આયુર્વેદ

ફરાળ માં વપરાતા સિંધવ મીઠાના છે ગજબના ફાયદાઓ.

સિંધવ મીઠું એ પથ્થર ના સ્વરૂપે ખનીજ મળી આવે છે. કાઠિયાવાડી ભાષામાં સિંધવ મીઠું તરીકે ઓળખવામાં આવે છે. તે લાલ,આછા ગુલાબી કે સફેદ રંગની જોવા મળે છે. તેમાં ઘણી અશુદ્ધિઓ હોવા છતાં તેને ગુણકારી માનવામાં આવે છે. શરીર માટે જરૂરી તત્વો જેવા કે લોહ,પોટેશિયમ, ઝીંક અને મેગ્નેશિયમ રહેલા હોય છે.

ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં મીઠુંનો ઉપયોગ કરવામાં આવે તે ખુબજ સ્વાદિષ્ટ હોવાથી રસોઈના રાજા તરીકે ઓળખવામાં આવે છે. વધારે મીઠાનો ઉપયોગ પણ હાનિકારક સાબિત થાય છે. જો કોઇપણ ભોજનમાં ઉપરથી મીઠાનો ઉપયોગ કરવામાં આવે તો લાંબા ગાળા શરીર ને નુક્શાન કરે છે.

છાસ,સલાટ,રાયતું અને બીજા કોઈ અન્ય માં સિંધારું મીઠું ખુબજ ફાયદો કરે છે. કોઈપણ ચટપટું બનાવવા માટે પણ સિંધારું સ્વાદમાં સ્વાદિષ્ટ લાગે છે. પાણીપુરી, કચોરી,દાબેલી વગેરેમાં સિંધારું નો સ્વાદ કંઈક અલગ જ તરી આવે છે. તો મિત્રો આજે તેના ફાયદા વિશે જાણીશું.

સિંધવ મીઠું ખાવાના ફાયદા:-

સિંધવ મીઠું એ શરીરની માંસપેશીઓ ના સંકોચન ને રોકે છે. તથા શરીરના સ્નાયુને મજબૂત બનાવે છે. તે શ્વાસની બીમારીમાં માં ફાયદો કરે છે. શરીરમાં ત્વચાને લગતી ઘણી બીમારી જોવા મળે છે તેમાં તેને હાથપગમાં લગાવાથી ફાયદો થાય છે. સ્વાસ્થ ને સારું રાખવામાં સિંધવ મીઠું ફાયદાકારક છે.

તે ત્રિદોષનાશક હોવાથી સિંધવ મીઠું શરીર માટે ખૂબ ફાયદો કરે છે. તે કફ,વાત અને પીત્ત ને દૂર કરે છે. જે લોકોનો વધુ પડતો વજન હોય તેવા લોકોએ ખોરાક માં સિંધવ મીઠાનો ઉપયોગ કરવાથી ફાયદો થાય છે કારણકે તેનાથી ચરબી ખવાય જાય છે અને દિવસે-દિવસે વજન ઘટતો જાય છે.

તે ચયાપચનની ક્રિયાનું નિયમન કરે છે આથી ભૂખ ઓછી લાગે છે. પેટમાં રહેલા જીવાણુ ને મારી નાખવા માટે સિંધવ મીઠું અને લીંબુનો રસ ખૂબ ફાયદો કરે છે. ભવિષ્યમાં થનારી પેટની બીમારીઓ દૂર રહે છે. જો ઝડપથી પાચન થતું ન હોય તો પાચન સુધારવા માટે સિંધવ ફાયદાકારક છે.

તેનાથી ગેસ અને ભૂખ માં પણ ઘણો ફાયદો થાય છે. સ્કિનમાં રહેલા છિદ્રો ને દૂર કરવા માટે તેનો સ્ક્રબ કરવાથી ડાર્ક સ્પોર્ટ દૂર થઈ મોં સાફ થાય છે. ચહેરા પરના ખીલ અને ડાર્ક સ્પોર્ટ પણ દૂર થાય છે. તેમાં રહેલા મિનરલ્સ ત્વચામાં નિખાર લાવવામાં મદદ કરે છે.

લો બ્લડપ્રેશર વાળા વ્યક્તિ એ છાસમાં સિંધવ મીઠું નાખી પીવાથી ફાયદો થાય છે. હાઈ બ્લડપ્રેશર વાળા વ્યક્તિ નું પણ બીપી કન્ટ્રોલમાં રહે છે. ઉલ્ટીની સમસ્યા હોય તેવા લોકોએ લીંબુના રસમાં સિંધવ મીઠું નાખીને પીવાથી ઉલટી બંધ થઈ જાય છે.

શરીરમાં રહેલા હાનિકારક તત્વો દૂર થાય છે અને લોહીનું પરિભ્રમણ નિયમિત રીતે થાય છે. તે મૂળમાં પણ ફાયદો કરે છે જેના કારણે અનિંદ્રા ની સમસ્યા દૂર થાય છે. તે પિત્ત ને ઘટાડવાનું કામ કરે છે આથી એસિડીટી માં ફાયદો કરે છે.

👉 આવા ઘરેલુ ઉપચાર તમારા માટે ફાયદાકારક લાગતો હોય તો નીચેનું Like 👇👇બટન દબાવી Like 👇👇 કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ પોસ્ટ અવશ્ય Share કરો…. Share કરો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *