નાની મોટી બીમારીઓ દૂર કરવાથી લઈને આંખની રોશની અને ત્વચાની ચમક વધારવા માટે કામ કરે છે આ ખાસ ડ્રીંક.

મોસંબી એક એવું ફળ છે જે તમને કોઈપણ જગ્યાએ આસાનીથી મળી આવે છે. તેના ખાટા મીઠા સ્વાદને લીધે લોકો તેના જ્યુસનું સેવન કરવાનું ખૂબ પસંદ કરે છે. ખાસ કરીને બીમારી લોકોને મોસંબીનો જ્યુસ પીવડાવવાથી બહુ જલદી આરામ મળે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

કારણ કે મોસંબીના રસમાં વિટામિન સી મળી આવે છે, જે તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારીને વિવિધ રોગો સામે લડવામાં મદદ કરે છે. આ સાથે તેનો જ્યૂસ પીવાથી ત્વચાની ચમક પણ પરત મેળવી શકાય છે. તો ચાલો આપણે જાણીએ કે મોસંબીનો રસ પીવાથી કયા લાભ થઈ શકે છે.

મોસંબીમાં અધિક માત્રામાં વિટામિન સી મળી આવે છે. જે આપણા શરીરના ઈન્ટરનલ હોર્મોન માટે ખૂબ જ જરૂરી છે. તેનાથી આપણી રોગ પ્રતિકારક શકિતમાં પણ વધારો કરી શકાય છે અને કોઈપણ રોગ સામે આસાનીથી લડી શકાય છે. આવી સ્થિતિમાં જો તમે પર્યાપ્ત માત્રામાં વિટામિન સીનું સેવન કરો છો તો તમે આસાનીથી કોઈ રોગનો શિકાર બની શકશો નહીં.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

સામાન્ય રીતે તમને તાવની સમસ્યા થાય છે ત્યારે ખાટી અને ઠંડી ચીજ વસ્તુઓથી અંતર બનાવી રાખવા માટે કહેવામાં આવે છે. જોકે તમે ભોજનમાં મોસંબીનો રસ શામેલ કરી શકો છો, કારણ કે તેમાં વિટામિન સી મળી આવે છે. કારણ કે તે તમારા શરીરને બીમારીઓથી દુર રાખવા માટે કામ કરે છે અને તાવના લક્ષણોને પણ દૂર કરી શકે છે.

મોસંબીનો રસ આપણા શરીરને ડીટોક્સ કરવા માટે કામ કરે છે. આ સાથે તે તણાવ, ચિંતા અને બહારી પ્રદૂષણને કારણે શરીર પર પડતા પ્રભાવને ઓછું કરવા માટે કામ કરે છે. આ એક સારું ડીટોક્સ ડ્રીંક છે, જેના લીધે તમે દિવસમાં એક વખત અવશ્ય મોસંબીનું ડ્રીંક પી શકો છો. મોસંબી બોડીને ડીટોક્સ કરીને તેનાથી શરીરમાં રહેલી અશુદ્ધિઓ બહાર નિકળી જાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

મોસંબી ના રસમાં એક વધુ પોષક તત્વ હોય છે, જેને આપણે ફાઈબર તરીકે ઓળખીએ છીએ. ફાઈબર આપણને ઘણા સમય સુધી ભૂખ લાગવા દેતું નથી અને તે પાચન તંત્ર તથા સ્વાસ્થય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. તેનાથી તમારે પાચન સમસ્યાનો પણ સામનો કરવો પડતો નથી.

બહુ બધા એન્ટી ઓક્સિડન્ટ થી સમૃદ્ધ હોવાને લીધે મોસંબીનો રસ આંખની રોશની માટે કાં કામ કરી શકે છે. તેની અંદર બહુ બધા એન્ટી બેક્ટેરિયલ ગુણો હોય છે. જે તમારી આંખોને ઇન્ફેક્શન થી દૂર કરવા માટે કામ કરે છે. તેનાથી તમને મોતિયો આવવાની શક્યતા પણ ઘણા અંશ સુધી ઓછી થઈ જાય છે.

ડોક્ટરના કહ્યા અનુસાર મોસંબીમાં એવા ઘણા વિટામિન હોય છે, જે તમારી સ્કિનને સાફ રાખવા માટે કામ કરે છે. તેનાથી તમને ખીલ, ડાઘ અને બ્લેક હેડ્સ ની પણ સમસ્યાનો સામનો કરવો પડતો નથી. આ સાથે ત્વચા પર રહેલા અનિચ્છનીય ડાઘ દૂર કરવા માટે પણ આ ડ્રીંક કામ કરે છે.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment