આયુર્વેદ

અનેક ઉપાયો અજમાવીને થાકી ગયા હોય તેમ છતાં ન ઘટી હોય વજન, તો કરી જુઓ આ 1 ઉપાય, 10 દિવસમાં દેખાશે ફેરફાર.

દોસ્તો સામાન્ય રીતે રોજની રસોઈમાં દાળ બનતી જ હોય છે. રસોઈમાં ઉપયોગમાં લેવાતી દરેક દાળમાં મગની દાળનું વિશેષ મહત્વ હોય છે. આ દાળ ખાવામાં સ્વાદિષ્ટ હોય છે તેની સાથે જ પોષક તત્વોથી ભરપૂર હોય છે. મગની દાળમાં મેગ્નેશિયમ, ફોલેટ, કોપર, પોટેશિયમ, વિટામિન જેવા તત્વો હોય છે.

મગની દાળનું સેવન કરવાથી શરીરમાંથી ઘણા રોગ દૂર થાય છે અને શરીરમાં રહેલી પોષક તત્વોની ઉણપ પણ દૂર થાય છે. જો તમે ભોજનમાં મગની દાળનો ઉપયોગ કરી ન શકતા હોય તો મગની દાળના પાણીનો ઉપયોગ કરવો.

દાળની જેમ દાળના પાણીમાં પણ પોષક તત્વો હોય છે. મગની દાળના પાણીમાં ઝિંક, ડાયટરી ફાઇબર, વિટામિન, પોષક તત્વો ભરપૂર હોય છે. મગની દાળનું સેવન કરવાની સાથે જ તેના લાભ શરીરમાં ઝડપથી દેખાવા લાગે છે.

જે લોકોને ડાયાબિટીસની સમસ્યા હોય અને સાથે વજન પણ વધારે હોય તો મગની દાળનું પાણી પીવાનું શરૂ કરી દેવું. વજન ઘટાડવા માટે આજ સુધી તમે કરેલા કોઈપણ પ્રયત્ન અસર કરી શક્યા ન હોય તો આ ચોક્કસથી અસર કરશે.

મગનું પાણી પીવાથી પાચન શક્તિ વધે છે અને ચરબી ઓછી થવા લાગે છે. તેનું સેવન કરવાથી શરીરમાં ઇન્સ્યુલિન લેવલ પણ વધે છે જે બ્લડ શુગરને ઘટાડે છે અને ડાયાબિટીઝને કન્ટ્રોલમાં રાખે છે.

મગની દાળનું પાણી પ્રોટીનનો પાવરહાઉસ છે. તે સરળતાથી પચી જાય છે અને શરીરમાં જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે. અઠવાડિયામાં બેથી ત્રણ વખત મગની દાળનું સેવન કરવાથી શરીરને રોગ સામે લડવાની શક્તિ મળે છે.

મગની દાળનું પાણી પીવાથી શરીરમાં રહેલી ગંદકી મળ વાટે બહાર નીકળી જાય છે. જે લોકોને હંમેશા થાક અનુભવાતો હોય અને આળસના કારણે કામ કરી શકાતું ન હોય તેમણે મગની દાળનું પાણી પીવું જોઈએ..

1 કપ મગની દાળનું પાણી પીવાથી શરીરને તુરંત ઉર્જા મળે છે અને થાક તેમજ નબળાઈ દૂર થાય છે. તેને પીવાથી માનસિક શક્તિ પણ વધે છે.

ઉનાળા દરમિયાન શરીરમાં પાણીની ઊણપ રહે છે. પરંતુ જો તમે મગની દાળનું પાણી પીવો છો તો લાંબા સમય સુધી શરીરમાં પાણીની ઉણપ રહેતી નથી. સાથે જ ખોરાકના પાચનમાં પણ મદદ મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *