શું તમે જાણો છો ઉત્તરાયણના દિવસે જ તલ અને ગોળના કેમ લાડુ ખવાય છે? ખાવાથી થશે આટલા ફાયદાઓ..

મિત્રો હવે ઉત્તરાયણ આવી ગઈ છે ત્યારે આપ સર્વેને ઉત્તરાયણની શુભકામનાઓ. તમને ખબર છે એ મુજબ આપણે ઉત્તરાયણના દિવસે તલ અને ગોળ ના લાડુ ખાઈયે છીએ પણ આપણને એ ખાવા પાછળનું કારણ ખબર નથી હોતી. તો અમે આજે તમને બતાવીશું કે તલ અને ગોળના લાડુ જ કેમ ઉત્તરાયણના દિવસે ખવાય છે?

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

ગોળ અને તલના લાડુ ઉત્તરાયણના દિવસે દરેકને ઘરે બને જ છે અને ના બનતા હોય તો આ આર્ટિકલ વાંચીને તમે જરૂરથી તમારા ઘરે તલ અને ગોળના લાડુ બનાવરાવશો. કારણ કે તલ અને ગોળના લાડુ ખાવાથી આપણા શરીરને કેટલાય ફાયદાઓ થાય છે.

તલના લાડુ શિયાળામાં ખાવાનું અલગ જ મહત્વ છે. તલ અને તલનું તેલ શરીર માટે ગરમ હોય છે જેથી તલ અને ગોળના લાડુ ઉત્તરાયણના દિવસે ખાવાથી શરીર ને ઠંડીના દુષ્પ્રભાવને દૂર કરે છે અને તે શરીર ને શિયાળાની કડ કડતી ઠંડીથી ગરમ કરીને શરીરનું તાપમાન જાળવી રાખે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

તલના લાડુ આપણા શરીર માટે ખુબ જ ફાયદાકારક છે. તલ અને ગોળના લાડુ એસિડિટી, કબ્જ અને ગેસ ને દૂર કરવામાં ખૂબ જ મદદરૂપ છે. સાથે સાથે કબજિયાત વાળા વ્યક્તિઓ માટે પેટ સાફ કરવામા ખૂબ જ ફાયદાકારક છે.

માનસિક બીમાર અથવા તો તનાવ વાળા વ્યક્તિઓ માટે તલ અને ગોળના લાડુ ખૂબ જ ફાયદાકારક છે. તલના લાડુ માનસિક તનાવને ઓછો કરે છે કારણ કે તલ અને ગોળના સેવનથી માનસિક તનાવ ઓછો થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જે લોકોના શરીરમાં લોહી ઓછું છે તેના માટે પણ તલ ખાસ ઉપયોગી છે. તલ ખાવાથી કબજિયાત પણ દૂર થાય છે અને તલ અને ગોળમા ઘી ભેરવીને બનાવવાના કારણે તલ અને ગોળના લાડુ શરીર માટે ખૂબ જ પૌષ્ટિક માનવામાં આવે છે.

મહિલાઓ માટે પણ તલ અને ગોળના લાડુ ફાયદાકારક છે. મહીલાઓ ને થતી માસિક સમસ્યાઓમાં પણ તલ અને ગોળના લાડુ ખૂબ જ ફાયદાકારક છે. તલ અને ગોળના લાડુ માસિકમાં દુખાવાને તો ઓછો કરે છે પણ સાથે સાથે માસિક ધર્મને નિબાદ્ય કરે છે.

ગોળ ખાવાથી શરીરનો દુખાવો પણ ઓછો થાય છે. આમ ગોળ અને તલના લાડુ ખૂબ જ ફાયદાકારક છે અને તેને આપણે શિયાળામાં અવશ્ય ખાવા જોઈએ. માટે આ ઉત્તરાયણ પર તમે તલ અને ગોળના લાડુ અવશ્ય ખાશો.

તમને અમારું આ આર્ટિકલ ગમ્યું જ છે અને એ મને ખબર છે. માટે આ આર્ટિકલ તમારે ઉત્તરાયણ રસિકો ને અને આપણા પરીવારને શેર કરવાનું છે. આ આર્ટિકલ શેર કરવાનું ભૂલતા નહીં અને સાથે સાથે ગોળ અને તલના લાડુ પણ..

જય હિન્દ…

Leave a Comment