દોસ્તો વર્તમાન સમયમાં ઉધરસ થવી એ સામાન્ય બની ગઈ છે. વાતાવરણમાં થતા ફેરફાર અને અનિયમિત જીવનશૈલીને કારણે લોકો ઉધરસ કફ શરદી નો શિકાર સૌથી પહેલાં થઈ જાય છે.
શરદી કફ ઉધરસ ગંભીર બીમારીનું લક્ષણ હોઈ શકે છે તે વાત પણ આપણે સમજી ચૂક્યા છીએ. તેથી જ હવે લોકો આ નાની બીમારીઓને પણ ગંભીરતાથી લેતા થયા છે અને તેની શરૂઆત થતાં જ તેના ઈલાજની પણ શરૂઆત કરી દે છે.
દોસ્તી જોકે ઘણા લોકોને શરદી ઉધરસ એલર્જીના કારણે પણ થતી હોય છે અને પ્રદૂષણના કારણે પણ થતી હોય છે. તેવામાં જ્યારે પણ શરદી ઉધરસ થાય ત્યારે દવા લેવી એ યોગ્ય નથી.
વારંવાર દવા ખાવાથી તેની આડઅસર પણ થઈ શકે છે. વળી શરદી અને ઉધરસની દવા કરવામાં ન આવે તો વ્યક્તિને કામ કરવામાં પણ મન નથી લાગતું અને ઊંઘ પણ બરાબર થતી નથી. તેથી તેની સારવાર પણ જરૂરી છે.
તો ચાલો તમને આજે આ અસર ન કરે તેવી અને શરદી ઉધરસ ની કાયમી દવા છે તેવી વસ્તુ વિશે જણાવીએ.
જ્યારે શરદી ઉધરસ થાય છે તો ગળામાં દુખાવો થાય છે બળતરા થાય છે અને ઉધરસ ખાતી વખતે છાતીમાં પણ દુખે છે. આ બધા જ લક્ષણોને દૂર કરીને ઉધરસને કાયમ માટે મટાડી શકે છે ગંઠોડા.
શરદી કફની સમસ્યા માટે ગંઠોડા ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. જો તમારો ખોટો હોય અને તમને વારંવાર ઉધરસ કે કફ થઈ જતો હોય તો આ ઉપાય તમારે અચૂક કરવો જોઈએ.
તેના માટે તમારે ગંઠોડા અને પીપરીમૂળ નું મિશ્રણ કરીને પાઉડર બનાવી લેવો. જ્યારે પણ જરૂર પડે ત્યારે આ પાવડર ની એક ચમચી માં થોડી હળદર અને મધ ઉમેરીને ચાટી જવું.
જો ઉધરસ વધારે હોય તો દિવસ દરમ્યાન એક એક કલાક પછી આ પાવડરને મધ અને હળદર સાથે ચાટી લેવો. તેનાથી એક જ દિવસમાં તમને ઉધરસમાં રાહત જણાશે.
દિવસ દરમિયાન ત્રણથી ચાર વખત પાવડર લઇ લેવાથી રાત્રે ઉંઘ પણ સારી આવશે અને બીજા દિવસે તમને ઉધરસ મટી હોય તેવું પણ લાગશે.