આપણા પૂર્વજો શા માટે બાજરાના રોટલાને મહત્વ આપતા હતા? ફાયદા એવા કે જાણીને તને પણ ખાધા વગર નહીં રહી શકો….

તમે જાણતા હશો કે બાજરાનો રોટલો ઘઉંની રોટલી કરતા વધારે પોષક તત્વો ધરાવે છે. બાજરીનું વાવેતર લોકો બારેમાસ એટલે કે બધી જ ઋતુમાં કરતા હોય છે, જેના લીધે તે આસાનીથી દરેક સીઝનમાં મળી આવે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આપણા પૂર્વજો પહેલા બાજરાના રોટલાને વધુ મહત્વ આપતા હતા. હા પહેલા ના સમયમાં બાજરાના રોટલાને વધુ પ્રમાણમાં ખાવામાં આવતો હતો અને આજે બાજરાના રોટલાને નહિવત્ પ્રમાણમાં ખાવામાં આવે છે. હા, આજે શહેરોમાં તો બહુ ઓછાં પ્રમાણમાં બાજરાના રોટલા ખાવામા આવે છે.

જોકે આજે અમે તમને આ લેખમાં બાજરાના રોટલા ખાવાના ફાયદાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને અપનાવીને તમે ઘણા રોગોને આસાનીથી દૂર કરી શકો છો. તો ચાલો આપણે જાણીએ કે બાજરાના રોટલા આપણને કેવા લાભ આપી શકે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

તમને જણાવી દઈએ કે બાજરાના રોટલાનો વધુ પડતો ઉપયોગ ગુજરાત અને રાજસ્થાનમાં કરવામાં આવે છે. બાજરામાં એવા ઘણા પોષક ગુણધર્મો જોવા મળે છે, જે ઘણી બીમારીઓને દૂર કરવામાં કામ કરે છે. આ સાથે તેના હજાર પોષક તત્વો તમારા શરીરને મજબૂત બનાવવા માટે પણ કામ કરે છે.

જે લોકો વધુ પ્રમાણમાં મહેનત વાળા કામ કરે છે, તેઓએ તે બાજરાના રોટલા ખાવા જ જોઈએ, કારણ કે તે તમારા શરીરને ઊર્જા પૂરી પાડે છે. આ સાથે જો તમે તેને ઘી સાથે સેવન કરો છો તો તમારી શકતી બમણી થઈ જાય છે અને તમે આસાનીથી ઘણી સમસ્યાઓ દૂર કરી શકો છો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જે લોકોને હંમેશા પાચન સાથે જોડાયેલી સમસ્યાઓ અથવા હોજરીની સમસ્યા હોય તેઓએ પણ બાજરાના રોટલાનું સેવન કરવું જોઈએ. કારણ કે તે હોજરીમાં રહેલા અગ્નિ ને શાંત પાડે છે અને જો બળતરા થતી હોય તો પણ તે ઓછી થઈ જાય છે.

જો બાજરાના રોટલા નું યોગ્ય પ્રમાણમાં સેવન કરવામાં આવે તો પાચન શક્તિ મજબૂત બને છે અને તમે કોઈપણ પદાર્થને આસાનીથી પચાવી શકો છો. જે લોકો મેદસ્વી થઇ ગયા છો અને અથાગ મહેનત કર્યા પછી પણ વજન ઓછું કરી શકતા નથી તો તમારે બાજરાના રોટલાનું સેવન કરવું જોઈએ.

કારણ કે તેને ખાવાથી તમે આસાનીથી વજન ઓછું કરી શકો છો. કારણ કે તેના જોવા મળતા ગુણો તમને લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે અમે તમે કોઈપણ બહારનું ખાવાથી બચી શકો છો. જેના લીધે આસાનીથી વજન ઓછું થાય છે.

જો લોકોના હાડકા નબળા પડી ગયા હોય અને કોઈપણ કામ કરવાથી તે તૂટી જતા હોય તો તમારે જાણવું જોઈએ તમારા શરીરમાં કેલ્શિયમની ઉણપને લીધે આ બધું થાય છે. આવામાં તમારે બાજરાના રોટલાનું સેવન કરવું જોઈએ. કારણ કે તેનાથી કેલ્શિયમની માત્રા પૂરી કરી શકાય છે, જે હાડકા મજબૂત બનાવવા માટે કામ કરે છે.

જો તમને ડાયાબિટીસ ની સમસ્યા હોય તેઓએ પણ બાજરાનું સેવન કરવું જોઈએ. કારણ કે આવા લોકો માટે ઘઉં અને ચોખા નુકસાનનું કારણ બને છે ત્યારે બાજરીનો રોટલો તેમના માટે હિતાવહ બને છે. કારણ કે તેનાથી કોઈ આડઅસર થતી નથી. તેમાં જોવા મળતું ફાઈબર તમારા શરીરની પાચન શક્તિ વધારવા માટે પણ કામ કરે છે.

જે લોકો આખો દિવસ ચિંતા અને ઓફિસના કામને લીધે તાણ માં રહે છે તેવા લોકો સાથે જેઓ ડિપ્રેશન નો શિકાર છે તેઓએ પણ દૂધ સાથે બાજરાના રોટલા નું સેવન કરવું જોઈએ, તેનાથી માનસિક શાંતિ પણ મળે છે સાથે સાથે ડાબા પડખે સુવાથી બહુ જલ્દી ઊંઘ પણ આવી જાય છે.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment