દોસ્તો શતાવરીની તાસીર ઠંડી હોય છે, જેનો ઉપયોગ કરીને તમે ઘણી બીમારીઓથી છુટકારો મેળવી શકો છો. આયુર્વેદમાં પણ શતાવરીના ઘણા ઔષધીય ગુણધર્મો વિશે વાત કરવામાં આવી છે. જેની મદદથી તમે વિભિન્ન પ્રકારની બીમારીઓ નો ઈલાજ મેળવી શકો છો.
પુરુષો માટે શતાવરીનો ઉપયોગ કરવો અત્યંત ગુણકારી હોય છે. આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને પુરુષો માટે શતાવરીનો ઉપયોગ કરવાથી થતા ફાયદાઓ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ.
શતાવરી માં પ્રોટીન, એનર્જી, કાર્બોહાઈડ્રેટ, ફાઇબર મેગ્નેશિયમ, કેલ્શિયમ આયરન અને સોડિયમ જેવા તત્ત્વો મળી આવે છે. તમે શતાવરી નો ઉપયોગ પાણીમાં ગરમ કરીને, સલાડ સ્વરૂપે અથવા અન્ય કોઇ સ્વરૂપે કરી ઉપયોગ કરી શકો છો.
શતાવરીનું સેવન જો પુરુષો કરે છે તો તેમની શારીરિક ક્ષમતામાં વધારો થાય છે. જેનાથી તેમના યુવાન જીવન પર સકારાત્મક પ્રભાવ પડે છે. દરરોજ રાતે સુતા પહેલા હલકા ગરમ દૂધમાં ઘી નું સેવન કરવામાં આવે તો માસપેશીઓ મજબૂત બની જાય છે જેની મદદથી શારીરિક કમજોરીઓ ની સમસ્યા છુટકારો મળે છે.
શતાવરીના પાવડરનો ઉપયોગ કરવાથી પુરુષોને સ્વપ્નદોષની સમસ્યા થી છુટકારો મળે છે આ માટે તમારે શતાબ્દીના પાવડરમાં સાકર મિક્ષ કરીને દૂધ સાથે તેનું સેવન કરવું જોઈએ. જેનાથી સ્વપ્નદોષની સમસ્યા દૂર થાય છે નિયમિત રૂપે સેવન કરવામાં આવે તો તે પુરૂષો માટે ફાયદાકારક હોય છે.
શતાવરીનો ઉપયોગ કરવાથી વ્યક્તિની ઉંમર અકબંધ રહે છે પરંતુ તેની અસર તેના ચહેરા પર દેખાતી નથી શતાવરી એન્ટીઓક્સીડેન્ટ ગુણ મળી આવે છે, જે ઉંમર વધવાની પ્રક્રિયાને ધીમી કરે છે. જેના લીધે તમે લાંબા સમય સુધી યુવાન રહી શકો છો.
આ સિવાય શતાવરીનો નિયમિત રૂપે ઉપયોગ કરવાથી મોટાપાની સમસ્યાથી છુટકારો મળી શકે છે. હકીકતમાં શતાવરીમાં એવા તત્વ મળી આવે છે જે શરીરને યોગ્ય રીતે કાર્ય કરવા માટે પ્રેરણા આપે છે જેના લીધે મોટા પાણીની સમસ્યા સામે ઝઝૂમી રહેલા લોકોએ શતાવરીનો ઉપયોગ કરવો જોઈએ.
શતાવરીનો ઉપયોગ દરરોજ પુરુષોની પ્રજનન ક્ષમતા માં સુધારો લાવે છે. હકીકતમાં તેનું સેવન કરવાથી પુરુષોમાં શુક્રાણુઓની સંખ્યામાં વધારો થાય છે,e જેના લીધે તેની પ્રજનન ક્ષમતા સુધરે છે એના ઉપયોગથી પુરૂષોની યૌન શક્તિમાં વૃદ્ધિ થઇ શકે છે.
કેન્સર જેવી ઘાતક બીમારીઓ થી બચવા માટે પણ તમે શતાવરીનો ઉપયોગ કરી શકો છો. શતાવરીમાં એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટી કેન્સર ના ગુણ મળી આવે છે જેની મદદથી શરીરમાં કેન્સરની કોશિકાઓને વિકાસ થઇ શકતો નથી. શતાવરીના ઉપયોગથી પેશાબ સાથે જોડાયેલી સત્રની સમસ્યાથી છુટકારો મળે છે. તેમાં વિટામિન એ અને પ્રાકૃતિક મૂત્રવર્ધક ગુણ મળી આવે છે, જેની મદદથી મૂત્ર સંબંધી સમસ્યાઓથી રાહત મળી શકે છે