હવે ગેરંટી સાથે ઘરે બનાવેલી આ દવાથી છાતી અને ગળામાં જામી ગયેલા કફથી મળશે મુક્તિ, ગમે તેવો કફ પીગળીને બહાર આવી જશે.

દોસ્તો હવે શિયાળો લગભગ પૂરો થઈ ગયો છે અને ઉનાળાની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. જેના લીધે લોકો વિવિધ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. હકીકતમાં જ્યારે વાતાવરણમાં પરિવર્તન આવે છે ત્યારે વ્યક્તિને વિવિધ પ્રકારની વાયરલ સમસ્યાઓ હેરાન કરતી હોય છે. જેમાં શરદી, ઉધરસ, તાવ અને કફ જેવી બિમારીઓ પીડિત વ્યક્તિને વધારે હેરાન કરે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને ઘરેલુ ઉપચાર દ્વારા કેવી રીતે કફની સમસ્યાથી મુક્તિ મેળવી શકાય છે, તેના વિશે વિગતે વાત કરવા જઈ રહ્યા છીએ. જો તમે આ ઉપાય અજમાવશો તો ગળા અને છાતીમાં જામી ગયેલો કફ બધો જ બહાર આવી જશે.

તમે ધ્યાન આપ્યું હોય તો જ્યારે વ્યક્તિને શરદી અને કફની સમસ્યા થાય છે ત્યારે તેઓ કેળા ખાવા પર રોક લગાવી દેતાં હોય છે પંરતુ તમને જણાવી દઈએ કે કેળામાં પુષ્કળ પ્રમાણમાં પોટેશિયમ મળી આવે છે. જે શરદી અને ગળામાં જામી ગયેલા કફથી મુક્તિ મળી શકે છે. આ સાથે કેળા ખાવાથી તમારી રોગ પ્રતિકારક શકિતમાં પણ વધારો કરી શકાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

તમે કેળાની માફક અનાનસ નો ઉપયોગ કરીને પણ શરદી ઉધરસ થી રાહત મળી શકે છે. આ માટે તમારે અનાનસ ને દરરોજ ભોજનમાં ઉમેરવું જોઈએ અને તેનું સેવન કરવું જોઈએ. જેનાથી તમારી રોગ પ્રતિકારક શકિતમાં તો વધારો થશે જ સાથે સાથે છાતી અને ગળામાં જામી ગયેલો કફ પણ બહાર આવી જશે.

આજ ક્રમમાં તમારે આદુ અને તુલસીનો ઉપયોગ કરવો જોઈએ. આ બંને વસ્તુઓ વ્યક્તિની રોગો સામે લડવાની શકિતમાં વધારો કરીને વિવિધ વાયરલ રોગોની પીડિત વ્યક્તિને રાહત અપાવી શકે છે. આ સાથે તેનાથી તમારું ગળું પણ સાફ થઈ જાય છે. તમને જણાવી દઈએ કે તમારે તુલસી અને આદુ ના ખાવું હોય તો તમે ફક્ત આદુનો ટુકડો પણ ચૂસી શકો છો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

તમને જાણીને આશ્ચર્ય થશે કે તમે ગોળનો ઉપયોગ કરીને પણ વાયરલ બીમારીઓથી મુક્તિ મેળવી શકો છો. હકીકતમાં ગોળમાં પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમ મળી આવે છે. જે હાડકા મજબૂત કરવાની સાથે કફથી રાહત આપવાનું કામ કરે છે. તમને જણાવી દઈએ કે ગોળની તાસીર ગરમ હોય છે, જે ગળું અને છાતીમાં રહેલા કફને બહાર કાઢવા માટે દબાણ કરી શકે છે.

જો તમે હુંફાળા પાણીમાં લીંબુનો રસ ઉમેરીને સેવન કરવા લાગો છો તો પણ તમારા શરીરમાં ઉર્જા આવી જાય છે સાથે સાથે વાયરલ બીમારીઓ થવાનો ભય રહેતો નથી. જે લોકો શરદી, ઉધરસનો સામનો કરી રહ્યા છે તેવા લોકો માટે આ ઉપાય એકદમ કારગર માનવામાં આવે છે. તેનાથી માનસિક શકિતમાં પણ વધારો કરી શકાય છે.

જો તમે આવી જ અવનવી સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચે આપેલું લાઈક બટન દબાવીને આ પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment