શરીરની દરેક બીમારીનું કારણ પેટ હોય છે. પેટની તકલીફ હોય એટલે શરીરમાં અલગ અલગ બીમારી થવાની શરુઆત થાય છે. તેમાં પણ જો દિનચર્યા અનિયમિત હોય તો સમસ્યા જટીલ થઈ જાય છે.
શરીરમાં આંતરડું આહાર નળીથી ગુદાના ભાગ સુધી ફેલાયેલું હોય છે. પેટમાં ભોજન જાય ત્યારથી તે મળ બનીને શરીરમાંથી નીકળે ત્યાં સુધી તે આંતરડાની આસપાસ હોય છે.
જો આંતરાડ સ્વસ્થ ન હોય તો ખોરાક બરાબર પચતો નથી. અને પાચન બરાબર ન થવાથી તે શરીરમાંથી પણ બહાર નીકળી શકતું નથી. તેથી આંતરડા સ્વસ્થ હોય તે જરૂરી છે. આજે તમને જણાવીએ કે આંતરડાને સ્વસ્થ કેવી રીતે રાખી શકાય.
સૌથી પહેલા તો મેંદાનો ઉપયોગ ટાળો. મેંદો શરીર માટે ધીમું ઝેર છે. તેનાથી પેટને ભારે નુકસાન થાય છે. તેનું સેવન કરવાથી શરીરને ઘણી બીમારીઓ પણ થાય છે. મેંદામાં ફાયબર નથી હોતું તેથી તેને આંતરડા પચાવી શકતા નથી. તેવામાં આંતરડામાં મેંદો ચોંટી જાય છે.
ધીરે ધીરે આંતરડા મેંદાના કારણે સળવા લાગે છે. સાથે જ અન્ય કચરો પણ આંતરડામાં જામવા લાગે છે. જો આ રીતે આંતરડામાં કચરો જામી જાય તો તેને કાઢવો મુશ્કેલ થઈ જાય છે. તે સરળતાથી નીકળતો નથી અને ધીરે ધીરે અન્ય બીમારીઓને જન્મ આપે છે.
ઘણીવાર સ્થિતિ એવી થઈ જાય છે કે દવા લઈને આંતરડા સાફ કરવા પડે છે. આવી પરિસ્થિતીમાં સૌથી પહેલા તો મેંદો ખાવાનું છોડી દો.
હવે તમને જણાવીએ કે આંતરડાની સફાઈ કઈ રીતે કરવી. આંતરડાને સાફ કરવા માટે બોરેક્સ લાવવું પડશે. તેને સારી રીતે પીસી લેવું અને પછી તવા પર ગરમ કરો.
બોરેક્સ ગરમ તવા પર મુકશો એટલે તેમાંથી પાણી નીકળશે. તે સહેજ ફુલી પણ જશે. હવે તેને ત્યાં સુધી શેકવો જ્યાં સુધી તેમાંથી ફુટવાનો અવાજ બંધ ન થઈ જાય.
બોરેક્સ કાચું ન રહે તે વાતનું ખાસ ધ્યાન રાખવું. હવે આ બોરેક્સને કાચના ડબ્બામાં ભરી લો. હવે તેનો ઉપયોગ જરૂર જણાય ત્યારે કરી શકાય છે. તેના માટે રાત્રે જમ્યા પછી 2 ચમચી પાણીમાં ચણાના દાણા જેટલો આ પાવડર મિક્સ કરો અને તેને પી જવું.
આ ઉપાય કરવાથી પેટની સફાઈ જઈ જાય છે. અને આંતરડામાં જામેલો મળરુપી કચરો બહાર નીકળી જાય છે. જો વર્ષો જૂની કબજિયાત હોય તો 3 દિવસ આ વસ્તુ લઈ લેવી. તમારી કબજિયાતની તકલીફ મટી જશે.