આયુર્વેદ

માત્ર 1 મહિના સુધી પીવાનુ શરૂ કરી દો આ ચા, ક્યારેય નહીં ખાવી પડે મોંઘી દવાઓ, કોલેસ્ટ્રોલ, હૃદય રોગથી મળશે આરામ.

દોસ્તો શિયાળાની ઋતુ આવતાની સાથે જ બજારમાં વિવિધ પ્રકારના ફળ મળવા લાગ્યા છે. આ ફળો પૈકી જામફળનું ફળ એક એવું ફળ છે, જે તમને વિવિધ રોગથી સુરક્ષિત કરવાનું કામ કરે છે. હકીકતમાં જામફળમાં ઘણા પોષક તત્વો મળી આવે છે, જે તમને વિવિધ પ્રકારની સમસ્યાથી બચવાનું કામ કરે છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે જામફળ કરતા જામફળના પાનમાં વધારે પોષક તત્વો મળી આવે છે, જે તમને બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે. જો તમે જામફળના પાનની ચા બનાવીને પીવો છો તો તમે આસાનીથી ઘણા રોગોથી સુરક્ષિત રહી શકો છો અને તેમાં રહેલા એન્ટી તત્વો તમારી રોગ પ્રતિકારક શકિત વધારવાનું કામ કરે છે. તો ચાલો આપણે જામફળના પાનની ચા બનાવવાની રીત અને તેનાથી થતા ફાયદાઓ વિશે એક પછી એક જાણીએ.

જામફળના પાન ની ચા બનાવવા માટે તમારે જામફળના પાન, 1/3 ચમચી ચા પત્તા, 1-1/2 કપ પાણી અને મધની આવશ્યકતા રહેશે.

હવે તમારે ચા બનાવવા માટે આશરે 10 પાનને સારી રીતે ધોઈ લો અને પાણીને મધ્યમ ગેસ પર ગરમ કરવા માટે મૂકી દો. હવે બે મિનિટ થાય ત્યારે જામફળના પાન મૂકી દો. હવે તેમાં ચા પત્તા અને મધ ઉમેરી લો. આ રીતે એકદમ મીઠાશ યુક્ત ચા તૈયાર થઈ જશે.

સામાન્ય રીતે હૃદય રોગ થવા પાછળ ખરાબ કોલેસ્ટ્રોલ જવાબદાર માનવામાં આવે છે. જ્યારે આપણા શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલની માત્રામાં વધારો થઈ જશે ત્યારે વિવિધ પ્રકારના રોગો આપણા શરીરને ઘેરી લે છે, જે પૈકી હૃદયરોગ સૌથી વધારે હેરાન કરે છે.

આવામાં જો તમે જામફળ ના પાન ની બનેલી ચાનુ સેવન કરો છો તો શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું થઈ જાય છે અને આસાનીથી હૃદય રોગથી છુટકારો મળી શકે છે. વળી જામફળ ના પત્તા ની ચા બનાવીને પીવાથી બ્લડપ્રેશર પણ કાબૂમાં આવી જાય છે.

જે લોકો ડાયાબીટિસની સમસ્યાથી જજુમી રહ્યા છે તેવા લોકોએ પણ જામફળ ના પત્તા ની ચા બનાવીને પી શકે છે. હકીકતમાં જામફળના પત્તામાં ઇન્સ્યુલિન વધારવાના ગુણો હોય છે, જેથી ડાયાબિટીસ આસાનીથી દૂર કરી શકાય છે અને બ્લડ સુગર લેવલ કાબુમાં કરી શકાય છે. તેથી જો તમે ડાયાબિટીસ નો સામનો કરી રહ્યા છો તો તમારે દૂધને બદલે જામફળના પત્તાની ચા બનાવીને પીવી જોઇએ.

જ્યારે આપણા શરીરમાં ટોક્સિજનની માત્રા વધી જાય છે ત્યારે ચહેરા પર ખીલ-ડાઘ વગેરે જોવા મળે છે પરંતુ જો તમે જામફળ ના પત્તા ની ચા બનાવીને પીઓ છો તો તેમાં ટોક્સિન બહાર કાઢવાના ગુણો હોય છે, જેનાથી તમારા ચહેરા ઉપર ખીલ ડાઘ જોવા મળતા નથી અને ચહેરો એકદમ ચમકદાર બનાવી શકાય છે. આ સિવાય જો તમે જામફળ ના પત્તા નો લેપ બનાવીને ખીલ પર લગાવો છો તો પણ બે દિવસ માં ખીલ દૂર થઇ જાય છે.

તમે ધ્યાન આપ્યું હોય તો શિયાળાની ઋતુમાં વાળ ખરવાની સમસ્યા વધી જતી હોય છે. જો તમે પણ આ સમસ્યાથી પીડાઈ રહ્યા છો તો તમારી જામફળ ના પત્તા ની ચા બનાવીને પીવી જોઇએ. હકીકતમાં તેમાં ઔષધિય ગુણ મળી આવે છે, જે વાળ ખરવાની સમસ્યાથી તમને ઝડપી ધોરણે છુટકારો અપાવે છે.

જો તમે આવી જ અવનવી સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચે આપેલું લાઈક બટન દબાવીને આ પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *