાથી સ્વાસ્થ્ય સમસ્યાઓ દુર થાય છે. સાથે જ લોહીની ઊણપની સમસ્યા દુર થાય છે. તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે પણ જાણી લો. તેના માટે રાત્રે એક તપેલીમાં 2 ગ્લાસ પાણીમાં જીરું પલાળી રાખવું.

હવે સવારે જાગીને આ પાણીને ઉકાળો. પાણી ઉકળી જાય ત્યારે ગેસ બંધ કરી અને તેને ગાળી લો. પાણી હુંફાળુ હોય ત્યારે તેમાં વિનેગર અને મધ ઉમેરી તેનું સેવન કરવું.

આ ઉપાય નિયમિત કરવાથી ગણતરીના દિવસોમાં જ શરીરમાંથી લોહીની ઊણપ દુર થઈ જશે. આ સાથે જ શરીરમાં સ્ફુર્તિ રહે છે. સાથે જ તેનાથી રક્ત શુદ્ધ થાય છે અને એનિમિયા મટે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *