આયુર્વેદ

તાંબાના વાસણમાં પાણી પીશો તો દૂર થશે રોજબરોજની કેટલીય બીમારીઓ દૂર.

મિત્રો હાલના સમયમાં ખરાબ જીવનશૈલી અને ખરાબ રહેણીકરણી ના કારણે અનેક લોકોના સ્વાસ્થ્ય બગડી રહ્યા છે હાલના સમયમાં અનેક લોકો ઘણી બધી બીમારીઓ થી પીડાય છે, તેમજ ભારતીય ઔષધ શાસ્ત્ર માં અનેક એવા ઉપાયો દર્શાવવામા આવ્યા છે જે ઉપાય કરવાથી આપણે આપણા સ્વાસ્થ્યને દેખભાળ રાખી શકીએ છીએ.

મિત્રો આજની જીવનશૈલીમાં લોકો તાંબાના વાસણો ને ભૂલતા જાય છે જેના લીધે તેમને સ્વાસ્થ્યને લગતી બીમારીઓ આપણા શરીરમાં ઘર કરી જાય છે. મિત્રો આજે આપણે આજના આ લેખમાં તાંબાના વાસણમાં પાણી પીવાના અનેક એવા ફાયદા વિશે જાણીશું.

મિત્રો આયુર્વેદમાં અને અનેક નેચરલ થેરાપી માં કહેવામાં આવે છે કે તાંબાના વાસણમાં પાણી પીવાથી શરીરને અનેક સ્વાસ્થ્ય લાભ મળે છે. તાંબા ની અંદર રહેલા પાણી પીવાથી શરીરની અંદર રહેલા ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. જેને સામાન્ય રીતે વાત, કફ અને પિત્ત તરીકે ઓળખવામાં આવે છે.

તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાથી આ ત્રણેય દોષિતો સામે લડવાની તાકાત મળે છે અને આ ત્રણેય દોષને કારણે જ શરીર રોગિષ્ઠ બને છે. તાંબાના પાત્રમાં રાખેલ પાણીને તામ્ર જળ તરીકે પણ ઓળખવામાં આવે છે. તાંબાના લોટા અથવા જગમાં આઠ કલાક રાખેલું પાણી પીવું જે સ્વાસ્થ્ય માટે અત્યંત લાભકારી હોય છે. રોજ સવારે ખાલી પેટે તાંબાના વાસણમાં ભરેલ પાણી પીવાથી અનેક પ્રકારના ચમત્કારો શરીરમાં થાય છે.

મિત્રો પહેલાના જમાનામાં મોટાભાગના ઘરોમાં પાણી ભરવા માટે તાંબાના વાસણો હતા અને આ કારણે જ તે સમયના લોકો તાંબાના વાસણમાં રહેલું પાણી પીવાના લીધે લાંબો સમય સુધી જીવતા હતા. કેમ કે તાંબાના વાસણમાં ભરેલું પાણી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે મિત્રો પાણીની અંદર તાંબાનો ગુણ ભળે છે ત્યારે પાણીમાં અનેક પ્રકારના ગુણધર્મો વધી જાય છે. જે તમારા શરીરને અનેક પ્રકારની બીમારીઓ માંથી બચાવે છે.

એટલા માટે જ હિન્દુ ધર્મમાં લગ્ન સમયે દીકરીને માં માટલું આપવાની રીત હોય છે. અને હાલના સમયમાં લોકો એકબીજાને ગિફ્ટ માં તાંબાના જગ અને ગ્લાસ ગીફ્ટ કરે છે મિત્રો હાલના સમયમાં શોપિંગ મોલમાં બજારમાં તાંબાના વાસણો આસાનીથી મળી રહે છે. મિત્રો વધતી ઉંમર કોઈને ગમતી નથી કારણ કે તેની સાથે અનેક સમસ્યા વધતી જાય છે. સ્ત્રી હોય કે પુરુષ બંને પોતાની વધતી ઉંમરને છુપાવતા હોય છે.

મિત્રો તાંબાના વાસણમાં પાણી પીવાથી અનેક પ્રકારના વિટામિન આપણી ત્વચાને મળી રહે છે સાથે સાથે ત્વચાની કરચલીઓ અને ત્વચાની ઢીલાપણું દૂર થાય છે અને શરીરમાં રહેલા મૃત ત્વચાને દૂર કરે છે આમ તાંબા ની અંદર રહેલા પાણી પીવાથી આપણી ત્વચા કોમળ અને મુલાયમ રહે છે અને કાયમી માટે સ્વસ્થ રહે છે. એ તો તાંબાના વાસણમાં રહે પાણીને નિયમિત રૂપથી પીવામાં આવે તો શરીરમાં રહેલા વધારાના બેક્ટેરિયાનો નાશ થાય છે.

તો તાંબાના વાસણમાં રહેલા પાણીને પીવાથી ડાયેરીયા અને કમળા ના કીટાણુઓ શરીરમાંથી દૂર થાય છે પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખો કે વાસણમાં સ્વચ્છ પાણી ભરેલું હોવું જોઈએ. મિત્રો નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે કોપર ધાતુ ને સ્પર્શ થયેલ પાણી શરીરની થાઈરોઈડ ગ્રંથિ ને નોર્મલ કરી દે છે અને તેની કાર્યપ્રણાલી ને પણ નિયંત્રિત કરી દેશે. તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાથી રોગ કાબૂમાં આવે છે.

મિત્રો સાંધાના દુખાવા અને વા જેવી તકલીફ માં તાંબા માં રાખેલું પાણી પીવાથી ખૂબ જ ફાયદો થાય છે. મિત્રો તાંબાના વાસણમાં એવા ગુણો છે જે આપણા શરીરમાંથી યુરીક એસિડ ઓછું કરે છે. આમ તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાથી શરીરમાં રહેલા કોઈ પણ પ્રકારનો વા દૂર થઈ જાય છે.

મિત્રો શરીરમાં કોપરની કમી હોવાથી અનેક પ્રકારની બીમારીઓ થઈ શકે છે તો તાંબાના વાસણમાં પાણી પીવામાં આવે તેનાથી શરીરમાં કોપર ની કમી પૂરી થઈ જાય છે.

મિત્રો તાંબાના વાસણમાં રહેલું પાણી પીવાથી ચહેરાની સુંદરતામાં વધારો થાય છે. આ સાથે જ તાંબાના વાસણમાં રાખેલું પાણી વડે મોઢું દબાવવામાં આવે તો તેનાથી ખીલ ખુલ્લા અને ચહેરા પરના દાગ ની સમસ્યામાં ખૂબ જ રાહત મળે છે અને ચહેરાને સુંદર બનાવે છે.

રાત્રે તાંબાના વાસણમાં પાણી ભરીને તે પાણીની સવારે વહેલા ઊઠીને આંખો પર છાંટવાથી આંખની અંદર રહેલી ગરમી દૂર થાય છે અને આંખને ઠંડક મળે છે અને આ સાથે વધતા નંબર ને અટકાવે છે. તો મિત્રો તાંબાના પાણીનું સેવન જો તમે નિયમિત રૂપથી કરો છો તો તમારા શરીરમાં સ્વાસ્થ્યને લગતા અનેક ફાયદાઓ થાય છે.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *