જૂનામાં જૂની શરદી અને કફની સમસ્યા દૂર કરવા માટે ઉપયોગી છે આ ખાસ વનસ્પતિ, ઉપયોગ કરવા માત્રથી મળશે કાયમી છુટકારો…

આપણા આર્યુવેદ માં એવી ઘણી વનસ્પતિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેનો ઉપયોગ કરીને આપણે જૂનામાં જૂના રોગો દૂર કરી શકીએ છીએ. હા, આર્યુવેદમાં વર્ણવેલ ઉપાય કરવાથી ગમે તેવા અસાધ્ય રોગો પણ દૂર કરી શકાય છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આવી જ એક બીમારી ઉધરસ અને કફ છે, જે થવાને લીધે વ્યક્તિ કંટાળી જાય છે અને આખો દિવસ શાંતિ મેળવી શકતો નથી. જોકે આનો પણ ઉપાય આર્યુવેદમાં વર્ણવવામાં આવેલ છે. હા, તમે ભોરીંગણીનો ઉપયોગ કરીને કફ અને ઉધરસ થી રાહત મેળવી શકો છો.

ભોરીંગણીનો આર્યુવેદમાં રામબાણ ઉપાય વર્ણવામાં આવેલ છે. હા, તેમાં એવા ઔષધીય ગુણો જોવા મળે છે, જે કફનો નાશ કરી દેનાર છે. હવે તમે કહેશો કે ભોરીંગણી કયા મળી આવે છે? તો તમને જણાવી દઈએ કે તે નદીના પટ્ટા પર આસાનીથી મળી આવે છે. આ સાથે તે ઓસડિયાની દુકાન ઉપર પણ મળી આવે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જો તમે ભોરીંગણીનો સમજી વિચારીને યોગ્ય રીતે ઉપયોગ કરો છો તો તમે આસાનીથી ઘણી કફ, પિત્ત, ઉધરસ જેવી નાની બીમારીઓ દૂર કરી શકો છો. તમને જાણીને આશ્ચર્ય થશે કે ભોરીંગણી કફને સંપૂર્ણ પણે નાશ કરી દે છે. જેના લીધે તમને બીજી વખત કફની સમસ્યા થતી નથી.

જો તમે તેના રસનું સેવન કરો છો તો જટિલ માં જટિલ રોગ દૂર કરી શકાય છે. તેનાથી દમ, શ્વાસ લેવામાં તકલીફ, કળતર નો દુઃખાવો વગેરેમાં આરામ મેળવી શકો છો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો ભોરીંગણીને અઠવાડિયામાં બે થી ત્રણ વખત લેવામાં આવે તો કફનો સંપૂર્ણ નાશ થાય છે. હા, તેને ઘન અથવા પ્રવાહી સ્વરૂપે લઈ શકાય છે. જોકે ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે આ વનસ્પતિની ચારેય બાજુ કાંટા હોય છે. જેના લીધે તેનો ઉપયોગ કરીએ ત્યારે નુકસાન ના થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. જો તમને શ્વાસ ચઢી ગયો હોય તો પણ તમે તેનો ઉપયોગ કરી શકો છો.

જો તમને ઉધરસ થઇ હોય અને ઘણા દિવસોથી તમને હેરાન કરતી હોય તો તમને જણાવી દઈએ કે ભોરીંગણીને પાણીમાં નાખીને તેનો ઉકાળો બનાવી લેવો જોઈએ અને તેને પીવો જોઈએ. આવું કરવાથી તમે ઉધરસથી રાહત મેળવી શકશો.

આ સાથે તમારા દાંતમાં પરું થયું હોય તો પણ તમે આરામ મળશે. જોકે તમને જણાવી દઈએ કે તમે ઘરે ઉકાળો ના બનાવી શકતા હોય તો તેની તૈયાર પ્રોડક્ટ પણ મળી આવે છે. જેનો પણ તમે ઉપયોગ કરી શકો છો.

જો તમને ઉનાળા દરમિયાન અળાઈ નીકળી હોય, હાથ અને પગ પર ગૂમડાં નીકળ્યા હોય, ખીલ અને ડાઘની સમસ્યા હોય તો પણ તમે આરામ મેળવી શકો છો. હા, તમે તેનો ઉપયોગ ઘણી રીતે કરી શકો છો પણ આ સમસ્યાઓ દૂર કરવા માટે સૌથી પહેલા ભોરીંગણીના પાંદડાનો પીસીને પેસ્ટ બનાવી લો. હવે તેને અસરગ્રસ્ત વિસ્તાર પર લગાવો. આવું કરવાથી તમને રાહત મળશે અને તમે બહુ જલદી પરિણામ મેળવી શકશો.

જો તમને વારંવાર તાવ આવી જાય છે તો તમારે ભોરીંગણી અને સૂંઠનો ઉકાળો પીવો જોઇએ. તેનાથી તમે જલ્દી તાવની સમસ્યાથી છુટકારો મેળવી શકશો અને આસાનીથી તમે સ્વસ્થ પણ થઇ જશો. આ સાથે તમારે હોસ્પિટલમાં જઈને ખર્ચ પણ કરવો પડશે નહીં.

હવે તમે સમજી જ ગયા હશો કે ભોરીંગણી તમને કેવા સ્વાસ્થય લાભ આપી શકે છે. તમે તેનો ઉપયોગ કરીને કફ અને ઉધરસ થી તો અવશ્ય રાહત મેળવશો પણ બીજી ઘણી બીમારીઓનો પણ ખાત્મો કરી શકશો.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment