સામાન્ય રીતે આયુર્વેદમાં એવા ઘણા ફળ, ફૂલ, છોડ અને ઔષધીઓ વિશે વર્ણન કરવામાં આવ્યું છે, જે ઘણી બીમારીઓને દૂર કરીને આપણને સ્વસ્થ બનાવવા માટે કામ કરે છે. આવી જ એક વસ્તુ અર્જુનની છાલ છે. જે શારીરિક સમસ્યાઓ દૂર કરીને તમને સ્વસ્થ જીવન આપવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને અર્જુનની છાલનો ઉપયોગ કેવી રીતે કરવો અને તેનાથી કંઈ બીમારીઓ દૂર થઈ શકે છે, તેના વિશે વિગતવાર માહિતી આપવા જઈ રહ્યા છીએ.
અર્જુનની છાલનો ઉપયોગ ડાયાબિટીસના દર્દીઓ માટે મદદગાર સાબિત થઈ શકે છે. હકીકતમાં અર્જુનની છાલમાં એન્ટી બાયોટિક ગુણ મળી આવે છે. જે કિડની અને બ્લડ સુગર ની કાર્યક્ષમતા વધારીને ડાયાબિટીસની સમસ્યા દૂર કરવા માટે કામ કરે છે. આજ કારણ છે કે અર્જુન ની છાલનો ઉપયોગ તમને રાહત આપી શકે છે.
જો તમે ઘણા સમયથી હૃદય સાથે જોડાયેલ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમારે અર્જુન ની છાલનો ઉપયોગ કરવો જ જોઈએ. હકીકતમાં અર્જુન ની છાલમાં ટ્રાઇટરપેનોઇડ નામનું એક રસાયણ મળી આવે છે, જે હૃદય રોગીઓના સ્વાસ્થય માટે ખૂબ જ કારગર સાબિત થઈ શકે છે. આ સાથે જે લોકો હાઈ બ્લડ પ્રેશર અથવા કોલેસ્ટ્રોલ સંબંધિત સમસ્યાઓનો સામનો કરે છે એવા લોકો પણ અર્જુનની છાલનો ઉપયોગ કરી શકે છે.
કાનમાં દુઃખાવો થવા પાછળ બેક્ટેરિયલ ઇન્ફેક્શન જવાબદાર માનવામાં આવે છે. આ ઇન્ફેક્શન ને લીધે કાનમાં દુખાવાની સમસ્યા થાય છે. જોકે તમે આ સમસ્યાથી પરેશાન થઈ ગયા છો તો તમારા માટે અર્જુન ની છાલનો અર્કનો ઉપયોગ કરવો જોઈએ. હકીકતમાં અર્જુન ની છાલમાં એન્ટી બેક્ટેરિયલ ગુણો મળી આવે છે, જેના લીધે તે કાનમાંથી જીવાણુઓ દૂર કરવાની શક્તિ ધરાવે છે.
શરદી અને ખાંસીથી સમસ્યાથી પરેશાન લોકો પણ અર્જુન ની છાલનો ઉપયોગ કરી શકે છે. આ સાથે અર્જુન ની છાલ શ્વસન સાથે જોડાયેલ વિકાર દૂર કરવા માટે પણ કામ કરે છે. અર્જુનની છાલમાં કફનો પ્રભાવ દૂર કરવા માટે કામ કરે છે.
જેમ તમને ઉપર જણાવ્યું તેમ અર્જુનની છાલમાં હજાર ટ્રાઇટરપેનોઇડ નામનું ખાસ રસાયણ મળી આવે છે. આ સાથે શોધમાં એ પણ સામે આવ્યું છે કે તેમાં બીપી ઓછી કરવાના ગુણ હોય છે. જેનાથી તમારી હાઈ બીપી ધીમે ધીમે કાબૂમાં આવી જાય છે.
જો તમને પેટ સાથે જોડાયેલ રોગોનો પણ સામનો કરવો પડી રહ્યો છે તો પણ તમે ભોજનમાં અર્જુન ની છાલનો ઉપયોગ કરી શકો છો, જેનાથી તમને અવશ્ય રાહત મળી જશે. આ સાથે તેનાથી કબજિયાત, પેટનો વિકાર, એસિડિટી, ગેસ અને અપચો પણ દૂર થઈ જાય છે.
જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.