લોકો આજકાલ સાઇટીકા ની બીમારી થી લોકો ખુબજ પીડાય છે. ભારતમાં અને વિદેશમાં પણ કેટલાક વ્યક્તિ ઓ સાઈટીકાના ભોગ બનેલા છે. તેનો ઈલાજ માટે ઘરે રહીને દેશી ઉપચાર કરી શકાય છે અને બીજાને પણ તેમાં રાહત થાય છે. કમરની પાછળના મણકામાં ઉપરથી નીચે સુધી હોય છે જેમાં નીચેના મણકા પર કોઈ વસ્તુનો વજન ઉંચકવાથી, બેસવાથી કે ઉભા થવાથી તેના પર વજન આવે છે તેના કારણે મણકા ખસી જાય છે જેના કારણે પગ સુધી લોહી પહોંચાડતી નસ દબે છે જેને સાઈટીકા કહે છે. તેને કસરત દ્રારા પણ દૂર કરી શકાય છે.
ડાબા પગમાં અથવાતો જમણા પગમાં દુઃખવો થાય ક્યારેક તો ખાલી ચડે અને ઝનઝણાટી રહે વગેરે જેવી તકલીફ જોવા મળે છે. ખાસ કરીને ચાલવા બેસવામાં પણ ખબર પડતી નથી. જો તમને જમણા પગ માં સતત દુઃખાવો રહેતો હોય તો તે પગની પાનીને ડાબા પગ ઉપર રાખવાથી માથું નીચે નમાવી ઊંડો શ્વાસ લેવાથી નસ પોતાની જગ્યાએ આવે છે અને કાયમ નો દુખાવો મટે છે. બીજો ઉપાય છે જમીન પર સીધાં જ ઊંઘવાથી ટૂંકા થયેલા પગ ને આમ-તેમ ફેરવવાથી નસ નો દુખાવો મટે છે.
આવા વ્યક્તિ ઓએ આથાવાળી વસ્તુઓ જેવી કે ઈડલી,ખમણ,ઢોકળા વગરે ન ખાવું જોઈએ. ખટાશ વાળી વસ્તુઓ જેવી કે નારંગી,મોસંબી,લીંબુ વગેરે નો ઉપયોગ ટાળવો જોઈએ. દૂધ પણ ખાવાનું નથી. 50 ગ્રામ દિવેલમાં 12 નંગ લસણ ગરમ કરીને
ઠંડુ થાય એટલે માલિશ કરવાથી પણ દુખાવો મટે છે. રેતીમાં મીઠું નાખી પગ પર ધીમે-ધીમે શેક કરવાથી દુખાવો મટી જાય છે. જાયફળનો ચૂર્ણ બનાવી લેપ કરવાથી પણ ખુબજ ફાયદો થાય છે.
સૂંઠ અને લિંડીપીપર ના તેલની માલિશ કરવાથી નસ નો દુખાવો મટે છે. રોજ સવારે વહેલા ઊઠીને બન્ને હાથને પગ સુધી લંબાવતા 10 પ્રાણાયામ કરવાથી નસ નો દુખાવો મટી જાય છે. સાઈટીકા વાળી વ્યક્તિ ઓએ કમર સીધી રહે તે રીતે બેડમાં આરામ કરવો જોઇએ. નીચે આસન પર ઉલટા સુઈ જઈને જમીનથી બે પગ ઊંચા કરવાથી નસ ખુલ્લી થઈ જાય છે. તેથી સાઈટીકા ખુબજ ફાયદો થાય છે.
આવા વ્યક્તિઓએ લાંબા સમય સુધી ઉભા ન રહેવું જોઈએ અને વધૂ પડતો વજન લેવો ન જોઈએ. કોઈપણ કામ કરતી વખતે વધુ પડતો વજન ઊંચો ન કરવો જોઈએ.વિટામિન મળે તેવો ખોરાક લેવો જોઈએ જેથી આવી ખામી ને દૂર કરી શકાય છે. આવા વ્યક્તિ ઓએ રોજ સવારે કસરત કરવી તથા ચાલવું જોઈએ. તજેનથી નસોમાં લોહીનું પરિભ્રમણ વધે છે અને સાઈટીક થઈ બચી શકાય છે.
મિત્રો આ આર્ટિકલ તમને ગમ્યો હોય અને તમારા માટે ઉપયોગી હોય તો તમારા મિત્રો તથા પરિવારજનોમાં અવશ્ય share કરો.