1 મહિનામાં 8 કિલો વજન ઓછું કરવું હોય તો કરી લો આ નાનકડો ઉપાય.

1 મહિનામાં 8 કિલો વજન ઓછું કરવું હોય તો કરી લો આ નાનકડો ઉપાય.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

દોસ્તો આજની જીવનશૈલી, ખાવાની ખોટી આદતો અને શારીરિક પ્રવૃત્તિના અભાવને કારણે મોટાભાગના લોકો વધતા વજનથી પરેશાન છે પરંતુ વધતું વજન પણ અનેક રોગોને જન્મ આપે છે, તેથી તેને નિયંત્રણમાં રાખવું જરૂરી છે. હૂંફાળું પાણી પીવું વજન નિયંત્રણ માટે ખૂબ જ ફાયદાકારક છે.

હૂંફાળું પાણી પીવાથી ચરબી ઓછી થાય છે, પરંતુ જો તમે હૂંફાળા પાણીમાં કેટલીક વસ્તુઓ મિક્સ કરીને પીશો તો તેનાથી વજન ઝડપથી ઘટે છે. તેની સાથે આ વસ્તુઓને પાણીમાં નાખીને પીવાથી ઘણી બીમારીઓ પણ દૂર થાય છે. તો ચાલો આપણે જાણીએ કઈ કઈ વસ્તુઓને પાણીમાં મિક્સ કરીને પીવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

વજન ઘટાડવા માટે તમારે પાણીમાં લીંબુ મિક્સ કરીને પીવું જોઈએ. કારણ કે લીંબુ એન્ટીઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર હોય છે, જે શરીરમાં હાજર ચરબીને ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે. તેથી, જો તમે લીંબુ પાણીનું સેવન કરો છો, તો તે સરળતાથી વજન ઘટાડે છે.

મધનું સેવન વજન ઘટાડવા માટે ફાયદાકારક સાબિત થાય છે. કારણ કે મધમાં સ્થૂળતા વિરોધી અસર જોવા મળે છે, જે સ્થૂળતાને વધતી અટકાવી શકે છે એટલા માટે જો તમે હૂંફાળા પાણીમાં મધ મિક્સ કરીને પીશો તો તેનાથી વજન સરળતાથી નિયંત્રણમાં રહે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

સફરજનના વિનેગરનું સેવન વજન ઘટાડવા માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે એપલ સાઇડર વિનેગર એન્ટીઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર હોય છે, જે શરીરમાંથી વધારાની ચરબી ઘટાડવાનું કામ કરે છે. આ માટે રોજ સવારે ખાલી પેટે એપલ સીડર વિનેગરને હૂંફાળા પાણીમાં મિક્સ કરીને પીવો.

હીંગ વજન ઘટાડવા માટે પણ ફાયદાકારક સાબિત થાય છે. કારણ કે હિંગ શરીરના મેટાબોલિઝમને વેગ આપે છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે. આ માટે ગરમ પાણીમાં એક ચપટી હિંગ મિક્સ કરીને પીવો.

જીરાનું પાણી વજન ઘટાડવા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. કારણ કે જીરાના પાણીનું સેવન શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. તેના માટે રાત્રે જીરાને પાણીમાં પલાળી રાખવું જોઈએ. ત્યારપછી બીજા દિવસે સવારે તે પાણીને ઉકાળીને તેનું સેવન કરવું જોઈએ.

Leave a Comment