આયુર્વેદ

ડૉક્ટર ની દવા કરતાં પણ ઝડપી રાહત મેળવવા માટે કરો આ પાંચ ઘરેલું ઉપાય.

મિત્રો આજે આપણે એવા ઘરેલું ઉપચારો વિશે માહિતી મેળવવા ની છે કે શરીર ને તંદુરસ્ત રાખવું એ આપણી જવાબદારી છે તેને ભયાનક રોગો નો સામનો કરવા માટે મજબૂર બનાવવું જોઈએ. આજકાલ નવા-નવા રોગોનું પ્રમાણ વધી રહ્યું છે જેના કારણે લોકો રોગોથી સંકટ માં મુકાય છે આ રોગો નો સામનો કરવા માટે આપણે ઘરેલુ ઉપચારો ઉપનાવવા જોઈએ.

જો કોઈપણ રોગોને દૂર કરવા હોય અને તેનાથી બચવું હોય તો બહારની ચીજ વસ્તુઓ ન ખાવી જોઈએ. વધુ પડતા મસાલા અને ટેસ્ટી ખાવાનું છોડી દેવું જોઈએ. જો તમારે તંદુરસ્ત રહેવું હોય તો ઘરની ચીજ વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ અને દેશી ખોરાક લેવો જોઈએ. જો આવું ખાવાનું ઉપનાવશો તો ક્યારેય બીમાર નહિ પડે અને રોગોથી બચી શકશો.

પાંચ ઘરેલુ ઉપચારો:-

જે લોકોને દાંત નો દુખાવો હોય તેવા લોકોએ દાંતમાં લવિંગ મુકવાથી દુખાવો મટે છે તથા તેના રસ વાળું રુનું પુમડું મુકવાથી પણ દુખાવામાં રાહત થાય છે જો વધુ પડતા રસ નો ઉપયોગ કરવામાં આવે તો મોં માં ચાંદા પડી જાય છે. લસણની કળી ને દાંત વચ્ચે રાખવાથી પણ દાંતનો દુઃખાવો મટે છે.

એસિડીટી અલગ-અલગ રીતે થાય છે જેનકે શરીરથી,વિચારોથી અને માનસિકતા થી પણ થાય છે. તેમાં વરીયારી ચાવવાથી પણ એસિડીટી માં લાભ થાય છે. લીંબુનું શરબત બનાવી તેમાં સાકર ભેરવીને તેમાં સિંધવ મીઠું નાખીને પીવાથી પણ એસિડીટી મટી જાય છે.

વરિયાળી નું શરબત પીવાથી પણ એસિડીટી શાંત થઈ જાય છે. કાળી દ્રાક્ષ ને પાણીમાં પલાળી તેને ગાળી લઈ તેના જીરુનો પાઉડર નાખી પીવાથી પેટ નો દુખાવો મટે છે તથા દૂધ પીવાથી પણ એસિડીટી માં ફાયદો થાય છે. દેશી કોથમીર નો રસ પીવાથી એસિડીટી માં લાભ થાય છે. તેના કારણે પિત્ત શાંત થઈ જાય છે.

આદુ અને લીંબુનું શરબત પીવાથી વાયુને શાંત કરે છે તથા આદુ નું મુખ્ય કાર્ય વાયુ ને શાંત કરવાનું છે. શરીરમાં જમા થયેલો વાયુ લીંબુના રસ માં સંચર નાખી ને પીવાથી વાયુ છૂટો પડે છે. જો ગરમ પાણી નું સેવન કરવામાં આવે તો કબજિયાત અને વાયુ દૂર થાય છે. જો તમને વાયુ થયો હોય ત્યારે ભરપેટ જમવું નહિ અથવા તો ભુખ્યા રહેવું.

આદુ,અરડૂસી અને તુલસીનો રસ મધ સાથે મિક્સ કરીને પીવાથી કફ ના તમામ રોગો મટે છે. નાકમાં પાણી પડતું પણ બંધ થઈ જાય છે. આદુનું સાકરમાં બનાવેલું શરબત પીવાથી પણ કફ થી છુટકારો મળે છે. ગળામાં ગરડી બોલવાથી અને સુકી ઉધરસ થવાથી ભેદને ચાવીને તેનો રસ ગળામાં જવા દેવાથી પણ ઉધરસ મટે છે.

હળદર નો પતો બાંધવાથી વાગેલા ઘા માં રૂઝ આવે છે અને સોજો પણ ઉતરી જાય છે. હલળે અને કુંવરપાઠા ને મિક્સ કરી ને લેપ કરવાથી પણ સોજો મટી જાય છે. દૂધ ની મલાઈ અને મીંઢર ને મિક્સ કરીને લેપ લગાવાથી ખીલ ની સમસ્યા દૂર થાય છે. નારંગીની છાલ ને ઘસવાથી પણ ખીલ માટી જાય છે.

👉 આવા ઘરેલુ ઉપચાર તમારા માટે ફાયદાકારક લાગતો હોય તો નીચેનું Like 👇👇બટન દબાવી Like 👇👇 કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ પોસ્ટ અવશ્ય Share કરો…. Share કરો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *