શરીરના દુખાવા, ધાધર, ખરજવું, પેટના રોગો, શરદી-ઉધરસ સહિત ઘણા અગણિત રોગોનો ઈલાજ છે આ ખાસ વસ્તુનું તેલ, મળે છે 100% ટકા પરિણામ.

શરીરના દુખાવા, ધાધર, ખરજવું, પેટના રોગો, શરદી-ઉધરસ સહિત ઘણા અગણિત રોગોનો ઈલાજ છે આ ખાસ વસ્તુનું તેલ, મળે છે 100% ટકા પરિણામ.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આપણા ભારત દેશમાં એવા ઘણા પ્રકારના તેલ મળી આવે છે, જેનો ઉપયોગ ભોજન બનાવવા, ત્વચાની સુંદરતા વધારવા, રોગોના ઉપચાર માટે કરવામાં આવે છે. જોકે આજે અમે તમને નિલગિરી તેલ વિશે માહિતી આપવા જઈ રહ્યા છે, આ તેલનો ઉપયોગ ભોજન બનાવવા માટે તો કરવામાં આવે જ છે સાથે સાથે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ તે ખૂબ જ ફાયદાકારક છે.

નીલગીરી નું તેલ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક હોય છે. આ તેલ નીલગીરીના પાનમાંથી બનાવવામાં આવે છે, જે ઘણા પ્રકારના રોગોના ઉપચાર માટે કામ આવે છે. આ તેલમાં કોઈપણ પ્રકારનો સ્વાદ હોતો નથી. તમને જાણીને હેરાની થશે કે નીલગીરી તેલ આલ્કોહોલમાં ઝડપથી ઓગળી જાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જેનો ઉપયોગ એક એન્ટિઓક્સિડન્ટ ના રૂપમાં પણ કરવામાં આવે છે. તેની ખાસ વાત એ છે કે નીલગીરી તેલ જેટલું જૂનું હોય છે એટલું જ અસરકારક હોય છે, જે મલેરિયા સાથે ગળા ના દુખાવા થી પણ રાહત આપે છે.

નીલગીરી તેલને સૌથી સારો એન્ટિસેપ્ટિક માનવામાં આવે છે. કારણ કે આ તે એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. નીલગીરી તેલ નો ઉપયોગ ઘાને ઠીક કરવા માટે થાય છે સાથે સાથે જો તમે અલ્સરની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તેનાથી પણ રાહત મળી શકે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

નીલગીરી તેલ ગળાના દુખાવા થી રાહત આપે છે. આ સાથે જે લોકોને ગળાની ખરાશ થઈ હોય તો તેને પણ દૂર કરે છે. હકીકતમાં નીલગીરી તેલમાં એન્ટી-બેક્ટીરિયલ ગુણ મળી આવે છે, જે કફને બહાર કાઢે છે અને તમને ઉધરસ અને ગળાના દુખાવાથી રાહત આપે છે.

નિલગિરીનું તેલ સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ ઘણુ ફાયદાકારક છે. જેનાથી શરીર માં દુખાવા અને સોજા ની સમસ્યાથી રાહત મેળવી શકાય છે. હકીકતમાં આજની ભાગદોડ ભરી જીંદગીમાં લોકો શરીરમાં ઘણા પ્રકારના દુખાવા નો સામનો કરતા હોય છે.

જો આ લોકો નિલગિરીના તેલની માલિશ કરે છે તો તેનાથી સોજો અને દુખાવાથી રાહત મળે છે. નિલગિરીનું તેલ ફંગલ ઇન્ફેક્શનનો પ્રભાવ ઓછો કરવા માટે કામ કરે છે. તેમાં મળી આવતા એન્ટિફંગલ ગુણો ફંગલ ઇન્ફેક્શન જેમ કે ધાધર, ખરજવું વગેરે સામે લડવામાં મદદ કરે છે.

આ ફંગલ ઇન્ફેક્શન ઘણા પ્રકારની બીમારીઓનું કારણ બની શકે છે. નીલગીરી તેલ માં મળતા ગુણો નખમાં થતાં ઇન્ફેકશન ની સાથે સાથે ઘણા પ્રકારના ફંગલ ઇન્ફેક્શનને રોકવામાં મદદ કરે છે.

નિલગિરીનું તેલ સામાન્ય રીતે તાવ અને શરદી માં પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. જેનાથી શરીરનું તાપમાન ઓછું થાય છે અને તમને તાવથી રાહત મળે છે. આ સાથે નિલગિરીના તેલના એન્ટીવાયરલ ગુણ મળી આવે છે, જે વાઇરલ ઇન્ફેક્શનથી રાહત આપવા માટે કામ કરે છે.

જો તમને માસપેશીઓમાં દુખાવાની સમસ્યા થઈ રહી હોય તો પણ નિલગિરીનું તેલ ફાયદાકારક રહે છે. નીલગીરીના તેલની માલિશ કરવાથી માંસપેશીઓનો દુઃખાવો દૂર થાય છે. જે લોકોને ગઠિયા, કમરનો દુખાવો, સાંધાના દુખાવા નો સામનો કરી રહ્યા છે તેવા લોકોએ નીલગીરીના તેલની માલિશ કરવી જોઈએ.

નિલગિરીના તેલમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ મળી આવે છે, જે પેટમાં થતા દુખાવાને દૂર કરે છે. આ સાથે જો તમને કબજિયાત, એસીડીટી ની સમસ્યા રહેતી હોય તો પણ તેનાથી રાહત મળી શકે છે.

તમે નીલગીરીના તેલનો ઉપયોગ ઘણી રીતે કરી શકો છો. જેમકે નીલગીરી ના તેલ ની ખુશ્બુ ખૂબ જ સારી હોય છે. જેના લીધે તમે રૂમ ફ્રેશનર તરીકે પણ તેનો ઉપયોગ કરી શકો છો. જો તમે સ્નાન કરવા જઈ રહ્યા છો તો નહાવામાં પાણીમાં નિલગિરી તેલનો ઉપયોગ કરી શકો છો.

આ સાથે સ્પામાં માલિશ કરીને પણ નીલગીરી તેલ નો ઉપયોગ કરવામાં આવે છે. આ સિવાય જો તમે મોઢામાં ગંધ આવવાની સમસ્યા રહેતી હોય તો પણ તમે માઉથવોશ તરીકે પણ નીલગીરી તેલ નો ઉપયોગ કરી શકો છો.

Leave a Comment