દરરોજ આ સમયે પી લો દાળનું પાણી, ક્યારેય નજીક પણ નહી આવે કોઈ બીમારી.

દોસ્તો આજના આ લેખમાં અમે તમને દાળનું પાણી પીવાથી થતા ફાયદાઓ લઈને આવ્યા છીએ. કોરોના કાળમાં રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવા પર ભાર આપવામાં આવી રહ્યો છે. આવામાં દાળનું પાણી કારગર સાબિત થઈ શકે છે. તેનાથી ઘણી ગંભીર બીમારીઓ દૂર કરી શકાય છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

દાળના પાણીમાં કેલરીની માત્રા એકદમ ઓછી હોય છે અને પ્રોટીન ભરપૂર માત્રામાં મળી આવે છે. આ સાથે દાળના પાણીમાં ફાઈબર મળી આવતું હોવાને લીધે તેના સેવનથી શરીર માં ખરાબ કોલેસ્ટ્રોલ ની સમસ્યા દૂર થઈ જાય છે.

ડાયટ એક્સપર્ટ રંજના સિંહ ના કહ્યા અનુસાર દાળનું પાણી ઘણી બીમારીઓને દૂર કરવા માટે કામ કરે છે. દાળના પાણીમાં પ્રોટીન, ફોસ્ફરસ અને કાર્બોહાઈડ્રેટ હોય છે. જેના સેવનથી એનિમિયા ની સમસ્યાનો અંત આવે છે અને જો વજન વધારો થઈ ગયો હોય તો પણ તમે ફિટ બની શકો છો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

તો ચાલો આપણે જાણીએ કે દાળનું પાણી આપણને કેવી રીતે લાભ આપવા માટે કામ કરે છે.

રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવા માટે :- દાળના પાણીમાં પ્રોટીન, વિટામિન, કેલ્શિયમ, સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ મળી આવે છે. જે આપણા શરીરને સારી રીતે ચલાવવા માટે ખૂબ જ જરૂરી છે. આ સાથે તેમાં વિટામિન સી પણ મળી આવે છે. જે શરીરની રોગ પ્રતિકારક શકિત વધારવા માટે કામ કરે છે, જેના લીધે તમે કોઈ વાયરલ બીમારીનો શિકાર બની શકતા નથી.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો તમે દિવસ દરમિયાન કામ કર્યા પછી થાકી જાવ છો અથવા તો શરીરમાં આળસ અને નબળાઈ રહે છે તો પણ તમારે દાળના પાણીનો ઉપયોગ કરવો જોઈએ. હકીકતમાં દાળના પાણીમાં એવા ગુણો મળી આવે છે, કે એનર્જી લેવલ ને બુસ્ટ કરવા માટે કામ કરે છે. તમે તેને ફ્રીઝમાં રાખીને પણ ઉપયોગ કરી શકો છો. કારણ કે આમ કરવાથી પણ તમને એટલા જ લાભ મળશે.

જો તમારું વજન વધી ગયું છે અને તમે તેને ઓછું કરવા માંગો છો તો દાળ પાણીનો ઉપયોગ કરી શકો છો. હકીકતમાં દાળ પાણીનું સેવન કરવાથી તમને લાંબા સમય સમય સુધી ભૂખ લાગતી નથી. આ સાથે તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર અને બહુ ઓછાં પ્રમાણમાં એટલે કે ન કે બરાબર કેલરી હોય છે. જેના લીધે દાળનું પાણી દરેક મેદસ્વી વ્યક્તિ માટે કારગર સાબિત થઈ શકે છે.

દાળનું પાણી મગજની યાદશકિત વધારવા માટે ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. હકીકતમાં દાળના પાણીમાં ફાઈબર મળી આવે છે, જેના લીધે તમારી યાદ શક્તિ ઘણા અંશ સુધી વધી જાય છે. આ સાથે જો તમને કોઈ માનસિક બીમારી થઇ હોય તો પણ તમને રાહત મળી શકે છે.

જો તમને ઝાડા થઈ ગયા છે અથવા ડાયરિયાની સમસ્યા થઇ ગઈ હોય તો પણ તમે એક વાટકી ભરીને દાળનું પાણી પી શકો છો. જેનાથી તમને અવશ્ય રાહત મળશે. તેનાથી શરીરમાં પાણીની કમી પણ દૂર થાય છે.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment