આયુર્વેદ

આ વસ્તુ ખાઈ લેશો તો 30 વર્ષની ઉંમરે પણ 20 વર્ષ જેવી સ્ફૂર્તિ અને તાકાત આવી જશે, કેલ્શિયમ અને વિટામિન ની ઉણપ થશે દૂર.

દોસ્તો આજના આધુનિક સમયમાં સ્વસ્થ રહેવા માટે યોગ્ય આહાર અને સારી જીવનશૈલી નો અમલ કરવો ખૂબ જ જરૂરી બની જાય છે. અત્યારના આધુનિક સમયમાં લોકો પોતાના ભોજન ઉપર ધ્યાન આપી શકતા નથી, જેના લીધે તેઓને લાંબા ગાળે બીમારીઓનો સામનો કરવો પડતો હોય છે.

તમે ધ્યાન આપ્યું હોય તો અત્યારના આધુનિક સમયમાં મહિલાઓ દરેક ક્ષેત્રમાં પોતાની નામના બનાવી રહી છે પરંતુ વ્યવસાયના ક્ષેત્રમાં દરેક પ્રગતિ પ્રાપ્ત કરવા છતાં મહિલાઓ પોતાની સ્વાસ્થ્યની અવગણના કરતી હોય છે અને 30 વર્ષની આસપાસ તેઓની ઉંમર પહોંચતાં પહોંચતાં તેઓ વિવિધ પ્રકારની બીમારીઓનો શિકાર પણ થઈ જતી હોય છે.

આ સાથે મોટાભાગની મહિલાઓમાં 30 વર્ષની ઉંમર બાદ શરીરમાં કેલ્શિયમની ઉણપ પણ દેખાવા મળતી હોય છે, જેના લીધે તેઓ પોતાની જીવનશૈલીમાં સુધાર કરવા માટે વિવિધ પ્રકારના ઉપાય પણ અપનાવતી હોય છે.

આ જ ક્રમમાં આજે અમે તમને કેટલાક એવી વસ્તુઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેને તમે પોતાના ભોજનમાં સામેલ કરીને શરીરમાં વિવિધ પોષક તત્વોની કમીને દૂર કરી શકો છો. અત્યારના આધુનિક સમયમાં ઘણા લોકો શરીરમાં લોહીની ઊણપને કારણે પરેશાનીઓનો સામનો કરવા આવતા હોય છે, જેને એનેમીયા તરીકે ઓળખવામાં આવે છે.

જ્યારે કોઈ વ્યક્તિ તેની સમસ્યા થાય છે ત્યારે તેના શરીરમાં લાલ રક્તકણો અભાવ ઉત્પન્ન થાય છે પરંતુ જો લોકો આર્યન થી ભરપુર ખોરાકનું સેવન કરવા લાગે છે તો તેમના શરીરમાં લોહીની કમી નો સામનો કરવો પડતો નથી. આ ખોરાકમાં કઠોળ, વટાણા, શાકભાજી અને કિસમિસ નો ઉપયોગ કરી શકાય છે.

આ જ ક્રમમાં 30 વર્ષની ઉંમર પછી મહિલાઓને શરીરમાં કેલ્શિયમ અને વિટામિન ની કમી નો સામનો કરવો પડતો હોય છે. જેના લીધે તેઓ ના હાડકા પણ નબળા બની જાય છે.

તેથી તમે તમારા હાડકાંને મજબૂત બનાવવા અને કેલ્શિયમની ઉણપને દુર કરવા માટે પોતાના આહારમાં કેટલીક વસ્તુઓની સામેલ કરી શકો છો. જેમાં દૂધ, ખજૂર અને અંજીર જેવા કેલ્શિયમ યુક્ત ખોરાક નો સમાવેશ થાય છે. દરેક વ્યક્તિ માટે યોગ્ય સમયે પાણી પીવું ખૂબ જ જરૂરી હોય છે.

જો યોગ્ય સમયે પાણી પીવામાં ન આવે તો ડીહાઇડ્રેશનની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે પરંતુ કામના ભારને કારણે લોકો પાણી પીવાનું ભૂલી જતા હોય છે અને તેઓને ડીહાઇડ્રેશનની સમસ્યા થાય છે. વળી અસર તમારી ત્વચા ઉપર દેખાવા મળે છે. આવામાં જો તમે તમારી ત્વચાને સુંદર બનાવી રોગોને દૂર રાખવા માંગતા હોય તો તમારે દિવસ દરમિયાન ચારથી પાંચ લિટર પાણી પીવું જોઈએ.

ફળ અને શાકભાજીમાં વિવિધ પ્રકારના એન્ટીઓક્સીડેન્ટ તત્વ મળી આવે છે, જે તમારા શરીરને તંદુરસ્ત રાખવા નું કામ કરે છે તેથી તમારે પોતાના ભોજનમાં અલગ અલગ પ્રકારના ફળો અને શાકભાજીઓ સામેલ કરવા જોઇએ.

જો તમે પોતાના વજનને ઓછું કરવા માટે ડાયટીંગ કરી રહ્યા છો અને વિશેષ પ્રકારના ભોજનથી દૂર રહી રહ્યા છો તો તમારે પોતાના ડોક્ટર સાથે અવશ્ય વાત કરવી જોઈએ. કારણ કે અમુક પ્રકારના પોષક તત્વોથી સમૃદ્ધ ખોરાકનું સેવન ન કરવાને કારણે આપણે વિવિધ પ્રકારની બીમારીઓનો સામનો કરતાં હોઈએ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *