દરેક રોગોમાં ઉપયોગી બની શકે તેવી અનેક રોગોમાં જુદી-જુદી વનસ્પતિ કામ આવે છે અને જે તે રોગને દૂર કરવા માટે ચોક્કસ વનસ્પતિ નો ઘરેલું ઉપચાર કરીને તેમાં રાહત મેળવી શકાય છે. શરીરમાં ઘણા રોગો થાય છે અને તેનું ઘરેલું ઉપચાર ની દવાઓ દ્રારા તેને મટાડી શકાય છે.
આ વનસ્પતિ તમને સાઈટીકા, કાનમાં રસી, શરીરમાં કોઈપણ જગ્યાએ ગાંઠ રહેવા સોજા અથવા તાવ આવ્યો હોય તેવી ઘણા રોગો માં આ વનસ્પતિ ખુબજ કામ કરે છે. આ વનસ્પતિ ને નગોર નામથી ઓળખવામાં આવે છે. બધીજ જગ્યાએ નગોર નો છોડ જોવા મળે છે. તે 5 થી 6 ફૂટ ઊંચો જોવા મળે છે. તેમાં બે ભેદ જોવા મળે છે કાતરા અને સાદી.
તેના પાંદડા લાંબા અને ગુચ્છદાર આંબાના જેવા જોવાં મળે છે. ધોળી નગોરના પાંદડા અણીવાળા જોવા મળે છે. તે લીમડાના પાન કરતા વધારે મોટા હોય છે. નગોર નામની વનસ્પતિ નો મુખ્યત્વે ઉપયોગ સાઈટીકા માં થાય છે જેના કારણે તેના વિશેની માહિતી તમને હોવી જરૂરી છે તેથી આપણે તેનો ઉપયોગ કરી ને દરેક રોગોમાં રાહત મેળવી શકીએ.
નગોર વનસ્પતિ ના ઉપચારો:-
નગોરના મૂળ નો ઉકાળો બનાવી પીવાથી સાંધાના દુખાવામાં રાહત થાય છે. ઉનાળામાં નસકોરી ફૂટવાની સમસ્યા વધુ જોવા મળે છે આમાં રાહત મેળવવા માટે નગોરના મૂળ ને ચાવવાથી નસકોરી ફૂટતી નથી. ધાધર હોય, ખરજવું , કફ હોય અને ચામડીના કોઈપણ રોગો માટે તેના પાનનો રસ ઘી સાથે પીવાથી બધાજ દર્દોમાં આરામ મળે છે.
જો કાનમાંથી પરૂ અથવા તો રસી આવતી હોય ત્યારે સિંધારું,મીઠું અને ગોળ માં નગોરના પાનનો રસ નાખીને કાનમાં ટીપા નાખવાથી કાનનો દુખાવો મટે છે. શરીરમાં કોઈપણ જગ્યાએ ગાંઠો હોય કે સોજા હોય તો તેના માટે નગોરના ફૂલ ને પાણીમાં બાફીને જે તે જગ્યાએ લગાવાથી ગાંઠો ઓગળી જાય છે અને સોજા પણ મટી જાય છે.
જે લોકોને સાઈટીકા હોય તેવા લોકોએ નગોર ના પાન ને 1 ગ્લાસ પાણીમાં ઉકાળી તેનું અડધું પાણી થાય પછી નયના કોઠે પાણી પીવાથી સાઇટીકા માં ખુબજ ફાયદો થાય છે. એસિડીટીવાળી વ્યક્તિ એ નગોરના પાનનો રસ ઘી સાથે પીવાથી એસિડીટી મટે છે અને ખાટા ઓળકાળ પણ આવતા નથી.
જો તમને કોઈપણ જગ્યાએ દુખાવા થયા હોય તો નગોરના પાન ને સરગવાની છાલ બન્નેને કપડામાં મૂકી અંગારા પર ગરમ કરી પછી જે તે જગ્યાએ શેક કરવાથી દુઃખાવા મટી જાય છે. આ રહેલા મસાલા ને દુઃખાવા ઉપર આખી રાત સુધી રહેવા દઈ પાટો બાંધવાથી દુખાવા થોડા ટીમે પછી દૂર થઈ જાય છે.
જે લોકોને વાયુ તથા પેટની બીમારી હોય તેવા લોકોએ નગોરના પાન નો રસ,અને ભાંગરાના પાનનો રસ લઇ તેમાં અજમો નાખી ને સુકવ્યા બાદ તેને હૂંફાળા પાણી સાથે લેવાથી પેટના રોગો દૂર થાય છે અને વાયુ પણ દૂર રહે છે.
👉 જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like 👇👇બટન દબાવીને અમારા પેજને Like 👇👇 કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.