ખરાબ જીવનશૈલી અને કામના વધતા તણાવને લીધે ઘણા લોકો કબજીયાતની સમસ્યાનો શિકાર બની ગયા છે. જોકે કબજિયાત ની સમસ્યા થવી એકદમ સામન્ય છે પંરતુ ઘણી વખત કબજિયાત બીજી ઘણી બીમારીઓને આમંત્રણ આપે છે. આવી સ્થિતિમાં તેનું કાયમી નિરાકરણ કરવું ખૂબ જ જરૂરી છે.
જો તમે કબજિયાત ની સમસ્યાથી રાહત મેળવવા માટે કેમિકલ યુક્ત દવાઓનો ઉપયોગ કરો છો તો તે તમારા શરીર માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં તમારે આર્યુવેદિક ઉપાય અપનાવવો જોઈએ. જેના માટે તમારે રસોડાની બહાર જવું પડશે નહીં. હા, આ ઉપાય કરવા માટે જરૂરી બધી જ વસ્તુઓ રસોડામાં આસાનીથી મળી જશે.
લીંબુ :- દોસ્તો જો તમે પાચન ક્રિયા સાથે જોડાયેલ સમસ્યાનો સામનો કરો છો તો જ તમને કબજિયાત થાય છે. આવામાં લીંબુ પાણીનું સેવન કરવાથી કબજિયાત થી કાયમી છુટકારો મેળવી શકાય છે. આ માટે તમારે દરરોજ સવારે લીંબુ પાણીનું સેવન કરવું જોઈએ. તેનાથી પેટમાં રહેલી અશુદ્ધિ પણ બહાર નીકળી જશે.
ફુદીનો અમે આદુ :- જો તમે દરરોજ સવારે ફુદીનો અને આદુની ચા બનાવીને સેવન કરો છો તો પણ કબજિયાત થી રાહત મળી શકે છે. આ સિવાય જો તમે કોઈ રોગ વિના આં ચાનું સેવન કરો છો તો તેનાથી તમને જીવનમાં કબજિયાત ની સમસ્યાનો સામનો કરવો પડતો નથી. હકીકતમાં તેના સેવનથી પાચન શક્તિ વધી જાય છે અને ખોરાક પણ સારી રીતે પાચન થઈ શકે છે.
ગોળ :- રાતે સૂતા પહેલા ગોળનું સેવન કરવાથી પણ કબજીયાતની સમસ્યા થઈ શકતી નથી. હકીકતમાં ગોળમાં વિટામિન અને મિનરલ્સ મળી આવે છે, જે તમારા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. તેનો ઉપયોગ કરવા માટે ગોળને ગરમ કરીને તેનું સેવન કરવું જોઈએ.
કોફી :- જો તમને ટોયલેટ થવામાં સમસ્યા થાય છે તો તમને કબજિયાત ની સમસ્યા થઈ શકે છે પંરતુ જો તમે કોફીનું સેવન કરો છો તો તેનાથી તમે કોઈપણ સમસ્યા વગર બાથરૂમ સુધી પહોંચી જશો. હકીકતમાં તેનાથી કોફી પીવાથી ટોયલેટ માટે પ્રેશર વધે છે અને આસાનીથી પેટ સાફ કરી શકાય છે.
ચાલવા જવું :- દરરોજ 15 મિનિટ માટે ચાલવાથી પણ ઘણા રોગો દૂર કરી શકાય છે. જો તમે રાતે ભોજન કર્યા પછી ચાલવા જવાની ટેવ બનાવશો તો ભોજન પણ આરામથી પછી જશે અને તમને કબજિયાત ની સમસ્યા સહિત ઘણાં રોગો થશે નહીં. આ સિવાય તમને રાતે મીઠી ઊંઘ પણ આવી જશે.
જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.