આયુર્વેદ

આજથી જ રસોડામાં રહેલા આ દાણાને ગોળ સાથે ખાવા લાગો, વજન ઓછું કરવાથી લઈને હૃદય રોગથી મળશે આરામ.

દોસ્તો રસોડામાં જીરૂ અને ગોળ આસાનીથી મળી આવે છે. આ બંને વસ્તુઓનું મિશ્રણ પોષક તત્વોથી સમૃદ્ધ માનવામાં આવે છે. જે તમારા શરીરની મોટાભાગની બીમારીઓને દૂર કરીને તમને તંદુરસ્ત બનવાનું કામ કરે છે. જીરૂનો ઉપયોગ રસોડામાં દાળ અને શાકભાજીમાં કરવામાં આવતો હોય છે પંરતુ જો તમે તેને ગોળ સાથે ખાવા લાગશો તો તેનાથી તમે ઘણી બીમારીઓથી નિજાત મેળવી શકશો.

જો તમે ડાયાબિટીસ ની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમારે ગોળ અને જીરુંનું સેવન કરવું પડશે. આ માટે તમારે પાણીમાં જીરૂ અને ગોળ ઉમેરીને ગરમ કરવા માટે મૂકી દેવું પડશે. હવે જ્યારે પાણી ઠંડું થાય ત્યારે તેનું સેવન કરવું પડશે. આ ઉપાય કરવાથી તમારું બ્લડ સુગર કાબૂમાં રહેશે અને વજન પણ આસાનીથી ઓછું કરી શકાશે.

જ્યારે આપણા શરીરમાં લોહીની કમી ઊભી થાય છે ત્યારે તેને એનિમિયા તરીકે ઓળખવામાં આવે છે. વળી ગર્ભાવસ્થા દરમિયાન પણ મહિલાઓ ગોળ સાથે જીરુંનું સેવન કરવું જોઈએ. હકીકતમાં ગોળમાં ભરપૂર માત્રામાં આયરન મળી આવે છે, જે તમારા શરીરમાં લોહીની કમી પૂરી કરવાનું કામ કરે છે. વળી તેનાથી બ્લડ સરક્યુલેશન પણ સારી રીતે થઈ શકે છે.

તમને જણાવી દઈએ કે હાઈ બ્લ્ડ પ્રેશર આપણા હૃદય સાથે જોડાયેલ રોગ છે. તેના પર તરત જ કાબૂ મેળવી લેવો જરૂરી બની જાય છે. ગોળ અને જીરૂ એવા બે પદાર્થ છે, જે આપણા શરીરને ઘણા રોગોથી દૂર રહેવાનું કામ કરે છે અને બ્લડ પ્રેશર ને કાબૂમાં રાખે છે. હકીકતમાં તેમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ મળી આવે છે, જે બ્લડ પ્રેશરને કાબૂમાં રાખવાનું કામ કરે છે.

સામાન્ય રીતે આપણા શરીરમાં હાડકાને મજબૂત રાખવા માટે કેલ્શિયમ ની જરૂર હોય છે. જોકે જીરૂ અને ગોળ માં કેલ્શિયમ ભરપૂર માત્રામાં મળી આવે છે. જે હાડકાને મજબૂત કરવાનું કામ કરે છે. જો ખેલાડીઓ અને બાળકો ગોળ સાથે જીરુંનું સેવન કરે છે તો તેમના હાડકા મજબૂત બની જાય છે અને તે ભાગી જવાની સમસ્યા રહેતી નથી.

એક રિપોર્ટ અનુસાર હૃદય રોગથી પીડાય રહેલા લોકોની સંખ્યા સૌથી વધારે છે અને જો કોઈ બીમારીથી વિશ્વના લોકો સૌથી વધારે મૃત્યુ પામે છે તો તે રોગ હૃદય રોગ છે. જોકે ગોળ અને જીરુંનું સાથે સેવન કરવામાં આવે તો તેમાં રહેલા પોષક તત્વો તમને હૃદયરોગ થી છુટકારો મેળવવામાં મદદ કરી શકે છે.

જો તમે તમારી રોગ પ્રતિકારક શક્તિ ને મજબૂત કરવા માંગો છો તો તમે ગોળ સાથે જીરુંનું સેવન કરી શકે છે. હકીકતમાં આ બંનેમાં એવા તત્વો મળી આવે છે, જે એન્ટી ઓક્સિડન્ટ ગુણોથી સમૃદ્ધ છે અને ખરાબ બેક્ટેરિયા સામે લડવાનું કામ કરે છે. તેથી તમે આ બંને ને મિક્સ કરીને ખાવાનું શરૂ કરી દેવું જોઈએ. જેનાથી વાયરલ રોગો તો દૂર થાય જ છે સાથે સાથે સંક્રમણ રોગથી રાહત મળી શકે છે.

સામાન્ય રીતે આપણા શરીરમાં પેટને ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. કારણ કે શરીરમાં મોટાભાગના રોગો પેટથી શરૂ થાય છે અને જો તમારું પેટ સારું હશે તો તમે ઘણા રોગોથી દૂર રહી શકશો. આજ ક્રમમાં જીરૂ અને ગોળમાં ફાઈબર મળી આવે છે, જે તમને ઘણા રોગોથી દૂર રાખીને પાચનશક્તિને મજબૂત કરવાનું કામ કરે છે.

જો તમે આવી જ અવનવી સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચે આપેલું લાઈક બટન દબાવીને આ પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *