કોલેસ્ટ્રોલ લેવલ વારંવાર વધી જતું હોય તો કરી લો આ કામ, હૃદય રોગ થવાનો નહીં રહે ભય…

શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલ વધી જવાની સમસ્યાને હાઈપરકોલેસ્ટેરોલેમિયા તરીકે ઓળખવામાં છે. શરીરમાં કોલેસ્ટ્રોલ વધુ થવા પાછળ વધુ ચરબી યુક્ત ખોરાકનું સેવન અથવા શારીરિક પ્રવૃત્તિનો અભાવ હોઈ શકે છે. આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને કોલેસ્ટ્રોલ લેવલને કાબૂમાં કરવા પાછળના કેટલાક ઉપાય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

કોલેસ્ટ્રોલને ઘટાડવા માટે સરસવનું તેલ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ માટે રસોઈમાં સરસવના તેલનો ઉપયોગ કરો, તેનાથી શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધતું નથી.

સરસવના તેલમાં મોનોઅનસેચ્યુરેટેડ ફેટ અને પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ હોય છે, જે શરીર માટે સારા ગણાય છે. રસોઈ માટે અન્ય તૈલીય પદાર્થોની સરખામણીમાં સરસવના તેલનો ઉપયોગ કરવાથી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આમળા પણ કોલેસ્ટ્રોલની સમસ્યાને ઓછી કરવામાં મદદરૂપ છે. આમળામાં સાઈટ્રિક એસિડ અને વિટામિન સી જેવા તત્વો મળી આવે છે જે શરીરમાં કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે. એલોવેરાનો રસ આમળાના રસમાં મિક્સ કરીને સવારે ખાલી પેટ પીવાથી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે.

કોલેસ્ટ્રોલની સારવાર માટે લીંબુ ખૂબ જ ફાયદાકારક છે. લીંબુને એક ખાટા ફળ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં દ્રાવ્ય ફાયબર હોય છે. લીંબુનું નિયમિત સેવન શરીરના ખરાબ કોલેસ્ટ્રોલને લોહીમાં જતા અટકાવવામાં મદદ કરે છે. લીંબુમાં જોવા મળતું વિટામિન સી રક્ત વાહિનીઓની નળીઓને સાફ કરવામાં અને તેમાં એકઠા થતા કોલેસ્ટ્રોલને દૂર કરવામાં મદદરૂપ છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

અખરોટનો ઉપયોગ કોલેસ્ટ્રોલની સારવાર માટે કરવામાં આવે છે. અખરોટમાં ઘણા પોષક તત્વો મળી આવે છે, જે શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલને બહાર કાઢીને કોલેસ્ટ્રોલની માત્રાને નિયંત્રિત કરે છે. દરરોજ 3 થી 4 અખરોટનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે.

કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડવાના ઘરેલુ ઉપચારમાં ઓટ્સ ફાયદાકારક છે. જેમના શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધી રહ્યું છે, તેમને લગભગ 1 થી 2 મહિના સુધી દરરોજ ઓટ્સ ખાવાની સલાહ આપવામાં આવે છે.

ઓટ્સમાં ગ્લુકેન નામનો જાડો અને ચીકણો પદાર્થ હોય છે, જે રક્ત વાહિનીઓની નળીઓને સાફ કરીને કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. આ સિવાય સોયાબીન, દાળ અને અંકુરિત અનાજનું નિયમિત સેવન કરવાથી પણ કોલેસ્ટ્રોલ ઘટાડી શકાય છે.

અળસીના બીજનો ઉપયોગ કોલેસ્ટ્રોલની સારવાર માટે થાય છે. શરીરમાં વધતા કોલેસ્ટ્રોલને ઘટાડવા માટે અળસીના બીજ ખૂબ જ અસરકારક છે. અળસીના બીજનું સેવન અથવા તેના બીજનો પાવડર છાશમાં મિક્સ કરીને ખાવાથી ફાયદો થાય છે.

કિસમિસ પણ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદરૂપ છે. હકીકતમાં વધતા કોલેસ્ટ્રોલની સમસ્યાથી છુટકારો મેળવવા માટે કિસમિસ એક સારો ઉપાય છે. હવે આ કિસમિસને સવારે ખાલી પેટ ખાઓ. તેનાથી કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરીને કોલેસ્ટ્રોલને ઘટાડી શકાય છે.

Leave a Comment