100થી વધારે બીમારીઓ દૂર કરે છે આ ખાસ વસ્તુ, પીવા માત્રથી પેટ થઈ જાય છે એકદમ સાફ, માનવામાં આવે છે અમૃત સમાન.
દોસ્તો જીરુ દરેક ભારતીય ઘરોમાં આસાનીથી મળી આવે છે, જે ભોજનનો સ્વાદ વધારવાની સાથે સાથે ઘણા ઔષધીય ગુણોથી પણ સમૃદ્ધ છે. જેનો ઉપયોગ કરીને તમે ઘણી સમસ્યાઓ દૂર કરી શકો છો. આ માટે તમારે સવારે ઊઠીને જીરાનું પાણી પીવું જોઈએ. જે તમને ઘણી બીમારીઓથી દૂર રાખે છે અને ડોક્ટરી દવાઓનો ખર્ચ પણ બચી જાય છે.
દરેક ઘરના રસોઈમાં રાજ કરનાર જીરું ઘણા ગુણોની ખાણ છે. તેનો ઉપયોગ ફક્ત ભોજનમાં સ્વાદ વધારવાની સાથે સાથે ઘણા ઔષધીય ગુણોથી સમૃદ્ધ છે. જો તમને કોઈ પેટ સંબંધી સમસ્યા થઈ હોય, વજન ઓછું કરવું હોય,
પીરીયડ ની સમસ્યા હોય કે માતાને ધાવણ ઓછું આવતું હોય તો પણ જીરૂ રામબાણ સાબિત થઇ શકે છે. જીરુમાં એન્ટીઓક્સીડન્ટ મળી આવે છે, જેમાં ફાઈબર પણ હોય છે. જેનાથી ઘણી બીમારીઓ દૂર કરી શકો છો.
જીરુ વજન વધારાની સમસ્યાને પણ દૂર કરી શકે છે. જે લોકોને પેટની ચરબી વધી ગઈ હોય અને ચરબીના થર જામી ગયા હોય તેનાથી પણ જીરૂ પાણી રામબાણ સાબિત થઈ શકે છે. હકીકતમાં તેનાથી એક્સ્ટ્રા કેલરી બર્ન કરવામાં પણ મદદ કરે છે.
પેટ અને પાચન ક્રિયા માટે પણ જીરૂ ખૂબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે. જીરુનું સેવનથી પેટ નો ગેસ, એસિડિટી, અપચો વગેરેથી રાહત મળી શકે છે. આ માટે એક ગ્લાસ પાણીમાં એક ચમચી જીરું નાખીને ગરમ કરી લેવું જોઈએ. હવે તેનું સેવન કરવાથી રાહત મળી શકે છે.
શરીરમાં લોહીની કમી કમજોરી અને ચક્કર આવવાની કારણે થઈ શકે છે. જીરુમાં આયર્નનું પ્રમાણ સારું હોય છે, જેના કારણે શરીરમાં લોહીની કમી દૂર કરી શકાય છે. આ સાથે તમે એનિમિયા ની સમસ્યા હોય તો પણ જીરૂનું સેવન કરવાથી દૂર થઈ શકે છે. આ સાથે તેનાથી હિમોગ્લોબીનની ઊણપ પણ દૂર કરી શકાય છે.
મહિલાઓમાં પિરિયડ એક એવી પ્રક્રિયા છે, જેનાથી દરેક મહિલાને પસાર થવું પડે છે પરંતુ ઘણી વખત મહિલાઓને પીરિયડ્સ ની અનિયમિત સમસ્યા રહે છે. આ સાથે ઘણી વખત પિરિયડ દરમિયાન દુખાવાની પણ સમસ્યા રહે છે.
આ માટે તમારે જીરૂ પાણીમાં થોડું મિક્સ કરીને સેવન કરવું જોઈએ. જેનાથી અનિયમિત પીરિયડ્સ અનિયમિત થઈ જાય છે અને પેટમાં દુખાવાની સમસ્યા પણ દૂર થાય છે.
ડાયાબિટીસની બીમારી સામે ઝઝૂમી રહેલા લોકો માટે પણ જીરૂ ખૂબ જ ફાયદાકારક છે. જે શરીરમાં ઇન્સ્યુલિન ઉત્પાદનમાં વધારો કરે છે અને બ્લડ ગ્લુકોઝ ને કાબુમાં રાખે છે. જેનાથી ટાઈપ ટૂ ડાયાબિટીસ ધરાવતા લોકોને આસાનીથી રાહત મળી શકે છે.
આ માટે તમારે ભોજનના અડધો કલાક પછી એક ગ્લાસ પાણીનું સેવન કરવું જોઈએ. ફક્ત ભોજન સાથે જ નહીં પરંતુ ખાલી પેટે જીરૂ ખાવાથી ઘણા ફાયદા થાય છે. આજ કારણ છે કે વૃદ્ધ વડિલો આપણને સવારે ખાલી પેટ જીરૂ ખાવાની સલાહ આપતા હતા.
જીરું આયર્ન, કોપર, કેલ્શિયમ, પોટેશિયમ, ઝીંક અને મેગ્નેશિયમ ભરપૂર પ્રમાણમાં મળી આવે છે. આ સાથે વિટામિન એ, સી અને બી કોમ્પ્લેક્ષ વિટામીન પણ મળી આવે છે, જે શરીરને મજબૂત બનાવવા માટે કામ કરે છે.