જેમ જેમ વ્યક્તિનું જીવન આગળ વધી રહ્યું છે તેમ વ્યક્તિઓ કોઈને કોઈ સમસ્યાનો શિકાર થઈ રહ્યા છે. આજના સમયમાં તો લગભગ દર બીજો વ્યક્તિ કોઈને કોઈ સમસ્યાથી હેરાન થતો જ હોય છે.
આની પાછળ કારણ છે આપણી ખાવા પીવાની રીત અને આપણાં રોજિંદા જીવનમાં થતાં પરિવર્તન એ સ્વાસ્થ્ય પર અસર કરે છે. આવી જ એક સમસ્યા છે સાંધાનો દુખાવો. આ દુખાવો ફક્ત વડીલો અને વૃધ્ધોને જ નહીં પણ યુવાનોને પણ થતી હોય છે.
એવામાં જરૂરી છે કે આ સમસ્યાને જલ્દીથી જલ્દી સુલઝાવી લઈએ. આ સમસ્યામાં અમુક ઘરગથ્થું વસ્તુઓ એવી છે જે તમને મદદ મળી શકે છે. તો ચાલો તમને જણાવી દઈએ આ સરળ ઉપાય વિષે.
આદું : સાંધાના દુખાવામાંથી રાહત મેળવવા માટે તમે આદુંના તેલનો ઉપયોગ કરી શકો છો. આ સિવાય તમે આદુંવાળી ચા પણ પી શકો છો. આ સિવાય તમે આદુંને ગરમ પાણીમાં ઉકાળી પાણીમાં લીંબુ અને મધ ઉમેરી પી શકો છો. આદુંમાં મળતું એંટી ઇન્ફ્લેમેટરી કમ્પાઉન્ડ સોજા ઓછા કરવામાં મદદ કરે છે.
તુલસી : તુલસીમાં એન્ટી સ્પાસ્મોડિક ગુણ હોય છે, જે સાંધાના દુખાવામાં રાહત આપવાનું કામ કરે છે. તમારે ફક્ત તુલસીની ચાનું દરરોજ ત્રણથી ચાર વખત સેવન કરવાનું છે. આ કરવાથી તમે ચોક્કસ લાભ મેળવી શકો છો.
ધૂપ લેવું : સાંધાના દુખાવામાં હાડકાં અને માંસપેશિયો નબળી થવા લાગે છે. એવામાં તેનાથી બચવા માટે તમારે શેક કે ધૂપ લેવો જોઈએ. કેમ કે આ વિટામિન ડીનો સૌથી સારો સ્ત્રોત છે. આમ કરવાથી હાડકાં મજબૂત થાય છે.
તમારો રોજિંદો આહાર એન્ટી-ઓક્સીડેન્ટથી ભરપૂર હોવો જોઈએ, જેના માટે તમે માછલી, ફળો, ઓલિવ ઓઈલ, અખરોટ, મેથીના દાણા, પાણીમાં પલાળેલા શાકભાજી અને ચા ખાઈ શકો છો. આવો આહાર લેવાથી સાંધાના દુખાવામાં ઘણી રાહત મળે છે.