આયુર્વેદ

ઉપવાસમાં ખવાતા શક્કરિયાના પણ છે ગજબના ફાયદાઓ.

ઘણી એવી વસ્તુઓ ઉપવાસ માં ખાવામાં આવે છે જે શરીર માટે ફાયદાકારક હોય છે. તે શરીરમાં બધાજ પોષકતત્વો પુરા પાડે છે. કુદરતે એવી ઘણી વસ્તુઓનું સર્જન કર્યું છે જે મનુષ્ય માટે ફાયદાકારક છે અને તેનો ઉપયોગ કરવાથી બધાજ વિટામિન મળે છે અને શરીરની તંદુરસ્ત જળવાઈ રહે છે.

શક્કરિયા એ એક વનસ્પતિ છે જેને કંદમૂળ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેને ખાવાથી શરીરને જોઈતા બધાજ પોષકતત્વો અને ખનિજતત્વો મળી રહે છે. તેમાં કેરોટીન ની હાજરી જોવા મળે છે. તેમાં લોખંડ, આયન, મેંગેનીઝ વગેરેની હાજરી જોવા મળે છે. તેમાં બટાકાની સરખામણીમાં બે ગણુ ફાઇબર જોવા મળે છે.

શક્કરિયા વિટામિન બી, B6, કેરોટીન વગેરે તત્વો જોવા મળે છે. તેમાં ઓછી કેલરી અને પેન્ટાથોનીક એસિડ જોવા મળે છે. તમારા સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે રોજ શક્કરિયા ખાવા ખૂબ ફાયદો કરે છે. તેને બાફીને તથા તેનું શાક બનાવીને પણ ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે. ખાસ કરીને ઉપવાસ માં તેનો વધુ ઉપયોગ કરવામાં આવે છે.

શક્કરિયા ખાવાના ફાયદા:-

શક્કરિયા એ વિટામિન B6 અને કેરોટીન નું પ્રમાણ વધારે જોવા મળે છે તથા તેમાં આવેલું તત્વ લોહીમાં રક્તકણોના પ્રમાણ ને કંટ્રોલ કરે છે અને ઇનસુલીન જાળવી સુગરનું લેવલ ઘટાડે છે. વિટામિન ડી થઈ ભરપૂર સ્ત્રોત માનવામાં આવે છે તે દાંતના રોગો, હાડકા, ચામડી, નસો વગેરેમાં વિટામિન ડી ખુબજ લાભદાયક છે.

તે પાચનનીક્રિયા ને તંદુરસ્ત બનાવે છે તથા તેને ઉત્તેજન આપે છે. તેમાં ફાઈબરનો સમુદ્ર જથ્થો આવેલો છે. જે પાચનને સરળતાથી અને ઝડપી બનાવે છે. તે જઠરાગ્નિ ને પ્રોત્સાહિત કરે છે અને રેસા તંદુરસ્ત પાચનને ઝડપી બનાવે છે.

તે કબજિયાત સંબધી કોઇપણ તકલીફ માંથી રાહત અપાવે છે કારણકે તેમાં ફાઇબર ની માત્રા વધારે હોય છે. શક્કરિયા માં વિટામીન બી, કેરિટીન, પોટેશિયમ અને મેંગેનીઝ હોય છે જે અલ્સરમાં ખૂબ ફાયદો કરે છે. જો તમારા ભોજનમાં શક્કરિયા નો સમાવેશ કરવામાં આવે તો પેટના અલ્સર દૂર થાય છે.

સગર્ભા મહિલાઓ માટે મીઠા શક્કરિયા નો રસ પીવાથી ખુબજ ફાયદો થાય છે તથા તેમાં રહેલું ફોલેટ શિશુના વિકાસમાં મહત્વ નો ભાગ ભજવે છે. જો તમે એસિડીટી થઈ પીડાતા હોય તો શક્કરિયા નો રસ પીવાથી તેમાં રાહત થાય છે. તેમાં રહેલું વિટામિન બી6 હોમોસ્યસ્ટિંમનું સ્તર ઘટાડવા માટે તે અગત્યનો ફાળો ભજવે છે.

શક્કરિયા રક્તવાહિની ને નર્વસ બનેલી અટકાવે છે. શક્કરિયા માં રહેલું મેગ્નેશિયમ તમારા શરીરમાં રહેલા તણાવને દૂર કરે છે અને મન ને શાંત રાખે છે. શક્કરિયા માં રહેલું વિટામીન સી તમારી સ્કિન ને વાઇરસ તથા એલર્જી થઈ બચાવે છે. તે હાડકા અને દાંત માં રહેલી લોહીનીકોશિકાઓ ના રસ માટે ફાયદાકારક છે.

👉 જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like 👇👇બટન દબાવીને અમારા પેજને Like 👇👇 કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *