આયુર્વેદ

રોજબરોજ પેટનો દુખાવો રહેતો હોય તો કરો આટલું કામ, ગેસ, અપચો, એસિડિટી, કબજિયાત વગેરેથી મળશે ગેરંટી સાથે આરામ.

દોસ્તો આજના આધુનિક સમયમાં દરેક વ્યક્તિ બહારનું ભોજન ખાવાનું પસંદ કરતો હોય છે. જે સ્વાદમાં તો સ્વાદિષ્ટ હોય છે પંરતુ આપણા સ્વાસ્થ્ય માટે હાનીકારક બની શકે છે. આ બધી વસ્તુઓનું સેવન કરવાને લીધે આપણે અજાણતા બીમારીઓનો શિકાર બની જતા હોઈએ છીએ.

વળી આવશ્યક્તા કરતા વધારે ભોજન કરવાને લીધે પણ પેટમાં ગેસ, અપચો, ઝાડા, એસિડિટી વગેરેની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. આ સાથે બહારની મેદા વાળી વસ્તુઓ આંતરડામાં જામી જતી હોવાને કારણે પણ વિવિધ સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે.

આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને કેટલાક ઉપાયો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેના દ્વારા તમે આસાનીથી પેટના રોગોથી તો રાહત મેળવી શકશો સાથે સાથે પેટનો બધો જ કચરો પણ બહાર આવી જશે.

તમને જણાવી દઈએ કે તમારે આ ઉપાય કરવા માટે કાળા મરીની જરૂર પડશે. જે રસોડામાં આસાનીથી મળી આવે છે. જે ભોજનનો સ્વાદ વધારવાની સાથે સાથે ઘણા રોગો દૂર કરવાનું કામ કરી શકે છે. આજ ક્રમમાં તમે કાળા મરીનો ઉપયોગ કરીને પેટ સાથે જોડાયેલ રોગોને પણ દૂર કરી શકો છો. તો ચાલો આપણે કાળા મરીના ઉપાય વિશે જાણીએ.

આ ઉપાય કરવા માટે તમારે સૌથી પહેલા કાળા મરીને ગ્રાઉન્ડ કરીને પાઉડર તૈયાર કરી લેવાનો રહેશે. હવે તમારે એક ગ્લાસ પાણીને ગરમ કરીને તેમાં આ કાળા મરીના પાવડરને ઉમેરી દેવો જોઈએ. ત્યારબાદ તમારે તેને બરાબર હલાવી દેવું જોઈએ.

હવે તમારે આ મિશ્રણમાં લીંબુનો રસ ઉમેરી દેવો જોઈએ. ત્યારબાદ તમારે તેનું સેવન કરવાનું રહેશે. તમને જણાવી દઈએ કે તમે ઈચ્છતા હોવ તો આ મિશ્રણમાં તમે સંચળ અથવા સિંધવ મીઠું પણ ઉમેરી શકો છો.

તમને જણાવી દઈએ કે તમારે આ ઉપાય અઠવાડિયામાં ત્રણ થી ચાર દિવસ લેવાનો રહેશે. આ સિવાય જો ગેસની સમસ્યા વધારે હોય તો તમે તેને વધારે પ્રમાણમાં લઈ શકો છો. જોકે તેનું એટલું વધારે પ્રમાણમાં સેવન ના કરવું જોઈએ, કારક કે તેનાથી આડઅસર પણ થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *