આયુર્વેદ

દરરોજ સવારે ઊઠીને બે ચમચી આ ખાસ વસ્તુનું સેવન કરવાથી શરીરમાં જરાય રોગ નહીં રહે, દરેક વ્યક્તિએ ઉપયોગ કરવા જેવી ટિપ્સ

પ્રાચીન સમયથી હરડેને અમૃત સમાન માનવામાં આવે છે. તેની પાછળનું કારણ તેમાં રહેલા ઔષધીય ગુણો છે. તેના સેવન માત્રથી તમે કફ, વાત, પિત્ત જેવી બીમારીઓને દૂર કરી શકો છો. આ સાથે જો તમને લાંબા સમયથી ખાંસીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તો પણ તમે તેને હરડે ના ઉપાય દ્વારા દૂર કરી શકો છો.

આવી સ્થિતિમાં આજે અમે તમને હરડેના રામબાણ ફાયદાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના ઉપાય થકી તમે ઘણી બીમારીઓને દૂર કરી શકશો.

કફ, શરદી અને ખાંસી દૂર કરવા :- સામાન્ય રીતે જ્યારે હવામાનમાં પરિવર્તન થાય છે ત્યારે કફ, શરદી અને ખાંસીની સમસ્યા થાય છે. જેના લીધે વ્યક્તિ ધીમે ધીમે તાવ અને માથાના દુખાવાની પકડમાં આવી જાય છે. જો તમે આવી સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમારા માટે હરડે દવા સમાન સાબિત થઈ શકે છે.

જો તમે હરડેનો પાવડરને દૂધ અથવા પાણી સાથે મિક્સ કરીને લેવાથી ઉપરોક્ત બીમારીઓ દૂર કરી શકાય છે. આ સાથે જો તમે સીધું હરડેનું સેવન કરો છો તો તમે માથાના દુઃખાવો જેવી સમસ્યાઓથી રાહત મેળવી શકો છો.

કબજિયાત દૂર કરવા :- જો તમે કબજિયાત જેવી જટિલ બીમારીઓ સામે સામનો કરી રહ્યા છો તો તમારા માટે હરડે કામ લાગી શકે છે. આ માટે તમારે સૌથી પહેલા હરડે, તજ અને લવિંગને પાણી સાથે મિક્સ કરીને લેવું જોઈએ, જેનાથી પેટ હંમેશા સાફ રહેશે અને તમે કબજિયાતની સમસ્યાથી રાહત મેળવી શકશો. આ સિવાય તમે હરડે, સનય નામની ઔષધિ અને ગુલકંદ ને મિક્સ કરીને પણ ચૂર્ણ બનાવીને ખાઈ શકો છો. તેનો પણ તમને ફરક જોવા મળશે.

પેશાબમાં દુઃખાવો :- જો તમને વારંવાર પેશાબ જતી વખતે દુઃખાવો થાય છે તો તમે હરડેનો ઉપયોગ કરીને રાહત મેળવી શકો છો. આ માટે તમારે હરડે ને મધ સાથે મિક્સ કરીને તેને ચાટવું જોઈએ. તેનાથી તમને ઝડપથી રાહત મળશે અને દુઃખાવો પણ દૂર થઈ જશે. આ સાથે જો તમે હરડે પાવડર સાથે ગોળનું સેવન કરો છો તો પણ તમે પેટનો દુઃખાવો દૂર કરી શકશો.

આંતરડાંની સમસ્યાઓ દૂર કરવા :- જો તમારા આંતરડા સાફ રહેતા નથી અને વારંવાર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છો તો તમે હરડેના પાવડર સાથે અજમો, કાળું મીઠું અને હિંગ સાથે મિક્સ કરીને ખાવ છો તો તમે આંતરડા સબંધિત સમસ્યાઓથી રાહત મેળવી શકો છો.

આંખ આવે ત્યારે :- જો તમને આંખ આવે છે તો તમે હરડેને રાતે પાણીમાં પલાળીને સવારે આ પાણીમાં કાપડ બોળીને તેનાથી આંખ સાફ કરવામાં આવે તો ઝડપથી આંખની આજુબાજુનો સોજો ઓછો થાય છે અને તમને રાહત મળે છે.

આંખમાં ખંજવાળ :- જો તમને આંખમાં ખંજવાળ આવે છે તો તમે હરડેનો ઉપયોગ કરીને તેને મટાડી શકો છો. આ માટે પીળા હરડેના બીજ બે ભાગ, બહેડાનો ગર્ભ 3 ભાગ તથા આમળાનો ગર્ભ 4 ભાગ લઈને તેને પીસી લો. હવે તેને ફિલ્ટર કરીને તેની ગોળીઓ બનાવી લો. ત્યારબાદ તેને ગ્રાઉન્ડ કરીને જ્યારે ખંજવાળ આવે ત્યારે તેને કાજલ ની જેમ લગાવવાથી રાહત મળે છે.

પાંપણ પરની સમસ્યા :- જો તમને સતત પાંપણ પર ખંજવાળ આવતી રહે છે તો તમે હરડે, માંજુફળને સાથે મિક્સ કરીને પાંપણ પર લગાવવામાં આવે તો તમને ઝડપથી રાહત મળે છે. આ સાથે જો તમને યોનિમાં દુઃખાવો અથવા ખંજવાળ થાય છે તો તમારે સૌથી પહેલા હરડેના બીજ, ઠળિયા અને માંજુફળને મિક્સ કરી લો અને શીશીમાં ભરી લો. જો તમે આ ચૂર્ણને પાણીમાં મિક્સ કરીને તેના વડે યોની સાફ કરો છો તો તમને રાહત મળશે.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *