શરીર માંથી પરસેવો નીકળવો સારું છે કે ખરાબ? જાણો સાચી માહિતી. એસીમાં ઊંઘતા લોકો ખાસ વાંચે.

સામાન્ય રીતે આ દુનિયામાં રહેલા દરેક વ્યક્તિની પ્રકૃતિ અલગ અલગ હોય છે. જોકે દરેક વ્યક્તિ પર ઋતુની અસરો એકસમાન થાય છે એટલે કે ઉનાળામાં દરેક વ્યક્તિ ને ગરમી લાગે છે અને શિયાળામાં ઠંડી લાગે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જોકે આજના સમયમાં કોઈપણ વ્યક્તિ ગરમી સહન કરી શકતો નથી. આજ કારણ છે કે ઉનાળો આવતાની સાથે જ એસીની માંગ માં વધારો થઈ જાય છે.

આવી સ્થિતિમાં લોકોને પરસેવો થતો નથી. જોકે આજે અમે તમને શરીર પર પરસેવો આવવો સારો છે કે ખરાબ તેના વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

સામાન્ય રીતે જો તમે કોઈ મહેનત વાળું કામ કરી રહ્યા છો અથવા વર્ક આઉટ કરો છે ત્યારે પરસેવો આવવો એકદમ સામાન્ય છે પંરતુ ઘણી વખત કામ ના કરવા છતાં પરસેવો આવે છે, જે તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે અને તે કોઈક બીમારીનો સંકેત પણ હોઈ શકે છે.

જ્યારે તમને વધારે પરસેવો આવે છે ત્યારે તમારા શરીરમાં રહેલી અશુદ્ધિઓ જેમ કે મીઠું, ક્ષાર, સાકાર, ખરાબ કોલેસ્ટ્રોલ વગેરે બહાર આવે છે. જેનાથી તમને કોઈ રોગ થઈ શકતો નથી. આ સાથે શરીરની અંદર રહેલો કચરો પણ બહાર આવી જાય છે. જેને એક પ્રકારની ડિટોકસ પ્રકિયા તરીકે ઓળખવામાં આવે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આ સિવાય આજે ઘણા લોકો ફીટ રહેવા માટે વર્ક આઉટ કરતા હોય છે. જે દરમિયાન ભારે પરસેવો બહાર આવે છે. આ પરસેવો શરીર માટે સારો માનવામાં આવે છે.

આ સિવાય જ્યારે તમે દોડીને આવો છો ત્યારે તમારું હૃદય બહુ ઝડપથી ધબકે છે અને સખત પરસેવો બહાર આવે છે. જેનાથી તમારું હૃદય હંમેશા સ્વસ્થ રહી શકે છે અને તમને ચક્કર પણ આવતા નથી.

તમે ધ્યાન આપ્યું હોય તો ઘણા લોકોને કામ કર્યા વગર પરસેવો આવવાની સમસ્યા થાય છે. જેના લીધે તેઓને અગવડતા નડે છે. જોકે આ વસ્તુ સારી છે. કારણ કે તેનાથી શરીરમાં રહેલી અશુદ્ધિ બહાર આવી જાય છે અને શરીર પરના છિન્દ્રો પણ ખુલી જાય છે. જે રોગ પ્રતિકારક શકિત મે મજબૂત બનાવે છે.

જોકે યાદ રાખો કે તમને કોઈ કામ કર્યા વિના પરસેવો આવે છે તો તે ઘણા અંશે સારું નથી. કારણ કે તે હાર્ટ સાથે જોડાયેલ સમસ્યાઓ નો સંકેત પણ હોઈ શકે છે, તેથી તમારે ડોક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે.

આમ તો પરસેવો આવવાથી કચરો બહાર આવી જાય છે પણ ઘણી વખત લોકોને પરસેવો આવવાને લીધે ખંજવાળ અને ફોલ્લીઓ થવા લાગે છે. જે એક પ્રકારના ચર્મ રોગનું કારણ હોઈ શકે છે. આવી સ્થિતિમાં નિષ્ણાત લોકોની સલાહ લેવી જોઈએ.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment