આયુર્વેદ

તમારા જ ઘરની આ 3 વસ્તુ ફેફસામાં ચોંટી ગયેલા કફને ખેંચી નાખશે બહાર. કફ કાઢવાનો દેશી નુસખો.

મિત્રો આજ-કાલ કોરોના નો કહેર ચારેબાજુ વર્તાઈ રહ્યો છે. ત્યારે મિત્રો આજના આ લેખમા અમે એક એવા દેશી નુસખા વિશે વાત કરવાના છીએ. તેના સેવનથી તમારા ફેફસામાં રહેલો કફ બહાર નીકળી જશે. અને શરીરની અંદર એક રોગ પ્રતિકારક શક્તિ પેદા થશે.

મિત્રો આજ કાલ લોકો ને કફ અને ખાસી ની તકલીફ એટલી બધી વધી ગઈ છે. ઘણી બધી દવા લેવા છતાં પણ તેમાંથી છુટકારો મેળવી શકતા નથી. મિત્રો આ કફ અને ખાંસી નો જડમૂળ માથી નિકાલ કરવા માટે એક દેશી નુસખો કરવાનો છે. મિત્રો આ ઉપાય ત્રણ થી ચાર દિવસ કરવાથી ખાંસી અને કફ શરીરમાંથી છૂમંતર થઈ જાય છે.

મિત્રો આ દેશી ઉપાય માટે તમારે અરડૂસીના થોડા પાન લેવાના છે. હવે અરડૂસીના પાન ને વાટીને ચાર નાની ચમચી જેટલો રસ કાઢી લેવાનો છે ત્યારબાદ બે નાની ચમચી ડુંગળીનો રસ લેવાનો છે. અને એક ચમચી મધ લેવાનુ છે.

મિત્રો આ ત્રણ વસ્તુ મિક્સ કરી સવાર બપોર અને સાંજ એમ ત્રણ ટાઈમ આ નું સેવન કરવાનુ છે. મિત્રો યાદ રાખો કે આ રસ પીધા પછી એક કલાક સુધી કોઈ જ પ્રકારનો ખોરાક લેવાનો નથી. પરંતુ હા જો તમને રસ પીધા પછી કડવું લાગે તો થોડો ગોળ ખાઇ શકો છો.

મિત્રો આ ઉપાય જો તમે સતત ત્રણ કે ચાર દિવસ કરશો તો સુકી ખાસી અને ભીની ખાસી એમ બન્ને ખાસી મા આ અકસીર ઈલાજ છે . મિત્રો આ ઉપાય કફ ને તોડી તોડી ને બહાર ફેંકી દેશે.

મિત્રો જે લોકો બજાર મા કે સિટીમાં રહેતા હોય એ લોકોને ડુંગળી તો મળી જશે પરંતુ અરડૂસી મળવી મુશ્કેલ છે એવા લોકો માટે એક ઓપ્શન છે કે બજારમા એક અડુસોલ નામની સિરપ મળે છે. તેને મિત્રો અરડુસી ના પાન ની જગ્યા એ તમે અડુસોલ સિરપ ની બે ચમચી લઇ શકો છો.

મિત્રો આ ઉપાય તમારે દિવસમા ત્રણ વખત કરવાનો છે. તમારી ખાંસી મટી જશે અને તમારો કફ પણ મટી જશે. મિત્રો હાલ ના સમય મા કોરોના જેવી મહામારી ચાલી રહી છે તો મિત્રો ઘરે બેઠા જ જો તમે આ ઉપાય કરો છો તો કફ અને ખાસીમા રાહત મળે છે.

બીજો એક ઈલાજ છે જેમાં તમારે અડધી ચમચી હળદર, તેમાં એક ચપટી મીઠું આ બંને ને મિક્સ કરી તેમાં એક આખા લીંબુનો રસ નાખો અને આ ત્રણેય ને એક ગરમ એટલે પી શકાય એવું ગરમ પાણી માં નાખીને સવારે નયના કાંઠે પીવાનું છે અને રાતે સુતા સમયે એક ગ્લાસ પીવાનો છે.

આ ઉપાય કરવાથી 5 જ દિવસમાં તમારો જામેલો કફ નીકળી જશે અને શરદી-ખાંસી માં પણ સારો લાભ થશે અને એકદમ મટી જશે. અને આ ઉપાય તમારે 5 જ દિવસ કરવાનો છે, આ ઉપાય તમારા માટે આ સમયે ચાલી રહેલી મહામારીમાં એક અકસીર ઈલાજ છે.

નોંધ : અમે બતાવેલ આ  ઉપચાર સંપૂર્ણ આયુર્વેદિક ઉપાય છે પરંતુ હાલની પરિસ્થિતી જોઈને એકવાર આયુર્વેદિક ડોક્ટરની સલાહ લઈને જ આ ઉપાયો કરવા હિતાવહ છે.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *