આયુર્વેદ

સંધિવાને કરો દૂર એ પણ ઘરેલું ઉપચારથી. વધુ માહિતી માટે આર્ટિકલ અવશ્ય વાંચો..

મિત્રો આ લેખમાં અમે તમને સંધિવા વિશે જણાવીશું. સંધિવા એટલે શું ? તો સંધિવા એટલે આમ તો નામ પરથી ખબર પડે કે સંધિવા એટલે સાંધા ના દુઃખાવા, જેમકે શરીર માં જ્યાં પણ દુઃખાવા થાય એટલે કે હાથ ના દુઃખાવા, પગના દુઃખાવા, ગોઠનના દુઃખાવા, ગુટીના દુઃખાવા, કાંડાના દુઃખાવા, કોણીના દુઃખાવા, ખભાના દુઃખાવા આ તમામ પ્રકારના દુઃખાવા ને સંધિવા તરીકે ઓળખાય છે.

તો ચાલો હવે આગળ જાણીયે સંધિવા ના સરળ ઉપાય તે પણ થોડાજ દિવસોમાં અને ઘરે થીજ કરી શકાય તેવા ઘરેલું ઉપાય વિશે જાણીયે. નોંધ – આ ઉપાય નિયમિત 1 મહિના સુધી કરશો તો 100 % તમને સંધિવા ના દર્દથી છુટકારો મળશે. તો ચાલો જાણીએ સંધિવા ના ઉપાયો.

👉 ( 1 ) સંધિવા માં આ ઉપાય 100 % કારગર સાબિત થયો છે આ ઉપાય થી કેટલાય લોકો ઠીક થયા છે તો આ ઉપાય જરૂર અજમાવી જોવો, તેના માટે તમારે માલ કાકડીના બીજ લેવાના છે. માલ કાકડી ને લોકો માલ ગાંગળી પણ કહે છે. આ બીજ તમને આયુર્વેદિક સ્ટોર માં મળી જશે, તેને લાવીને તેનું ચુર્ણ બનાવી દરરોજ 3 થી 4 ગ્રામની માત્રા માં સવારે નાયના કાંટે હુંફાળા પાણી સાથે લેવાથી તમારો કોઈ પણ જાતનો સંધિવા હોય તો પણ 15 જ દિવસમાં દૂર થશે.

👉 ( 2 ) ખાટી આંબલી ના પાનને થોડું સિંધાલૂણ નાખીને વાટીને જ્યાં પણ સાંધાના દુઃખાવા થયા હોય ત્યાં લેપ કરવાથી તરત જ આરામ મળે છે અને આ ઉપાય લાંબા સમય સુધી કરવામાં આવે તો જરૂર સંધિવા થી છૂટકારો મળે છે. ( 3 ) નાગોડ ના પાન નો રસ પીવાથી સંધિવા એકદમ મટી જાય છે, તેના માટે તમારે નાગોડ ના પાન નો રસ 5 મિલી ગ્રામ લેવાનો રહેશે, આ વહેલી સવારે લેવાથી થોડાજ દિવસો માં સંધિવા દૂર થશે.

👉 ( 4 ) કાચું લસણ, સિંધવ મીઠું, અને સાકર સરખા પ્રમાણે લઈ તેને મિક્સ કરી ચુર્ણ બનાવી લો, અને તેને દેશી ગાયના ઘી સાથે ચાટવાથી સંધિવા દૂર થાય છે. ( 5 ) દરરોજ 100 ગ્રામ કાચી કોબીજ અને 200 કાચી દૂધી ખાવાથી તમારો કોઈ પણ જાતનો દુઃખાવા દૂર થશે, અને એકદમ ઠીક થઈ જશો. તો આ ઉપાય જરૂર અપનાવો.

👉 ( 6 ) 100 ગ્રામ મેથી, 100 ગ્રામ રાઈ, 50 ગ્રામ સૂંઠ, 20 ગ્રામ લસણ અને 20 ગ્રામ હિંગ મેળવી ને મિક્સરમાં દડી લો. અને તેને 1 લીટર સિંગ તેલમાં મિક્સ કરીને ઉકાળો, તેને એટલું ઉકાળો કે તે તેલ અડધું થઈ જાય, પછી આ તેલ ને ઠંડુ પાડી તેની એક મહિના સુધી માલિશ કરવાથી ખભાના દુઃખાવા, હાથ – પગના સાંધા દુઃખાવા, કોણી ના દુઃખાવા કે શરીર ના કોઈ પણ સાંધાના દુઃખાવા હોય તો આ દેશી ઘરેજ કરી શકાય એવો ઘરેલું ઉપાય કરી તમે સંધિવા દૂર કરી શકો છો.

👉 ( 7 ) સરસો તેલ માં સફેદ ડુંગળી નો રસ મિક્ષ કરીને દુઃખાવાની જગ્યા પર માલિશ કરવાથી તમારો સંધિવા એકદમ મટી જાય છે. ( 8 ) દેશી વડના ઝાડ નું દૂધ લાગવાથી સંધિવા માં સારો લાભ થાય છે. આ 20 દિવસ સુધી લાગવાથી સંધિવા મૂળથી દૂર થાય છે.

👉 આવા ઘરેલુ ઉપચાર તમારા માટે ફાયદાકારક લાગતો હોય તો નીચેનું Like 👇👇બટન દબાવી Like 👇👇 કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ પોસ્ટ અવશ્ય Share કરો…. Share કરો…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *